AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mumbai News : ગોરેગાંવ દુર્ઘટનાના પ્રત્યક્ષદર્શીઓનું વર્ણન અમે સૂતા હતા અને આગ ફાટી નીકળી, PM મોદીએ 2 લાખ રુપિયાની જાહેરાત કરી

આ સાથે સીએમ એકનાથ શિંદે (Eknath Shinde) આ મામલે તપાસ માટે હાઈ લેવલ કમિટીનું ગંઠન કર્યું છે. કોઈપણ સંજોગોમાં આ કમિટી ઘટનાની તપાસ પૂર્ણ કરીને 15 દિવસમાં સરકારને રિપોર્ટ સોંપશે. તમને જણાવી દઈએ કે આ અકસ્માતમાં 8 લોકોના મોતની સાથે 51 લોકો દાઝી ગયા છે. પાંચ લોકોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.

Mumbai News : ગોરેગાંવ દુર્ઘટનાના પ્રત્યક્ષદર્શીઓનું વર્ણન અમે સૂતા હતા અને આગ ફાટી નીકળી,  PM મોદીએ 2 લાખ રુપિયાની જાહેરાત કરી
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 06, 2023 | 1:49 PM
Share

મુંબઈના ગોરેગાંવ (Goregaon) સ્થિત 6 માળની ઈમારતમાં આગ લાગવાથી 8 જીવતા બળીને ખાખ થયા છે. ઘટના એટલી ભયાનક હતી કે, અંદાજે 51 લોકો બળી ગયા છે. ઈમારતની પાર્કિંગમાં રહેલી 4 કાર અને 30 મોટલ સાઈકલ પણ બળીને ખાખ થઈ હતી. હાલમાં આગનું કારણ સામે આવ્યું નથી. મુખ્યમંત્રી (CM)એ આ અક્સ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને 5 લાખ રુપિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે. સાથે કહ્યું કે, અક્સ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોની સારવાર તેમજ ખર્ચ આપવામાં આવશે.

આ પણ વાંચો : Breaking News Mumbai : મુંબઈના ગોરેગાંવમાં સાત માળની ઈમારતમાં લાગી આગ, 7 ના મોત, જુઓ Video

મૃતકોના પરિવાર માટે 2 લાખ રુપિયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મૃતકોના પરિવાર માટે 2 લાખ રુપિયા અને ઈજાગ્રસ્ત લોકોને 50 હજાર રુપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે.મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ગોરેગાંવ આગ દુર્ઘટનામાં મૃત્યુ પામલા લોકો માટે 5 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી છે. આ સાથે તેમણે ઘટનાની તપાસ માટે એક ઉચ્ચ લેવલ કમિટી બનાવવાનો આદેશ પણ આપ્યો છે. કહ્યું કે, આ કમિટી 15 દિવસમાં તપાસ રિપોર્ટ આપશે. ત્યાર બાદ આ મામલે આગળની કાર્યવાહી કરવામાં આવશે. અકસ્માતમાં દાઝી ગયેલા લોકોને ખર્ચે સારવાર આપવા જણાવ્યું છે.

આ ઘટનાની સુચના મળતા જ મુખ્યમંત્રી એકનાથ શિંદે તેમજ અધિકારીઓ સાથે વાત કરી.તેમણે કહ્યું કે તેઓ મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનરના સતત સંપર્કમાં છે.

આગનું ભયંકર સ્વરુપ ગણાવ્યું

અભિનેતા મનીષ ચતુર્વેદીએ આ મામલે આંખે જોયેલી ઘટના વર્ણવી છે. કહ્યું કે, સમગ્ર ઘટના અંદાજે 3 વાગ્યે બની હતી. તે સમયે તે એક પાર્ટી માટે ઘરે પરત જઈ રહ્યા હતા. તેમણે આ આગ જોતા આગનું ભયંકર સ્વરુપ ગણાવ્યું હતુ. તેમણે તાત્કાલિક ફાયર બ્રિગેડને ફોન કર્યો પરંતુ કોઈ રિસ્પોન્સ ન મળતા તેને પોલીસને ફોન કર્યો હતો.

મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
વરસાદની ઘટથી ગુજરાતમાં વધી ચિંતા, ખેડૂતો પરેશાન ! Video
વરસાદની ઘટથી ગુજરાતમાં વધી ચિંતા, ખેડૂતો પરેશાન ! Video
આજે આર્થિક સ્થિતિ મજબૂત બનશે પ્રોપર્ટીથી ભાગીદારી સુધી ક્યા મળશે ફાયદો
આજે આર્થિક સ્થિતિ મજબૂત બનશે પ્રોપર્ટીથી ભાગીદારી સુધી ક્યા મળશે ફાયદો
કલાકો લાઈનમાં ઉભા રહ્યા બાદ ખંભાળિયાના ખેડૂતોને ઘાસચારો ન મળતા રોષ
કલાકો લાઈનમાં ઉભા રહ્યા બાદ ખંભાળિયાના ખેડૂતોને ઘાસચારો ન મળતા રોષ
વાવ-થરાદ: કેનાલમાં પાણી છોડવાની માગ સાથે ખેડૂતોએ આપ્યુ આવેદનપત્ર
વાવ-થરાદ: કેનાલમાં પાણી છોડવાની માગ સાથે ખેડૂતોએ આપ્યુ આવેદનપત્ર
વંથલીના ખોરાસામાં ભવ્ય રીતે ઉજવાયો લઠ ઉત્સવ- જુઓ Video
વંથલીના ખોરાસામાં ભવ્ય રીતે ઉજવાયો લઠ ઉત્સવ- જુઓ Video
મા ની શોધમાં ભટકતું બચ્ચું! વાયરલ થયેલા વિડીયોએ લાખો લોકોને રોવડાવ્યા
મા ની શોધમાં ભટકતું બચ્ચું! વાયરલ થયેલા વિડીયોએ લાખો લોકોને રોવડાવ્યા
ST બસ સ્ટેન્ડ હત્યા કેસમાં ‘ખાટકી’ની સાન ઠેકાણે!
ST બસ સ્ટેન્ડ હત્યા કેસમાં ‘ખાટકી’ની સાન ઠેકાણે!
અમદાવાદના વસ્ત્રાલમાં જર્મન શેફર્ડે પાડોશી મહિલાને ભર્યું બચકું
અમદાવાદના વસ્ત્રાલમાં જર્મન શેફર્ડે પાડોશી મહિલાને ભર્યું બચકું
યુવકે ખોલી પીઠ ખંજવાળવાની દુકાન, મહિને કમાય છે ₹14 લાખ
યુવકે ખોલી પીઠ ખંજવાળવાની દુકાન, મહિને કમાય છે ₹14 લાખ
સુરતમાં જન્માષ્ટમીના દિવસે 30 જુગારીઓ સહિત 75,000નો મુદ્દામાલ કબજે !
સુરતમાં જન્માષ્ટમીના દિવસે 30 જુગારીઓ સહિત 75,000નો મુદ્દામાલ કબજે !
g clip-path="url(#clip0_868_265)">