AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દેશમાં પહેલીવાર ઓમિક્રોન સંક્રમિત દર્દીનું મોત, પિંપરી ચિંચવાડની યશવંતરાવ ચૌહાણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો

કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત આ વ્યક્તિને પિંપરી ચિંચવડની યશવંતરાવ ચૌહાણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. માહિતી અનુસાર, 52 વર્ષીય વ્યક્તિ તાજેતરમાં નાઇજીરિયાથી પરત ફર્યો હતો અને ચેપ લાગ્યા બાદ 28 ડિસેમ્બરે પિંપરી ચિંચવડની હોસ્પિટલમાં તેનું મૃત્યુ થયું હતું.

દેશમાં પહેલીવાર ઓમિક્રોન સંક્રમિત દર્દીનું મોત, પિંપરી ચિંચવાડની યશવંતરાવ ચૌહાણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો
First omicron death in india been reported from Maharashtra
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 30, 2021 | 9:34 PM
Share

ભારતમાં ઓમિક્રોન વેરિઅન્ટને (Omicron Variant) કારણે મહારાષ્ટ્રમાં (Maharashtra) પ્રથમ મૃત્યુ નોંધાયું છે. મહારાષ્ટ્રના પિંપરી ચિંચવાડ વિસ્તારના એક 52 વર્ષીય વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત થયું હતું. કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત આ વ્યક્તિને પિંપરી ચિંચવાડની યશવંતરાવ ચૌહાણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. માહિતી અનુસાર, 52 વર્ષીય વ્યક્તિ તાજેતરમાં નાઇજીરિયાથી પરત ફર્યો હતો અને ચેપ લાગ્યા બાદ 28 ડિસેમ્બરે પિંપરી ચિંચવાડની હોસ્પિટલમાં તેનું મૃત્યુ થયું હતું.

આ વ્યક્તિનું મૃત્યુ બિન-કોવિડ કારણોસર થયું છે. જો કે, આજે એટલે કે ગુરુવારે, મૃતકના NIV રિપોર્ટમાં જાણવા મળ્યું કે તે કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત હતો. મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રાલયે આ જાણકારી આપી છે. ભારતમાં ઓમિક્રોન સંક્રમિત વ્યક્તિના મૃત્યુનો આ પ્રથમ કેસ છે.

મહારાષ્ટ્ર સહિત દેશના ઘણા રાજ્યોમાં ઓમિક્રોન વાયરસે દસ્તક આપી છે અને હવે તેના કેસ ઝડપથી સામે આવી રહ્યા છે. દેશમાં ઓમિક્રોન સંક્રમણના સૌથી વધુ કેસ મહારાષ્ટ્ર અને દિલ્હીમાં નોંધાઈ રહ્યા છે. ગુરુવારે, મહારાષ્ટ્રમાં ઓમિક્રોન ચેપના 198 નવા કેસ નોંધાયા હતા. આ સાથે રાજ્યમાં ઓમિક્રોન સંક્રમિત લોકોની સંખ્યા 450 થઈ ગઈ છે. નિષ્ણાતોનું કહેવું છે કે નવા વર્ષ નિમિત્તે રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં વધારો નોંધાઈ શકે છે.

જો કે, રાજ્ય સરકાર ઓમિક્રોનની દસ્તક વચ્ચે રાજ્યમાં કોરોના સંક્રમણને રોકવા માટે ઘણા પ્રયાસો કરી રહી છે. રાજ્ય સરકારે પણ ઘણા નિયંત્રણો લાદ્યા છે. મહારાષ્ટ્રમાં નાઇટ કર્ફ્યુ પહેલેથી જ લાગુ છે. રાજ્ય સરકારે પણ ગુરુવારથી મુંબઈમાં કલમ 144 લાગુ કરી દીધી છે. આવી સ્થિતિમાં મુંબઈમાં નવા વર્ષ નિમિત્તે પબ, રેસ્ટોરન્ટ અને હોટલમાં પાર્ટી કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ નિયમ મુંબઈમાં 7 જાન્યુઆરી સુધી અમલમાં રહેશે.

આ પણ વાંચો –

Bengal Corona Updates: કોરોના સામે મમતા સરકારનું કડક વલણ, 3 જાન્યુઆરીથી બ્રિટનથી કોલકાતા આવતી ફ્લાઇટ પર લગાવી રોક

આ પણ વાંચો –

NCP વડાનું બદલાયેલુ વલણ: અત્યાર સુધી વિપક્ષ પર પ્રહાર કરતા શરદ પવારે PM મોદીના બે મોઢે કર્યા વખાણ

આ પણ વાંચો –

PM Modi in Haldwani: PM મોદીએ કહ્યું- મારો 7 વર્ષનો રેકોર્ડ જુઓ, મારો સમય જૂની વસ્તુઓને ઠીક કરવામાં ખર્ચાઈ રહ્યો છે

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">