AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ટેકનીકલ ખામી સર્જાતા ટેક-ઓફ બાદ પાછી ફરી સ્પાઈસ જેટની મુંબઈ-કોલકાતા ફ્લાઈટ, તમામ મુસાફરો સુરક્ષિત

ગયા મહિને 27 નવેમ્બરે બેંગ્લોરથી પટના જતી ગો ફર્સ્ટ ફ્લાઈટને ખરાબ એન્જિનની ચેતવણીને પગલે નાગપુર એરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં આવી હતી.

ટેકનીકલ ખામી સર્જાતા ટેક-ઓફ બાદ પાછી ફરી સ્પાઈસ જેટની મુંબઈ-કોલકાતા ફ્લાઈટ, તમામ મુસાફરો સુરક્ષિત
SpiceJet. (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 09, 2021 | 11:59 PM
Share

સ્પાઈસ જેટની (Spice Jet) મુંબઈ-કોલકાતા ફ્લાઈટ ( Mumbai Kolkata Flight) આજે ટેક્નિકલ સમસ્યાને કારણે ટેક-ઓફ કર્યા બાદ મુંબઈ પરત ફરી હતી. સ્પાઈસ જેટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ફ્લાઈટ મુંબઈ એરપોર્ટ (Mumbai Airport) પર સુરક્ષિત રીતે લેન્ડ થઈ હતી. આ મહિનાની શરૂઆતમાં દિલ્હીથી નેવાર્ક જતી એર ઈન્ડિયા (Air India Flight) ની ફ્લાઈટને મેડિકલ ઈમરજન્સી (Medical Emergency) ના કારણે ભારત પરત ફરવું પડ્યું હતું.

એર ઈન્ડિયાના એક અધિકારીએ જણાવ્યું કે ફ્લાઈટે 3 કલાકથી વધુ સમય ઉડાન ભરી હતી, પરંતુ તે પછી મેડિકલ ઈમરજન્સીના કારણે ફ્લાઈટને દિલ્હી (Delhi) પરત ફરવું પડ્યું. આ જ મહિનામાં, બાંગ્લાદેશની રાજધાની ઢાકાથી આવો જ એક કિસ્સો નોંધાયો હતો, જ્યાં મલેશિયન એરલાઈન્સના વિમાનમાં બોમ્બ હોવાના સમાચાર મળતાં વિમાનને હઝરત શાહજલાલ ઈન્ટરનેશનલ એરપોર્ટ (Hazrat Shahjalal International Airport) પર ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. જો કે, આ સમાચાર ખોટા હોવાનું બહાર આવ્યું છે.

બાંગ્લાદેશની સિવિલ એવિએશન ઓથોરિટીએ કહ્યું કે ઢાકાના હઝરત શાહજલાલ ઈન્ટરનેશનલ એરપોર્ટ (HSIA) પર મુસાફરો, તેમના સામાન અને વિમાનની સંપૂર્ણ શોધ કર્યા પછી, મલેશિયન એરલાઈન્સના વિમાનમાં બોમ્બ હોવાના અહેવાલો ખોટા નીકળ્યા. મલેશિયાથી ફોન પર અમને મળેલી માહિતી ખોટી હોવાનું બહાર આવ્યું છે.

ખરાબ એન્જિનની ચેતવણી બાદ નાગપુરમાં ઈમરજન્સી લેન્ડિંગ

ગયા મહિને 27 નવેમ્બરે બેંગ્લોરથી પટના જતી ગો ફર્સ્ટ ફ્લાઈટને (Go First Flight) ખરાબ એન્જિનની ચેતવણીને પગલે નાગપુર એરપોર્ટ (Nagpur Airport) પર ડાયવર્ટ કરવામાં આવી હતી. આ વિમાન પટના જઈ રહ્યું હતું અને તેમાં 139 મુસાફરો સવાર હતા. વિમાનના કેપ્ટને સાવચેતીના ભાગરૂપે એન્જિન બંધ કરવું પડ્યું હતું. આ પછી, કેપ્ટને સમજદારીપૂર્વક પ્લેનને નાગપુર એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડ કરાવ્યું. આ પછી મુસાફરો માટે બીજા પ્લેનની વ્યવસ્થા કરવામાં આવી હતી.

સાઉદી અરેબિયા માટે ઉડાન ભરી રહેલા એર ઈન્ડિયા એક્સપ્રેસના વિમાનના કાચમાં તિરાડ જોવા મળતાં તેને તિરુવનંતપુરમ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું. ટેક-ઓફના એક કલાકમાં કાચમાં તિરાડ જોઈને પાઈલટે તિરુવનંતપુરમ પરત ફરવાનું નક્કી કર્યું હતું. કોવિડ-19 પ્રતિબંધને કારણે કેટલાક સ્થળોની આંતરરાષ્ટ્રીય મુસાફરી પર પ્રતિબંધને કારણે, એરક્રાફ્ટમાં કોઈ મુસાફરો નહોતા અને તે નૂર પરિવહનમાં રોકાયેલું હતું. પ્લેનમાં આઠ ક્રૂ મેમ્બર હતા.

આ પણ વાંચો :  Maharashtra: પ્રથમ ઓમિક્રોન કેસનો કોરોના ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવતા હોસ્પિટલમાંથી મળી રજા, 7 દિવસ ક્વોરેન્ટાઈન રહેવાની સલાહ

Follow Us
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">