AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આખરે ઝુક્યા મલિક ! સમીર વાનખેડે પર ટિપ્પણી કરવા બદલ નવાબ મલિકે બોમ્બે હાઈકોર્ટ સમક્ષ બિનશરતી માફી માગી

NCP નેતા અને મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકે NCB ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે પર કરેલી ટિપ્પણી બદલ બોમ્બે હાઈકોર્ટમાં બિનશરતી માફી માગી છે.

આખરે ઝુક્યા મલિક ! સમીર વાનખેડે પર ટિપ્પણી કરવા બદલ નવાબ મલિકે બોમ્બે હાઈકોર્ટ સમક્ષ બિનશરતી માફી માગી
Nawab Malik
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 10, 2021 | 4:17 PM
Share

Nawab Malik : ડ્રગ્સ કેસમાં આર્યન ખાનનુ નામ સામે આવ્યુ ત્યારથી મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિક (Nawab Malik) NCB ડાયરેક્ટર સમીર વાનખેડે(Sameer Wankhede)  વિરુધ્ધ સતત ટિપ્પણી કરી રહ્યા હતા.ત્યારે હાલ NCP નેતા અને મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકે NCB ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે પર તેમના નિવેદન માટે બોમ્બે હાઈકોર્ટ (Bombay Highcourt) સમક્ષ બિનશરતી માફી માંગી છે.

મલિકે બોમ્બે હાઈકોર્ટ સમક્ષ બિનશરતી માફી માગી

નવાબ મલિકે કોર્ટસમક્ષ કહ્યુ કે,હું નવેમ્બર 25 અને 29 નવેમ્બર 2021 ના આદેશોમાં  મારા બાંયધરીનાં ભંગના સંદર્ભમાં આ માનનીય અદાલતમાં(Bombay Highcourt)  મારી બિનશરતી માફી માગું છું.”મલિકે વધુમાં ઉમેર્યું હતું કે, આ આદેશોનો ભંગ કરવાનો કોઈ ઈરાદો નહોતો.

નવાબ મલિકે કર્યો આ ખુલાસો

નવાબ મલિકે જણાવ્યુ કે, “મીડિયા ઇન્ટરવ્યુ દરમિયાન આપવામાં આવેલા મારા જવાબો આ કોર્ટમાં આપેલા નિવેદનની મર્યાદામાં ન હતા. પરંતુ જ્યારથી મને સલાહ આપવામાં આવી છે અને જાણ કરવામાં આવી છે કે, કોર્ટમાં આપેલા નિવેદનમાં  ઇન્ટરવ્યુ દરમિયાન પૂછવામાં આવેલા પ્રશ્નોનો પણ સમાવેશ થાય છે, ત્યારથી મેં આપ્રકારની ટિપ્પણી ટાળી હતી.

શું છે સમગ્ર મામલો ?

તમને જણાવી દઈએ કે,નવાબ મલિકના આરોપો બાદ સમીર વાનખેડેના પિતાએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા.જે સંદર્ભ 25 નવેમ્બરના રોજ બોમ્બે હાઈકોર્ટ સમીર વાનખેડેને (Sameer Wankhede) રાહત આપી હતી. ઉપરાંત બોમ્બે હાઈકોર્ટે મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિકને આદેશ આપ્યો હતો કે, તે વાનખેડે અને તેમના પરિવાર સામે કોઈ પણ પ્રકારની ટિપ્પણી કરી શકશે નહી.

ઉલ્લેખનીય છે કે, સમીર વાનખેડેના પિતાએ પોતાની પિટિશનમાં કહ્યુ હતુ કે, નવાબ મલિક દ્વારા કરવામાં આવી રહેલી ખોટી નિવેદનબાજી પર રોક લગાવવામાં આવે અને જે આ મામલામાં હાઈકોર્ટે સમીર વાનખેડેને રાહત આપીને  મલિકને નિવેદન બાજી રોકવા જણાવ્યુ હતુ.

આ પણ વાંચો : Corona Update : રાહતના સમાચાર, મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા આટલા કેસ

આ પણ વાંચો : MUKESH AMBANIના પૌત્ર AKASH AMBANIના પ્રથમ જન્મદિવસની થશે ભવ્ય ઉજવણી, આ બોલીવુડ સ્ટાર્સ પર્ફોર્મન્સ કરશે

આ પણ વાંચો : ટેકનીકલ ખામી સર્જાતા ટેક-ઓફ બાદ પાછી ફરી સ્પાઈસ જેટની મુંબઈ-કોલકાતા ફ્લાઈટ, તમામ મુસાફરો સુરક્ષિત

Follow Us
આજનું રાશિફળ : વ્યાપાર, ધનલાભ અને કરિયરમાં પ્રગતિના યોગ, વાંચો રાશિફળ
આજનું રાશિફળ : વ્યાપાર, ધનલાભ અને કરિયરમાં પ્રગતિના યોગ, વાંચો રાશિફળ
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
g clip-path="url(#clip0_868_265)">