આર્યનને લઈને શાહરૂખ ખાનને ડરાવવામાં આવી રહ્યો છે ! ડ્રગ્સ કેસમાં નવાબ મલિકનો ચોંકાવનારો દાવો

ડ્રગ્સ કેસમાં નવાબ મલિકે દ્વારા મોટો દાવો કરવામાં આવ્યો છે. તેમણે કહ્યુ કે, આર્યનને લઈને શાહરૂખ ખાનને ડરાવવામાં આવી રહ્યો છે.

આર્યનને લઈને શાહરૂખ ખાનને ડરાવવામાં આવી રહ્યો છે ! ડ્રગ્સ કેસમાં નવાબ મલિકનો ચોંકાવનારો દાવો
Aryan Khan Drugs Case
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 07, 2021 | 2:48 PM

Aryan Drugs Case : આર્યન ખાન ડ્રગ કેસમાં નવાબ મલિક દ્વારા એક પછી એક ચોંકાવનારા ખુલાસા કરી રહ્યા છે. નવાબ મલિકે મોટો ખુલાસો કર્યો છે કે શાહરૂખ ખાનને (Shahrukh Khan) ડરાવવામાં આવી રહ્યો છે. રિકવરી અંગે જો તે મોં ખોલશો તો તેને પણ આરોપી બનાવી દેવામાં આવશે. ઉપરાંત આર્યન ખાનને પણ લાંબા સમય સુધી જેલમાં રહેવાનો વારો આવશે.

નવાબ મલિકનો ચોંકાવનારો ખુલાસો

નવાબ મલિકે કહ્યું, પીડિત ક્યારેય આરોપી નથી હોતો. શાહરૂખ પાસેથી ધાકધમકી આપીને પૈસા લેવામાં આવે છે, તે આરોપી નથી. શાહરૂખની મેનેજર પૂજા ડડલાનીને (Pooja Dadlani) પણ ધમકી આપવામાં આવી રહી છે, પરંતુ મારો મુદ્દો એ છે કે પીડિતોએ ડરવું ન જોઈએ, તેમણે આગળ આવવું જોઈએ.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

આ સમગ્ર મામલો અપહરણ અને વસૂલાતનો છે : નવાબ મલિક

નવાબ મલિકે કહ્યું કે, કોર્ટની કાર્યવાહીમાં જાણવા મળ્યું કે, આર્યન ખાનને (Aryan Khan) પ્રતીક ગાભા અને આમિર ફર્નિચર વાલા મારફતે ક્રુઝ પાર્ટીમાં ગયો હતો. આ સમગ્ર મામલો અપહરણ અને વસૂલાતનો છે. આ માટે મોહિત કંબોજના સાળાને રાખવામાં આવ્યો હતો. આ ડીલ 25 કરોડથી શરૂ થઈ અને 18 કરોડમાં નક્કી થઈ. આર્યન ખાન સાથે ગોસાવીની સેલ્ફીએ મામલો વધુ ખરાબ કરી દીધો હતો. આ સમગ્ર રમતનો માસ્ટર માઇન્ડ મોહિત કંબોજ (Mohit Kamboj) છે. મોહિત આ શહેરમાં 12 હોટલ ચલાવે છે. તેમજ તે સમીર વાનખેડેનો મિત્ર છે. મોહિતે વેસ્ટ ઇન હોટલની બાજુમાં હોટેલ ખોલી હતી અને વેસ્ટ ઇન સામે બનાવટી કેસ કર્યો હતો જેથી તે બંધ થઈ જાય.

કોઈ અધિકારી ક્રુઝમાંથી કેટલા લોકો પકડાયા તેની પુષ્ટિ કેમ નથી કરી રહ્યા ?

નવાબ મલિકે કહ્યું કે, સમીર વાનખેડેએ (Sameer Wankhede) દાવો કર્યો હતો કે 8 થી 10 લોકોને પકડવામાં આવ્યા છે. પરંતુ આ અંગે કોઈ અધિકારી ક્રુઝમાંથી કેટલા લોકો પકડાયા તેની પુષ્ટિ કેમ નથી કરી રહ્યા. આ પાર્ટીમાંથી આઠ નહીં પરંતુ અગિયાર લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. અમે સવાલ ઉઠાવ્યો હતો કે ત્રણ લોકોને કેમ છોડવામાં આવ્યા. રિષભ સચદેવાને છોડવામાં આવ્યા કારણ કે તે બીજેપી નેતા મોહિત કંબોજના સાળા હતા. સૌથી મોટી રમત એ ત્રણ લોકોની છે. મોહિત કંબોજ પર 1100 કરોડના બેંક કૌભાંડનો આરોપ છે.

આ પણ વાંચો: આર્યન ડ્રગ્સ કેસમાંથી વાનખેડેને હટાવાયા, શું NCB અધિકારી સમીર વાનખેડે પ્રમાણિક હોવાનું આ પરિણામ છે ?

Latest News Updates

ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
g clip-path="url(#clip0_868_265)">