AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આર્યન ખાનને ડ્રગ્સ કેસમાં ક્લીનચીટ મળ્યાં બાદ, NCB પૂર્વ ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેની ચેન્નાઈ બદલી

સમીર વાનખેડેની મુંબઈથી ચેન્નાઈ બદલી કરવામાં આવી છે. અગાઉ તે ડ્રગ્સ-ઓન-ક્રુઝ (drugs on cruise case) કેસની તપાસનો ભાગ હતા. વાનખેડેની આગેવાની હેઠળના અભિયાન દરમિયાન આર્યન અને અન્ય 20 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

આર્યન ખાનને ડ્રગ્સ કેસમાં ક્લીનચીટ મળ્યાં બાદ, NCB પૂર્વ ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેની ચેન્નાઈ બદલી
Sameer Wankhede (File Photo)Image Credit source: PTI
TV9 Gujarati
| Edited By: | Updated on: May 31, 2022 | 6:45 AM
Share

શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને (Aryan Khan) મુંબઈ ડ્રગ્સ કેસમાં (Mumbai Drugs Case) NCB તરફથી ક્લીનચીટ મળ્યા બાદ NCBના ભૂતપૂર્વ ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેની (Sameer Wankhede) મુંબઈથી ચેન્નાઈ બદલી કરવામાં આવી છે. અગાઉ તે ડ્રગ્સ-ઓન-ક્રુઝ કેસની તપાસનો ભાગ હતા. વાનખેડેની આગેવાની હેઠળના અભિયાન દરમિયાન આર્યન અને અન્ય 20 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ભ્રષ્ટાચારના આરોપોને પગલે વાનખેડેને બાદમાં કેસમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતા અને કેસ એનસીબીના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ (ઓપરેશન્સ) સંજય કુમાર સિંઘની આગેવાની હેઠળની વિશેષ તપાસ ટીમને સોંપવામાં આવ્યો હતો.

ગયા શુક્રવારે NCBએ આર્યન ખાન અને અન્ય પાંચને મુંબઈ ડ્રગ્સ કેસમાં ક્લીનચીટ આપ્યા બાદ કેન્દ્રીય એજન્સીના ભૂતપૂર્વ ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે ફરી એકવાર ચર્ચામાં આવ્યા હતા. એનસીબીએ મુંબઈની એક કોર્ટને જણાવ્યું કે પૂરતા પુરાવાના અભાવે તેણે ચાર્જશીટમાં આર્યનના નામનો ઉલ્લેખ કર્યો નથી. વાનખેડેની આગેવાની હેઠળની એક ટીમે 2 ઓક્ટોબર, 2021ના રોજ મુંબઈ ઈન્ટરનેશનલ પોર્ટ ટર્મિનલ ખાતે કોર્ડેલિયા ક્રુઝ શિપ પર દરોડો પાડ્યો હતો અને કથિત રીતે 20 થી વધુ લોકો, જેમાં બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની ડ્રગ્સ અને નશો રાખવા બદલ ધરપકડ કરવામાં આવી હતી.

બોલિવૂડની ઘણી અભિનેત્રીઓ પર સવાલ ઉઠાવ્યા

ભારતીય મહેસૂલ સેવા અધિકારી સમીર વાનખેડે સપ્ટેમ્બર 2020માં એનસીબીમાં પોસ્ટિંગ સુધી ડીઆરઆઈ તરફથી વારંવાર સમાચારમાં રહેતા હતા. તે બૉલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ સાથે સંકળાયેલા ડ્રગ કેસની તપાસ કરતી તપાસ ટીમનો પણ ભાગ હતા. તપાસના ભાગરૂપે, એજન્સીએ બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ, શ્રદ્ધા કપૂર, સારા અલી ખાન, રકુલ પ્રીત સિંહ અને અન્યની પૂછપરછ કરી હતી.

નવાબ મલિક પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપો લગાવ્યા હતા

વાનખેડેની ટીમે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા અને મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકના જમાઈ સમીર ખાનની પણ ધરપકડ કરી હતી. પરંતુ બાદમાં એક કોર્ટે પૂરતા પુરાવાના અભાવે નવાબ મલિકના જમાઈ સમીર ખાનને જામીન આપ્યા હતા. ત્યારબાદ મલિકે વાનખેડે સામે ભ્રષ્ટાચારના આરોપો લગાવ્યા. નવાબ મલિકે વાનખેડે પર આરોપ લગાવ્યો હતો કે તેણે IRS ઓફિસરની નોકરી મેળવવા માટે ખોટું SC પ્રમાણપત્ર આપ્યું હતું. મલિકે એવો પણ આક્ષેપ કર્યો હતો કે, સમીર વાનખેડેની નવી મુંબઈમાં રેસ્ટોરન્ટ અને બાર છે.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">