NCB અધિકારીઓ નિર્દોષ લોકોને ફસાવી રહ્યા છે, SC ઉપાધ્યક્ષના નિવેદન બાદ પણ નવાબ મલિક તેના આરોપો પર અડગ

NCP નેતા નવાબ મલિકે કહ્યું કે, ધર્મ અને જાતિ માટે નહીં, છેતરપિંડી સામે લડો. હું અનુસૂચિત જાતિના રાષ્ટ્રીય આયોગના ઉપાધ્યક્ષ અરુણ હલદરને તેના પદની ગરિમા જાળવી રાખવા વિનંતી કરું છું.

NCB અધિકારીઓ નિર્દોષ લોકોને ફસાવી રહ્યા છે, SC ઉપાધ્યક્ષના નિવેદન બાદ પણ નવાબ મલિક તેના આરોપો પર અડગ
Sameer Wankhede Case
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 31, 2021 | 1:58 PM

Sameer Wankhede Case : મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિકે આર્યન ડ્રગ્સ કેસને લઈને સમીર વાનખેડે પર અનેક આરોપ લગાવ્યા છે. ત્યારે SC ઉપાધ્યક્ષના નિવેદન બાદ પણ નવાબ મલિક (Nawab Malik) તેમના આરોપો પર અડગ છે. તેણે ફરી એકવાર આરોપ લગાવતા કહ્યું કે સમીર વાનખેડેએ નકલી SC પ્રમાણપત્રની મદદથી નોકરી મેળવી છે અને અનુસુચિત જાતિના યુવાનોનો હક છીનવ્યો છે.

નવાબ મલિકે અનુસૂચિત જાતિના રાષ્ટ્રીય આયોગના ઉપાધ્યક્ષને કરી વિનંતી 

NCP નેતા નવાબ મલિકે વધુમાં કહ્યું, ધર્મ અને જાતિ માટે નહીં, છેતરપિંડી સામે લડો. હું અનુસૂચિત જાતિના રાષ્ટ્રીય આયોગના ઉપાધ્યક્ષ અરુણ હલદરને (Arun Haldar) તેના પદની ગરિમા જાળવી રાખવા વિનંતી કરું છું. ઉપરાંત મલિકે કહ્યું, જ્યારે મેં સમીર વાનખેડે પર આરોપો લગાવવાનું શરૂ કર્યું, ત્યારે મારા પરિચિતોએ મને રોક્યો, મારા વકીલ પુત્રનું પણ અન્ય વકીલો દ્વારા બ્રેઈનવોશ કરવામાં આવી રહ્યું હતું, જેથી તે મને રોકી રહ્યો હતો.

કેટલાક લોકોએ ડ્રગ્સના કેસથી દૂર રહેવાની સલાહ આપી હતી

કેબિનેટ મંત્રી નવાબ મલિકે કહ્યું કે, કેટલાક લોકોએ મને સલાહ આપી કે ડ્રગ્સ સંબંધિત (Cruise Drugs Case) મામલામાં પૈસા અને ગુંડા સામેલ છે. હું આમાં મારો જીવ પણ ગુમાવી શકું છું. આ માટે મને ચૂપ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ મેં કહ્યું કે અમે તેને તાર્કિક અંત સુધી લઈ જઈશું. જો કોઈ કહે કે તેઓ નવાબ મલિકને મારી નાખશે તો હું એ જ દિવસે મરી જઈશ.

સમીર વાનખેડેની વધી મુશ્કેલી

તમને જણાવી દઈએ કે, મહારાષ્ટ્રના (Maharashtra) સામાજિક ન્યાય પ્રધાન ધનંજય મુંડેએ શુક્રવારે કહ્યું હતું કે, જો કોઈ સમીર વાનખેડેના જાતિ પ્રમાણપત્રની માન્યતા સામે વાંધો ઉઠાવશે અને સામાજિક ન્યાય વિભાગમાં ફરિયાદ નોંધાવશે, તો અમે આ બાબતની તપાસ કરીશું.

આ પણ વાંચો: Sameer Wankhede Case: ‘સમીર વાનખેડેએ ધર્મ બદલ્યો, એવું લાગતું નથી’, રાષ્ટ્રીય SC કમિશનના ઉપાધ્યક્ષનું મોટું નિવેદન

આ પણ વાંચો: Aryan Shahrukh Khan: આર્યન ખાનને જોવા જવું મોંઘુ પડી ગયું, 10 લોકોના ખિસ્સામાંથી મોબાઈલ ગાયબ

Latest News Updates

હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
વડોદરાના પૂર્વ વિસ્તારના લોકોને નહી મળે પાણી, જાણો કેમ?
વડોદરાના પૂર્વ વિસ્તારના લોકોને નહી મળે પાણી, જાણો કેમ?
g clip-path="url(#clip0_868_265)">