AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું થશે લોકડાઉન ? મુંબઈમાં લોકડાઉનના ડરથી ફરી એકવાર પરપ્રાંતિય મજુરો વતન જવા રવાના

મુંબઈ મ્યુનિસિપલ કમિશનર ઈકબાલ સિંહ ચહલે લોકડાઉન લાદવા અંગે સ્પષ્ટતા કરી છે, તેમણે કહ્યું છે કે હાલમાં મુંબઈમાં લોકડાઉનની કોઈ જરૂર નથી.

શું થશે લોકડાઉન ? મુંબઈમાં લોકડાઉનના ડરથી ફરી એકવાર પરપ્રાંતિય મજુરો વતન જવા રવાના
File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 08, 2022 | 11:27 AM
Share

Mumbai: દેશભરમાં ફરી એકવાર કોરોનાનું સંક્રમણ (Corona Virus) ઝડપથી વધી રહ્યું છે. મહારાષ્ટ્રની (Maharashtra) વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 40 હજારથી વધુ કેસ નોંધાયા છે, જેમાંથી 20 હજારથી વધુ કોરોના કેસ માત્ર મુંબઈ માંથી (Mumbai Corona Case) સામે આવ્યા છે.

થોડા દિવસો પહેલા મુંબઈના મેયર કિશોરી પેડનેકર (Kishori Pednekar) અને BMC કમિશનર ઈકબાલ સિંહ ચહલે (Iqbal Singh Chahal)  સ્પષ્ટ કહ્યું હતુ કે જે દિવસથી મુંબઈમાં દરરોજ 20 હજારથી વધુ કેસ આવવાનું શરૂ થશે તો મુંબઈમાં તરત જ લોકડાઉન લાગુ કરી દેવામાં આવશે. આવી સ્થિતિમાં લોકોના મનમાં ડર વધી ગયો છે કે મુંબઈમાં લોકડાઉન થશે. આ ડરને કારણે ફરી એકવાર મુંબઈથી પરપ્રાંતિય મજૂરોએ તેમના વતન તરફ જવા પ્રયાણ શરૂ કર્યુ છે.

કુર્લા લોકમાન્ય તિલક ટર્મિનસમાં મજુરોનો મેળાવડો

ઉલ્લેખનીય છે કે મુંબઈથી વિવિધ રાજ્યોમાં દરરોજ 6 ટ્રેનો દોડે છે. આ ટ્રેનોમાં મોટી સંખ્યામાં મજૂરો પોતાના વતન જઈ રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી રનિંગ ટિકિટ સાથે પણ ટ્રેનમાં ચઢવાની પરવાનગી આપવામાં આવી રહી છે.

તમને જણાવી દઈએ કે કોરોના સમયગાળા દરમિયાન સામાજિક અંતરને ધ્યાનમાં રાખીને અનરિઝર્વ ટિકિટ પર મુસાફરી પર થઈ શકતી નહોતી. રેલ્વે સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર કોરોના નિયમોનું (Corona Guidelines) પાલન કરીને હાલ આ મજૂરોને ટ્રેનમાં જવાની મંજૂરી આપવામાં આવી રહી છે.

સોશિયલ મીડિયામાં ફેલાયેલી અફવાઓએ ખળભળાટ મચાવ્યો

હાલ સોશિયલ મીડિયામાં એક સમાચાર ખુબ વાયરલ થઈ રહ્યા છે. આ સમાચાર અનુસાર મોટી સંખ્યામાં પરપ્રાંતિય મજૂરો પોતાના વતન જવા માટે કુર્લા લોકમાન્ય તિલક ટર્મિનસ પર પહોંચવા છે, ત્યારે પોલીસે ભીડને વિખેરવા માટે લાઠીચાર્જ કર્યો. પરંતુ રેલવે સ્ટેશનના આરપીએફ અધિકારીઓએ (RPF Officer) સ્પષ્ટ કર્યું કે લાઠીચાર્જની કોઈ ઘટના બની નથી. જેમની પાસે ટિકિટ છે, તેમને કોરોના નિયમોનું પાલન કરીને જવા દેવામાં આવી રહ્યા છે.

મુંબઈમાં લોકડાઉનની જરૂર નથી

મુંબઈ મ્યુનિસિપલ કમિશનર ઈકબાલ સિંહ ચહલે મુંબઈમાં લોકડાઉન લાદવાની અંગે સ્પષ્ટતા કરી છે. તેણે કહ્યું છે કે હાલમાં મુંબઈમાં લોકડાઉનની (Lockdown In Mumbai) કોઈ જરૂર નથી. ઝડપથી વધી રહેલા કોરોનાના કેસ આગામી દસ દિવસમાં ઘટશે. આથી હાલ મ્યુનિસિપલ કમિશનર સબ સલામતનો દાવો કરી રહ્યા છે.

આ પણ વાંચો : Corona Cases In Maharashtra: 24 કલાકમાં 40 હજારથી વધારે નવા કેસ, 20 લોકોના મોત

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">