AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corona Update : રાહતના સમાચાર, મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા આટલા કેસ

મહારાષ્ટ્રમાં હાલ કોરોના વાયરસના 6482 એક્ટિવ દર્દીઓ છે. સાથે જ રિકવરી રેટ સુધરીને 97.12 ટકા પર પહોંચ્યો છે. છેલ્લા 24 કલાકમાં ઓમિક્રન વેરિઅન્ટનો એક પણ કેસ સામે ન આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.

Corona Update  : રાહતના સમાચાર, મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા આટલા કેસ
Omicron Variant
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 10, 2021 | 12:38 PM
Share

Omicron in Maharashtra: મહારાષ્ટ્રમાં કોરોનાની (Corona case) દહેશત ધીમી થતી જોવા મળી રહી છે. પરંતુ હજુ પણ ખતરો ટળ્યો નથી.છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોના વાયરસના 789 નવા કેસ નોંધાયા છે અને સાત લોકોએ કોરોનાને (Covid 19) કારણે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. જો કે,રાહતની વાત એ છે કે, છેલ્લા 24 કલાકમાં ઓમિક્રોન વેરિઅન્ટનો (Omicron Variant) એક પણ કેસ નોંધાયો નથી.

આરોગ્ય વિભાગે માહિતી આપતા જણાવ્યુ કે,રાજ્યમાં ગુરુવારે કોરોના વાયરસના નવા કેસ સાથે સંક્રમિત લોકોની કુલ સંખ્યા વધીને 66,41,677 થઈ ગઈ છે. જ્યારે મૃત્યુઆંક વધીને આંકડો 1,41,211 પર પહોંચી ગયો છે.આ સાથે છેલ્લા 24 કલાકમાં 585 લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ રીતે અત્યાર સુધીમાં કુલ 64,90,305 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.

રાજ્યમાં આટલા દર્દીઓ એક્ટિવ

મહારાષ્ટ્રમાં હાલ 6482 દર્દીઓ કોરોનાની સારવાર હેઠળ છે. જ્યારે રિકવરી રેટ (Recovery Rate) પણ સુધરીને 97.12 ટકા પર પહોંચ્યો છે. જ્યારે મૃત્યુ દર 2.12 નોંધાયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 6,65,17,323 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. હાલમાં 74,353 લોકો હોમ ક્વોરેન્ટાઇનમાં છે, જ્યારે 887 લોકો સંસ્થાકીય ક્વોરેન્ટાઇનમાં છે. જો કે રાહતની વાત એ છે કે, છેલ્લા 24 કલાકમાં એક પણ કોરોનાના નવા વેરિઅન્ટનો કેસ સામે આવ્યો નથી.

ઓમિક્રોનનો પ્રથમ કેસ થાણેમાં સામે આવ્યો હતો

રાજ્યમાં ઓમિક્રોનનો પ્રથમ કેસ નવેમ્બરના છેલ્લા સપ્તાહમાં આવ્યો હતો. થાણે જિલ્લાના(Thane District) કલ્યાણ ડોમ્બિવલીમાં દક્ષિણ આફ્રિકાથી પરત આવેલો યુવાન સંક્રમિત મળી આવ્યો હતો. જો કે આ વ્યક્તિને બુધવારે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. જો મુંબઈની વાત કરીએ તો, અહીં કોરોના વાયરસના 291 કેસ નોંધાયા છે અને એક દર્દીએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો છે.જ્યારે થાણે જિલ્લામાં કોરોના વાયરસના ચેપના 111 નવા કેસ સામે આવતા કુલ કેસોની સંખ્યા વધીને 5,70,288 થઈ ગઈ છે અને વધુ બે લોકોના મોત થયા છે.

આ પણ વાંચો : MUKESH AMBANIના પૌત્ર AKASH AMBANIના પ્રથમ જન્મદિવસની થશે ભવ્ય ઉજવણી, આ બોલીવુડ સ્ટાર્સ પર્ફોર્મન્સ કરશે

આ પણ વાંચો : ટેકનીકલ ખામી સર્જાતા ટેક-ઓફ બાદ પાછી ફરી સ્પાઈસ જેટની મુંબઈ-કોલકાતા ફ્લાઈટ, તમામ મુસાફરો સુરક્ષિત

Follow Us
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">