NCBમાંથી વાનખેડેેની વિદાય : સમીર વાનખેડેનો કાર્યકાળ આજે સમાપ્ત, કંઈક આવી રહી વાનખેડેેની સફર

NCB એ એક નિવેદન જાહેરકર્યું હતું કે મુંબઈ ઝોનના ડિરેક્ટર સમીર વાનખેડેનો કાર્યકાળ 31 ડિસેમ્બરે સમાપ્ત થશે, ત્યારે આજે વાનખેેડે NCB માંથી વિદાય લેશે.

NCBમાંથી વાનખેડેેની વિદાય : સમીર વાનખેડેનો કાર્યકાળ આજે સમાપ્ત, કંઈક આવી રહી વાનખેડેેની સફર
Sameer Wankhede (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 31, 2021 | 12:23 PM

Sameer Wankhede : નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ના મુંબઈ ઝોનના ડિરેક્ટર સમીર વાનખેડેનો (Sameer Wankehde) કાર્યકાળ આજે પૂરો થઈ રહ્યો છે. એનસીબીના જણાવ્યા અનુસાર, તેમણે આ મામલે એંક્સેન્શન માગ્યુ નથી. ઉલ્લેખનીય છે કે, વાનખેડેને અગાઉ સપ્ટેમ્બરમાં ચાર મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું હતું.

મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસને લઈને ખુબ ચર્ચમાં આવ્યા

સમીર વાનખેડે મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસને (Mumbai Cruide Drugs Case) લઈને ખુબ ચર્ચમાં આવ્યા હતા. આ કેસમાં બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યનની 3 ઓક્ટોબરના રોજ ધરપકડ કરવામાં આવી હતી. તમને જણાવવુ રહ્યુ કે, સમીર વાનખેડે, 2008 બેચના ભારતીય મહેસૂલ સેવા (IRS) અધિકારી, નિવૃત્ત મહારાષ્ટ્ર પોલીસ અધિકારી દયાનદેવ વાનખેડેના પુત્ર છે.

વાનખેડેની સફર પર એક નજર

મુંબઈ ઝોનના ડિરેક્ટર સમીર વાનખેડેના સફરની વાત કરીએ તો તેણે ઓગસ્ટ 2020 થી ડિસેમ્બર 2020 સુધીમાં 96 લોકોની ધરપકડ કરી અને 28 કેસ નોંધ્યા હતા. 2021 માં તેઓએ 234 લોકોની ધરપકડ કરી અને 117 કેસ નોંધ્યા. NCBએ વધુમાં માહિતી આપી હતી કે સમીર વાનખેડેએ આશરે 1000 કરોડની કિંમતનું 1791 કિલોથી વધુ ડ્રગ્સ જપ્ત કર્યું હતું અને 11 કરોડથી વધુની સંપત્તિ જપ્ત કરી હતી.

ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત

સમીર વાનખેડે NCB સાથે તેમના કાર્યકાળ પહેલા એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU) ના ડેપ્યુટી કમિશનર અને નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) ના એડિશનલ એસપી તરીકે સેવા આપી હતી. બાદમાં તેમની કસ્ટમના આસિસ્ટન્ટ કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી હતી અને મુંબઈ એરપોર્ટ પર પોસ્ટિંગ કરવામાં આવ્યું હતું.મુંબઈ એર ઈન્ટેલિજન્સ યુનિટ સાથે કામ કરતી વખતે, તેમણે કસ્ટમ્સથી બચતી અનેક હસ્તીઓની ધરપકડ કરી હતી.

NCB માં જોડાતાની સાથે જ તેણે ઓગસ્ટ 2020 સુશાંત સિંહ રાજપૂત ડ્રગ્સ કેસ પોતાના હાથમાં લઈને 33થી વધુ લોકોની ધરપકડ કરી હતી. તેમને 2021 માં કામમાં શ્રેષ્ઠતા માટે ‘હોમ મિનિસ્ટર્સ મેડલ’ એનાયત કરવામાં આવ્યો હતો. અભિનેત્રી રિયા ચક્રવર્તીથી શરૂ કરીને અનેક બોલિવૂડ હસ્તીઓની આ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.

આ પણ વાંચો : Omicronએ લગાવી લાંબી છલાંગ, મહારાષ્ટ્રમાં 198 કેસ સાથે દેશમાં ઓમિક્રોનની સંખ્યા 1,100ને પાર, મુંબઈમાં 190 કેસ

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">