AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NCB અધિકારીઓ નિર્દોષ લોકોને ફસાવી રહ્યા છે, SC ઉપાધ્યક્ષના નિવેદન બાદ પણ નવાબ મલિક તેના આરોપો પર અડગ

NCP નેતા નવાબ મલિકે કહ્યું કે, ધર્મ અને જાતિ માટે નહીં, છેતરપિંડી સામે લડો. હું અનુસૂચિત જાતિના રાષ્ટ્રીય આયોગના ઉપાધ્યક્ષ અરુણ હલદરને તેના પદની ગરિમા જાળવી રાખવા વિનંતી કરું છું.

NCB અધિકારીઓ નિર્દોષ લોકોને ફસાવી રહ્યા છે, SC ઉપાધ્યક્ષના નિવેદન બાદ પણ નવાબ મલિક તેના આરોપો પર અડગ
Sameer Wankhede Case
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 31, 2021 | 1:58 PM
Share

Sameer Wankhede Case : મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિકે આર્યન ડ્રગ્સ કેસને લઈને સમીર વાનખેડે પર અનેક આરોપ લગાવ્યા છે. ત્યારે SC ઉપાધ્યક્ષના નિવેદન બાદ પણ નવાબ મલિક (Nawab Malik) તેમના આરોપો પર અડગ છે. તેણે ફરી એકવાર આરોપ લગાવતા કહ્યું કે સમીર વાનખેડેએ નકલી SC પ્રમાણપત્રની મદદથી નોકરી મેળવી છે અને અનુસુચિત જાતિના યુવાનોનો હક છીનવ્યો છે.

નવાબ મલિકે અનુસૂચિત જાતિના રાષ્ટ્રીય આયોગના ઉપાધ્યક્ષને કરી વિનંતી 

NCP નેતા નવાબ મલિકે વધુમાં કહ્યું, ધર્મ અને જાતિ માટે નહીં, છેતરપિંડી સામે લડો. હું અનુસૂચિત જાતિના રાષ્ટ્રીય આયોગના ઉપાધ્યક્ષ અરુણ હલદરને (Arun Haldar) તેના પદની ગરિમા જાળવી રાખવા વિનંતી કરું છું. ઉપરાંત મલિકે કહ્યું, જ્યારે મેં સમીર વાનખેડે પર આરોપો લગાવવાનું શરૂ કર્યું, ત્યારે મારા પરિચિતોએ મને રોક્યો, મારા વકીલ પુત્રનું પણ અન્ય વકીલો દ્વારા બ્રેઈનવોશ કરવામાં આવી રહ્યું હતું, જેથી તે મને રોકી રહ્યો હતો.

કેટલાક લોકોએ ડ્રગ્સના કેસથી દૂર રહેવાની સલાહ આપી હતી

કેબિનેટ મંત્રી નવાબ મલિકે કહ્યું કે, કેટલાક લોકોએ મને સલાહ આપી કે ડ્રગ્સ સંબંધિત (Cruise Drugs Case) મામલામાં પૈસા અને ગુંડા સામેલ છે. હું આમાં મારો જીવ પણ ગુમાવી શકું છું. આ માટે મને ચૂપ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ મેં કહ્યું કે અમે તેને તાર્કિક અંત સુધી લઈ જઈશું. જો કોઈ કહે કે તેઓ નવાબ મલિકને મારી નાખશે તો હું એ જ દિવસે મરી જઈશ.

સમીર વાનખેડેની વધી મુશ્કેલી

તમને જણાવી દઈએ કે, મહારાષ્ટ્રના (Maharashtra) સામાજિક ન્યાય પ્રધાન ધનંજય મુંડેએ શુક્રવારે કહ્યું હતું કે, જો કોઈ સમીર વાનખેડેના જાતિ પ્રમાણપત્રની માન્યતા સામે વાંધો ઉઠાવશે અને સામાજિક ન્યાય વિભાગમાં ફરિયાદ નોંધાવશે, તો અમે આ બાબતની તપાસ કરીશું.

આ પણ વાંચો: Sameer Wankhede Case: ‘સમીર વાનખેડેએ ધર્મ બદલ્યો, એવું લાગતું નથી’, રાષ્ટ્રીય SC કમિશનના ઉપાધ્યક્ષનું મોટું નિવેદન

આ પણ વાંચો: Aryan Shahrukh Khan: આર્યન ખાનને જોવા જવું મોંઘુ પડી ગયું, 10 લોકોના ખિસ્સામાંથી મોબાઈલ ગાયબ

ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
અમેરિકામાં 75 દેશોના નાગરિકોની‘No Entry’
અમેરિકામાં 75 દેશોના નાગરિકોની‘No Entry’
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
ભાવનગરથી માત્ર 20 કિલોમીટર દૂર સિંહોના આંટાફેરા
ભાવનગરથી માત્ર 20 કિલોમીટર દૂર સિંહોના આંટાફેરા
ઉત્તરાયણના પર્વે દારૂના વેપલાનો પર્દાફાશ - જુઓ Video
ઉત્તરાયણના પર્વે દારૂના વેપલાનો પર્દાફાશ - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">