AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mumbai : ગેટ વે ઓફ ઇન્ડિયા પર્યટકો માટે બંધ, રાયગઢમાં શંકાસ્પદ બોટ મળી આવ્યા બાદ સુરક્ષા કારણોસર લેવાયો નિર્ણય

બોટમાંથી(Boat ) ત્રણ એકે 47 રાઈફલ અને ઘણાં કારતૂસ મળી આવ્યા હતા. આ પછી રાજ્ય પ્રશાસને મુંબઈ સહિત રાજ્યભરમાં હાઈ એલર્ટ જાહેર કરી દીધું હતું.

Mumbai : ગેટ વે ઓફ ઇન્ડિયા પર્યટકો માટે બંધ, રાયગઢમાં શંકાસ્પદ બોટ મળી આવ્યા બાદ સુરક્ષા કારણોસર લેવાયો નિર્ણય
Gate Way of India (File Image )
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 26, 2022 | 8:34 AM
Share

ગેટવે ઓફ ઈન્ડિયાને સામાન્ય પ્રવાસીઓ(Tourist ) માટે બંધ કરી દેવામાં આવ્યો છે. મુંબઈને(Mumbai ) અડીને આવેલા રાયગઢ (Raigadh )જિલ્લાના શ્રીવર્ધન તાલુકાના હરિહરેશ્વર બીચ પર છ દિવસ પહેલા એક શંકાસ્પદ બોટ મળી આવી હતી. આ બોટમાંથી કેટલાક હથિયારો પણ મળી આવ્યા હતા. આને ધ્યાનમાં રાખીને, રક્ષણાત્મક પગલાંના ભાગરૂપે, મુંબઈ સ્થિત ગેટવે ઑફ ઈન્ડિયા પર પ્રવાસીઓનો પ્રવેશ આગામી કેટલાક દિવસો માટે બંધ કરી દેવામાં આવ્યો છે. આ અંગે વધુ માહિતી ન આવે ત્યાં સુધી અહીં પ્રવાસીઓનો પ્રવેશ બંધ રહેશે.

મુંબઈથી 300 કિમી દૂર આવેલા રાયગઢ જિલ્લાના હરિહરેશ્વર સમુદ્ર કિનારે આજે છ દિવસ પહેલા માય લેડી હાન નામની એક શંકાસ્પદ બોટ મળી આવી હતી. જ્યારે આ બોટની તલાશી લેવામાં આવી ત્યારે તેમાંથી ત્રણ એકે-47 રાઈફલ અને અનેક કારતુસ મળી આવ્યા હતા. આ પછી હવે મુંબઈના સૌથી પ્રખ્યાત પર્યટન સ્થળોમાંના એક ગેટવે ઓફ ઈન્ડિયાને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

મહારાષ્ટ્ર ATSએ આતંકી ઘટનાઓની શક્યતાને નકારી નથી

અહીંથી બોટ પર જવા માટે ટિકિટ કે પાસ હોય તેને જ જવા દેવામાં આવે છે. આ જગ્યા 26/11ના આતંકી હુમલાની સાક્ષી રહી છે. હરિહરેશ્વરના દરિયા કિનારે એક શંકાસ્પદ બોટ મળી આવવાના મામલામાં મહારાષ્ટ્ર ATSએ આર્મ્સ એક્ટ હેઠળ અજાણ્યા લોકો સામે કેસ નોંધ્યો છે. મહારાષ્ટ્ર એટીએસ બોટ સંબંધિત કંપની સાથે વાત કરીને આ મામલે સત્ય જાણવાનો પ્રયાસ કરી રહી છે. ATSએ અત્યાર સુધી કોઈ આતંકવાદી ઘટનાની શક્યતાને ન તો સ્વીકારી છે કે નકારી કાઢી છે. તેથી સાવચેતીના ભાગરૂપે ગેટવે ઓફ ઈન્ડિયાને પ્રવાસીઓ માટે બંધ કરી દેવામાં આવ્યો છે.

રાજ્ય પ્રશાસને સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવાના આદેશ આપ્યા છે

ગયા અઠવાડિયે ગુરુવારે (18 ઓગસ્ટ) સવારે રાયગઢ જિલ્લાના હરિહરેશ્વર-શ્રીવર્ધન બીચ પર એક શંકાસ્પદ બોટ મળી આવી હતી. આ બોટમાંથી ત્રણ એકે 47 રાઈફલ અને ઘણાં કારતૂસ મળી આવ્યા હતા. આ પછી રાજ્ય પ્રશાસને મુંબઈ સહિત રાજ્યભરમાં હાઈ એલર્ટ જાહેર કરી દીધું હતું. પરંતુ આ કેસમાં અધિકારીઓએ કોઈપણ આતંકવાદી કૃત્ય સાથે સંબંધિત પાસાઓનો ઉલ્લેખ કર્યો નથી. નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે આ બોટ એક ઓસ્ટ્રેલિયન મહિલાની છે જે મસ્કતથી યુરોપ ભટકીને અહીં પહોંચી હતી. પરંતુ તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને રાજ્ય પ્રશાસને સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવાના આદેશ આપ્યા હતા.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">