મુંબઈની આ મેડિકલ કોલેજમાં કોરોના વિસ્ફોટ, 29 વિદ્યાર્થીઓ સંક્રમિત થતા આરોગ્ય વિભાગ દોડતુ થયુ

મુંબઈની એક મેડિકલ કોલેજમાં 29 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ મળ્યા છે, જેમાંથી બે વિદ્યાર્થીઓને સેવન હિલ્સ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે અન્ય વિદ્યાર્થીઓને આઈસોલેટ કરવામાં આવ્યા છે.

મુંબઈની આ મેડિકલ કોલેજમાં કોરોના વિસ્ફોટ, 29 વિદ્યાર્થીઓ સંક્રમિત થતા આરોગ્ય વિભાગ દોડતુ થયુ
29 students found corona positive in mumbai
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 30, 2021 | 3:08 PM

Maharashtra : રાજ્યમાં કોરોનાની બીજી લહેરની કળ વળી નથી,ત્યાં ત્રીજી લહેરના એંધાણ વર્તાય રહ્યા છે. મુંબઈની KEM અને શેઠ GS મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા 29 MBBS વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ (Positive) હોવાનું જાણવા મળ્યું છે. જેમાં 29 માંથી 23 વિદ્યાર્થીઓ MBBSના બીજા વર્ષના અને 6 વિદ્યાર્થીઓ પ્રથમ વર્ષના છે.

સંક્રમિત વિદ્યાર્થીઓને આઈસોલેટ કરવામાં આવ્યા

હાલ સંક્રમિત વિદ્યાર્થીઓમાંથી બે વિદ્યાર્થીઓને સેવન હિલ્સ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, જ્યારે અન્ય વિદ્યાર્થીઓને અલગ રાખવામાં આવ્યા છે. આ તમામ વિદ્યાર્થીઓ કેવી રીતે સંક્રમિત થયા તેની તપાસ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રના થાણેમાં પણ કોરોના વાયરસના (Corona Virus) 315 નવા કેસ નોંધાયા બાદ, આ જિલ્લામાં ચેપના કેસ વધીને 5,59,110 થઈ ગયા છે. રાજ્યમાં સતત વધતા કોરોના સંક્રમણે આરોગ્ય તંત્રની ચિંતા વધારી છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

થાણેમાં કોરોના સંક્રમણમાં સતત વધારો

તમને જણાવી દઈએ કે, મહારાષ્ટ્રના થાણેમાં કોરોના વાયરસના 315 નવા કેસ નોંધાયા બાદ, આ જિલ્લામાં (Thane District) ચેપના કેસ વધીને 5,59,110 થઈ ગયા છે. એક અધિકારીના જણાવ્યા અનુસાર, એક દિવસમાં વધુ ત્રણ દર્દીઓના મોત થતા જિલ્લામાં મૃત્યુઆંક વધીને 11,406 પર પહોંચ્યો છે.

કોરોના ડ્યુટી દરમિયાન જીવ ગુમાવનારાઓ માટે આર્થિક સહાય

મહારાષ્ટ્ર સરકારે રાજ્યના પોલીસ અધિકારીઓ અને અન્ય કર્મચારીઓના પરિવારો માટે 138 કરોડ રૂપિયાથી વધુની આર્થિક સહાય મંજૂર કરી છે, જેમણે કોરોના ડ્યુટી દરમિયાન જીવ ગુમાવ્યો છે,તેવા કર્મચારીઓના પરિવારને આ સહાય આપવામાં આવશે.એક વ્યક્તિએ કરેલી RTI (Right to Information) અંતર્ગત આ માહિતી મળી છે.

સરકાર દ્વારા આપવામાં આવતી સહાય અંગે RTI કરવામાં આવી હતી

ઉલ્લેખનીય છે કે,નાગપુરના નિવાસી સંજય થુલ નામના વ્યક્તિએ પોલીસ દળમાં કોરોનાવાયરસથી થયેલા કુલ મૃત્યુ અને મૃતકોના પરિવારને સરકાર દ્વારા આપવામાં આવતી સહાય અંગે માહિતીના અધિકાર (RTI) કાયદા હેઠળ વિગતો માંગી હતી. RTI હેઠળ આપવામાં આવેલી માહિતી અનુસાર, મહારાષ્ટ્ર સરકારે (Maharashtra Government) રાજ્યના આવા 277 પોલીસ અધિકારીઓના પરિવારો માટે 138.50 કરોડ રૂપિયા અને મુંબઈ પોલીસના 106 અધિકારીઓ અને કર્મચારીઓના પરિવાર માટે 53 કરોડ રૂપિયાની આર્થિક સહાય મંજૂર કરી છે.

આ પણ વાંચો: ગુલાબ બાદ શાહીનનું સંક્ટ ! મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યુ

આ પણ વાંચો:  Leopard Attack LIVE: હુમલાખોર દીપડા સાથે જાંબાઝ દાદીએ ભીડી બાથ, અને પછી થયું કંઈક આવું, જુઓ Video

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">