AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આર્યનને લઈને શાહરૂખ ખાનને ડરાવવામાં આવી રહ્યો છે ! ડ્રગ્સ કેસમાં નવાબ મલિકનો ચોંકાવનારો દાવો

ડ્રગ્સ કેસમાં નવાબ મલિકે દ્વારા મોટો દાવો કરવામાં આવ્યો છે. તેમણે કહ્યુ કે, આર્યનને લઈને શાહરૂખ ખાનને ડરાવવામાં આવી રહ્યો છે.

આર્યનને લઈને શાહરૂખ ખાનને ડરાવવામાં આવી રહ્યો છે ! ડ્રગ્સ કેસમાં નવાબ મલિકનો ચોંકાવનારો દાવો
Aryan Khan Drugs Case
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 07, 2021 | 2:48 PM
Share

Aryan Drugs Case : આર્યન ખાન ડ્રગ કેસમાં નવાબ મલિક દ્વારા એક પછી એક ચોંકાવનારા ખુલાસા કરી રહ્યા છે. નવાબ મલિકે મોટો ખુલાસો કર્યો છે કે શાહરૂખ ખાનને (Shahrukh Khan) ડરાવવામાં આવી રહ્યો છે. રિકવરી અંગે જો તે મોં ખોલશો તો તેને પણ આરોપી બનાવી દેવામાં આવશે. ઉપરાંત આર્યન ખાનને પણ લાંબા સમય સુધી જેલમાં રહેવાનો વારો આવશે.

નવાબ મલિકનો ચોંકાવનારો ખુલાસો

નવાબ મલિકે કહ્યું, પીડિત ક્યારેય આરોપી નથી હોતો. શાહરૂખ પાસેથી ધાકધમકી આપીને પૈસા લેવામાં આવે છે, તે આરોપી નથી. શાહરૂખની મેનેજર પૂજા ડડલાનીને (Pooja Dadlani) પણ ધમકી આપવામાં આવી રહી છે, પરંતુ મારો મુદ્દો એ છે કે પીડિતોએ ડરવું ન જોઈએ, તેમણે આગળ આવવું જોઈએ.

આ સમગ્ર મામલો અપહરણ અને વસૂલાતનો છે : નવાબ મલિક

નવાબ મલિકે કહ્યું કે, કોર્ટની કાર્યવાહીમાં જાણવા મળ્યું કે, આર્યન ખાનને (Aryan Khan) પ્રતીક ગાભા અને આમિર ફર્નિચર વાલા મારફતે ક્રુઝ પાર્ટીમાં ગયો હતો. આ સમગ્ર મામલો અપહરણ અને વસૂલાતનો છે. આ માટે મોહિત કંબોજના સાળાને રાખવામાં આવ્યો હતો. આ ડીલ 25 કરોડથી શરૂ થઈ અને 18 કરોડમાં નક્કી થઈ. આર્યન ખાન સાથે ગોસાવીની સેલ્ફીએ મામલો વધુ ખરાબ કરી દીધો હતો. આ સમગ્ર રમતનો માસ્ટર માઇન્ડ મોહિત કંબોજ (Mohit Kamboj) છે. મોહિત આ શહેરમાં 12 હોટલ ચલાવે છે. તેમજ તે સમીર વાનખેડેનો મિત્ર છે. મોહિતે વેસ્ટ ઇન હોટલની બાજુમાં હોટેલ ખોલી હતી અને વેસ્ટ ઇન સામે બનાવટી કેસ કર્યો હતો જેથી તે બંધ થઈ જાય.

કોઈ અધિકારી ક્રુઝમાંથી કેટલા લોકો પકડાયા તેની પુષ્ટિ કેમ નથી કરી રહ્યા ?

નવાબ મલિકે કહ્યું કે, સમીર વાનખેડેએ (Sameer Wankhede) દાવો કર્યો હતો કે 8 થી 10 લોકોને પકડવામાં આવ્યા છે. પરંતુ આ અંગે કોઈ અધિકારી ક્રુઝમાંથી કેટલા લોકો પકડાયા તેની પુષ્ટિ કેમ નથી કરી રહ્યા. આ પાર્ટીમાંથી આઠ નહીં પરંતુ અગિયાર લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. અમે સવાલ ઉઠાવ્યો હતો કે ત્રણ લોકોને કેમ છોડવામાં આવ્યા. રિષભ સચદેવાને છોડવામાં આવ્યા કારણ કે તે બીજેપી નેતા મોહિત કંબોજના સાળા હતા. સૌથી મોટી રમત એ ત્રણ લોકોની છે. મોહિત કંબોજ પર 1100 કરોડના બેંક કૌભાંડનો આરોપ છે.

આ પણ વાંચો: આર્યન ડ્રગ્સ કેસમાંથી વાનખેડેને હટાવાયા, શું NCB અધિકારી સમીર વાનખેડે પ્રમાણિક હોવાનું આ પરિણામ છે ?

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">