AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NCB અધિકારીઓ નિર્દોષ લોકોને ફસાવી રહ્યા છે, SC ઉપાધ્યક્ષના નિવેદન બાદ પણ નવાબ મલિક તેના આરોપો પર અડગ

NCP નેતા નવાબ મલિકે કહ્યું કે, ધર્મ અને જાતિ માટે નહીં, છેતરપિંડી સામે લડો. હું અનુસૂચિત જાતિના રાષ્ટ્રીય આયોગના ઉપાધ્યક્ષ અરુણ હલદરને તેના પદની ગરિમા જાળવી રાખવા વિનંતી કરું છું.

NCB અધિકારીઓ નિર્દોષ લોકોને ફસાવી રહ્યા છે, SC ઉપાધ્યક્ષના નિવેદન બાદ પણ નવાબ મલિક તેના આરોપો પર અડગ
Sameer Wankhede Case
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 31, 2021 | 1:58 PM
Share

Sameer Wankhede Case : મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિકે આર્યન ડ્રગ્સ કેસને લઈને સમીર વાનખેડે પર અનેક આરોપ લગાવ્યા છે. ત્યારે SC ઉપાધ્યક્ષના નિવેદન બાદ પણ નવાબ મલિક (Nawab Malik) તેમના આરોપો પર અડગ છે. તેણે ફરી એકવાર આરોપ લગાવતા કહ્યું કે સમીર વાનખેડેએ નકલી SC પ્રમાણપત્રની મદદથી નોકરી મેળવી છે અને અનુસુચિત જાતિના યુવાનોનો હક છીનવ્યો છે.

નવાબ મલિકે અનુસૂચિત જાતિના રાષ્ટ્રીય આયોગના ઉપાધ્યક્ષને કરી વિનંતી 

NCP નેતા નવાબ મલિકે વધુમાં કહ્યું, ધર્મ અને જાતિ માટે નહીં, છેતરપિંડી સામે લડો. હું અનુસૂચિત જાતિના રાષ્ટ્રીય આયોગના ઉપાધ્યક્ષ અરુણ હલદરને (Arun Haldar) તેના પદની ગરિમા જાળવી રાખવા વિનંતી કરું છું. ઉપરાંત મલિકે કહ્યું, જ્યારે મેં સમીર વાનખેડે પર આરોપો લગાવવાનું શરૂ કર્યું, ત્યારે મારા પરિચિતોએ મને રોક્યો, મારા વકીલ પુત્રનું પણ અન્ય વકીલો દ્વારા બ્રેઈનવોશ કરવામાં આવી રહ્યું હતું, જેથી તે મને રોકી રહ્યો હતો.

કેટલાક લોકોએ ડ્રગ્સના કેસથી દૂર રહેવાની સલાહ આપી હતી

કેબિનેટ મંત્રી નવાબ મલિકે કહ્યું કે, કેટલાક લોકોએ મને સલાહ આપી કે ડ્રગ્સ સંબંધિત (Cruise Drugs Case) મામલામાં પૈસા અને ગુંડા સામેલ છે. હું આમાં મારો જીવ પણ ગુમાવી શકું છું. આ માટે મને ચૂપ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ મેં કહ્યું કે અમે તેને તાર્કિક અંત સુધી લઈ જઈશું. જો કોઈ કહે કે તેઓ નવાબ મલિકને મારી નાખશે તો હું એ જ દિવસે મરી જઈશ.

સમીર વાનખેડેની વધી મુશ્કેલી

તમને જણાવી દઈએ કે, મહારાષ્ટ્રના (Maharashtra) સામાજિક ન્યાય પ્રધાન ધનંજય મુંડેએ શુક્રવારે કહ્યું હતું કે, જો કોઈ સમીર વાનખેડેના જાતિ પ્રમાણપત્રની માન્યતા સામે વાંધો ઉઠાવશે અને સામાજિક ન્યાય વિભાગમાં ફરિયાદ નોંધાવશે, તો અમે આ બાબતની તપાસ કરીશું.

આ પણ વાંચો: Sameer Wankhede Case: ‘સમીર વાનખેડેએ ધર્મ બદલ્યો, એવું લાગતું નથી’, રાષ્ટ્રીય SC કમિશનના ઉપાધ્યક્ષનું મોટું નિવેદન

આ પણ વાંચો: Aryan Shahrukh Khan: આર્યન ખાનને જોવા જવું મોંઘુ પડી ગયું, 10 લોકોના ખિસ્સામાંથી મોબાઈલ ગાયબ

અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">