Maharashtra : નીતિન ગડકરીના કાફલાની કાર ટ્રક સાથે અથડાઈ, કેન્દ્રીય મંત્રી સહિતના તમામ લોકો સુરક્ષિત

જ્યારે કાર ટ્રક (Truck)સાથે ટકરાઈ ત્યારે જોરદાર ધમાકો થયો હતો, ગડકરીના સુરક્ષાકર્મીઓ પણ નીતિન ગડકરીની કાર તરફ દોડ્યા હતા,જો કે સદનસીબે ક્રેશ (Crash)થયેલી કારમાં નીતિન ગડકરી સહિતના અન્ય વ્યક્તિઓને કોઈ ઈજા થઈ નહોતી.

Maharashtra : નીતિન ગડકરીના કાફલાની કાર ટ્રક સાથે અથડાઈ, કેન્દ્રીય મંત્રી સહિતના તમામ લોકો સુરક્ષિત
nitin gadkaris convoys car collided with a truck in nagpur
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 29, 2021 | 1:23 PM

Maharashtra :  નાગપુરમાં કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીના(Nitin Gadkari) કાફલાની કાર ટ્રક સાથે અથડાઈ હતી. જો કે સદનસીબે નીતિન ગડકરી સહિત તેમના કાફલામાં સામેલ તમામ લોકો સુરક્ષિત છે. જ્યારે ગડકરી તેમના નિવાસસ્થાને જઈ રહ્યા હતા, ત્યારે નાગપુરના છત્રપતિ ચોક પાસે આ અકસ્માત સર્જાયો હતો.

મળતી માહિતી અનુસાર, સોનેગાંવ તળાવના ભૂમિપૂજનના કાર્યક્રમમાં (Program)ભાગ લેવા માટે નીતિન ગડકરી સોનેગાંવ ગયા હતા. કાર્યક્રમ પૂરો થયા બાદ ગડકરીની કારનો કાફલો રાત્રિ દરમિયાન તેમના નિવાસસ્થાન તરફ આગળ વધી રહ્યો હતો. ત્યારે છત્રપતિ ચોકના સિગ્નલ પર  ટ્રક ડ્રાઈવરે અચાનક બ્રેક લગાવી દીધી. જેને કારણે કાફલાની એક કાર (MH-01 CP 2435)ટ્રકમાં ઘૂસી ગઈ હતી. જેના કારણે વાહનનો આગળનો ભાગ તૂટી ગયો હતો. પરંતુ સદનસીબે આ અકસ્માતમાં કારમાં બેઠેલા તમામ લોકો સુરક્ષિત રીતે બચી ગયા હતા.

જોરદાર ધમાકાના કારણે ગભરાટ ફેલાયો, પરંતુ સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાની  નહી

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

જ્યારે કાર ટ્રક સાથે ટકરાઈ ત્યારે જોરદાર ધમાકો થયો હતો, બહારથી લોકો અને ગડકરીના સુરક્ષાકર્મીઓ પણ કાર તરફ દોડ્યા હતા. પરંતુ સદ્ભાગ્યે ક્રેશ થયેલી કારમાં રહેલા દરેક વ્યક્તિ સુરક્ષિત (Safe)મળી આવ્યા હતા. બાદમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી પોતાના ઘરે જવા રવાના થયા હતા. ઘટનાની માહિતી મળતા જ પ્રતાપનગર અને ધનતોલી પોલીસનો કાફલો(Police) છત્રપતિ ચોક પહોંચી હતી અને અકસ્માત બાદની કાર્યવાહી હાથ ધરી હતી.

અગાઉ રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીના કાફલાના ત્રણ વાહનો પણ ટકરાયા હતા

આ દરમિયાન, તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા મહારાષ્ટ્રના રાજ્યપાલ (Governor) ભગતસિંહ કોશ્યારીના કાફલાના ત્રણ વાહનો પણ ક્રેશ થઈ ગયા હતા. રાજ્યપાલ કોશ્યારી હિંગોલી જિલ્લાના પ્રવાસે હતા. અને નરસિંહ નામદેવ તરફ જઈ રહ્યા હતા ત્યારે તેમના કાફલાના ત્રણ વાહનો અથડાયા હતા. આ અકસ્માતમાં (Accident) પણ વાહનોને નુકસાન થયું હતું, પરંતુ તેમાં પણ રાજ્યપાલ સહિતના તમામ લોકો સુરક્ષિત હતા.

આ પણ વાંચો: Maharashtra : ભાજપે અનિલ દેશમુખ વિરુધ્ધ વસૂલી કેસ અંગે ઉઠાવ્યા સવાલ, કહ્યુ “CBIને કોઈ પુરાવા નથી મળ્યા, તો FIR કેમ નોંધવામાં આવી”

આ પણ વાંચો: Maharashtra : ત્રીજી લહેર પહેલા તંત્ર એકશનમાં, વિદેશી પ્રવાસીઓ માટે RT-PCR રિપોર્ટ ફરજિયાત કરવામાં આવ્યો

Latest News Updates

નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
g clip-path="url(#clip0_868_265)">