AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mumbai Local Alert: મુંબઈમાં આજે મધ્ય રેલવેનો જમ્બો મેગા બ્લોક, લોકલ ટ્રેનની 200 ફેરી રદ, અહીં વાંચો સંપૂર્ણ વિગતો

મધ્ય રેલવેમાં 24 કલાકના મેગાબ્લોકને કારણે એક્સપ્રેસ ટ્રેનોને પણ અસર થશે. અમરાવતી-મુંબઈ એક્સપ્રેસ, નાગપુર-મુંબઈ સેવાગ્રામ એક્સપ્રેસ અને નાંદેડ-મુંબઈ રાજ્યરાણી એક્સપ્રેસને રદ કરવામાં આવી છે.

Mumbai Local Alert: મુંબઈમાં આજે મધ્ય રેલવેનો જમ્બો મેગા બ્લોક, લોકલ ટ્રેનની 200 ફેરી રદ, અહીં વાંચો સંપૂર્ણ વિગતો
Mumbai Local Train (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 02, 2022 | 6:11 PM
Share

આજે (2 જાન્યુઆરી, રવિવાર) મુંબઈમાં લોકલ ટ્રેનમાં (Mumbai local train) મુસાફરી કરી રહેલા મુસાફરો માટે એક મોટા સમાચાર છે. આજે લગભગ 200થી વધુ લોકલ ટ્રેન ફેરી રદ કરવામાં આવી છે. મુંબઈની સેન્ટ્રલ અને હાર્બર લાઈન પર ચાલતી ટ્રેન સેવા માટે મુંબઈ લોકલ મેગા બ્લોક (Mumbai local mega block) છે. મધ્ય રેલવે માટે આ જમ્બો મેગા બ્લોક 24 કલાક માટે લાગુ રહેશે. મેગા બ્લોક દરમિયાન કલવા, મુંબ્રા, કોપર અને ઠાકુર્લી વચ્ચેની ટ્રેન સેવા સંપૂર્ણપણે બંધ રહેશે.

કલવા, મુંબ્રા, કોપર અને ઠાકુર્લી સ્ટેશનથી મુસાફરી કરનારાઓને થાણે, દિવા, ડોમ્બિવલી અને કલ્યાણથી ચડવાની સુવિધા આપવામાં આવી છે. મધ્ય રેલવે પર બહુપ્રતિક્ષિત થાણે-દિવા રૂટ પર પાંચમી અને છઠ્ઠી લાઈનના કામને ઝડપી બનાવવા માટે રાઉન્ડ ધ ક્લોક મેગા બ્લોક કરવામાં આવ્યો છે. હાર્બર લાઈન પર મેઈન્ટેનન્સના કામ માટે પણ મેગા બ્લોક કરવામાં આવ્યો છે.

સવારે 5થી આવતીકાલે સવારે 5 વાગ્યા સુધી મેગા બ્લોક રહેશે

મેગા બ્લોક આજે સવારે 5 વાગ્યાથી શરૂ થયો છે અને આવતીકાલે (સોમવાર) સવારે 5 વાગ્યા સુધી ચાલુ રહેશે. કલવા અને દિવા વચ્ચે અપ અને ડાઉન સ્લો લાઈન પર આ બ્લોક કરવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં બ્લોક દરમિયાન ડોમ્બિવલીથી કોઈ લોકલ શરૂ થશે નહીં. તેવી જ રીતે ધીમી લોકલ થાણે, ડોમ્બિવલી અને દિવાના ફાસ્ટ પ્લેટફોર્મ અને મુંબ્રા સ્ટેશનના નવા પ્લેટફોર્મ પર ઉભી રહેશે.

હાર્બર લાઈન પર પણ મેઈન્ટેનન્સનું કામ ચાલુ

સેન્ટ્રલ લાઈનની જેમ હાર્બર લાઈન પર પણ રવિવારે મેગા બ્લોક કરવામાં આવ્યો છે. મેઈન્ટેનન્સનું આ કામ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના કામોમાં સલામતીનાં પગલાંની કાળજી લેવા માટે જરૂરી છે. પનવેલ-વાશી અપ અને ડાઉન લાઈન પર મેગા બ્લોક સવારે 11.05 થી સાંજે 4.05 વાગ્યા સુધી રહેશે. બેલાપુર-ખારકોપર સેવા શરૂ રહેશે.

પરંતુ નેરુલ-ખારકોપર સેવા રદ રહેશે. સવારે 10.33થી બપોરે 3.49 દરમિયાન છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (મુંબઈ સીએસટી) માટે પનવેલથી ઉપડતી હાર્બર લાઈન પર અને સવારે 9.45થી બપોરે 3.16 દરમિયાન બેલાપુર/પનવહાર્બી માટે મુંબઈ CSTથી ઉપડતી હાર્બર લાઈન સેવા રદ રહેશે. સવારે 11.02થી બપોરે 3.53 વાગ્યા સુધી પનવેલથી ઉપડતી અપ ટ્રાન્સહાર્બર લાઈન સેવા અને થાણેથી સવારે 10.01થી બપોરે 3.20 વાગ્યા સુધી પનવેલ માટે ઉપડતી ડાઉન ટ્રાન્સહાર્બર લાઈનની સેવા રદ રહેશે.

નેરલથી સવારે 11.40થી બપોરે 3.45 સુધી ખારકોપર માટે ઉપડતી હાર્બર લાઈન સેવા અને બપોરે 12.25થી 4.25 વાગ્યા સુધી ખારકોપરથી નેરુલ માટે ઉપડતી હાર્બર લાઈન સેવા રદ રહેશે. ખારકોપર-બેલાપુર સેવા નિયમિત રીતે શરૂ થશે. બ્લોક દરમિયાન મુંબઈ સીએસટીથી વાશી વચ્ચે વિશેષ ટ્રેન દોડશે. બ્લોક દરમિયાન થાણે-વાશી/નેરુલ વચ્ચે ટ્રાન્સહાર્બર લાઈન સેવા ચાલુ રહેશે.

મેગા બ્લોકના કારણે એક્સપ્રેસ ટ્રેનોને પણ અસર થશે

સેન્ટ્રલ રેલવેમાં 24 કલાકના મેગાબ્લોકને કારણે એક્સપ્રેસ ટ્રેનોને પણ અસર થશે. અમરાવતી-મુંબઈ એક્સપ્રેસ, નાગપુર-મુંબઈ સેવાગ્રામ એક્સપ્રેસ અને નાંદેડ-મુંબઈ રાજ્યરાણી એક્સપ્રેસ રદ કરવામાં આવી છે. એ જ રીતે રવિવારે ચાલનારી મુંબઈ-પૂણે-મુંબઈ ડેક્કન એક્સપ્રેસ, મુંબઈ-જાલના-મુંબઈ જન શતાબ્દી એક્સપ્રેસ, મુંબઈ-મનમાડ-મુંબઈ પંચવટી એક્સપ્રેસ, મુંબઈ-આદિલાબાદ નંદીગ્રામ એક્સપ્રેસ, મુંબઈ-પૂણે-મુંબઈ ડેક્કન એક્સપ્રેસ, મુંબઈ-અમરાવતી એક્સપ્રેસ, મુંબઈ – ગડગ એક્સપ્રેસ અને મુંબઈ-નાંદેડ રાજ્યરાણી એક્સપ્રેસ પણ રદ કરવામાં આવી છે.

આ સિવાય સોમવારે ચાલતી આદિલાબાદ-મુંબઈ નંદીગ્રામ એક્સપ્રેસ અને ગડગ-મુંબઈ એક્સપ્રેસ ટ્રેનો પણ રદ કરવામાં આવી છે. દાદર-હુબલી એક્સપ્રેસ પૂણેથી ઉપડશે. મુંબઈ-કોલ્હાપુર કોયના એક્સપ્રેસ પણ રવિવારે પૂણેથી ઉપડશે.

આ પણ વાંચો :  ફરી વાનખેડે પર વાર : NCBમાં સમીર વાનખેડેના કાર્યકાળને લઈને નવાબ મલિકે ભાજપ પર સાધ્યુ નિશાન

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">