મુંબઈ-ગોવા હાઈવે પર અકસ્માત, કાર અને ટ્રકની ટક્કરમાં 9ના મોત

પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના રાયગઢ જિલ્લાના માનગાંવ નજીક મુંબઈ-ગોવા હાઈવે પર આજે સવારે લગભગ 5.30 વાગ્યે બની હતી. નવ લોકો ઈકો કારમાં મુંબઈથી ગોવા જઈ રહ્યા હતા.

મુંબઈ-ગોવા હાઈવે પર અકસ્માત, કાર અને ટ્રકની ટક્કરમાં 9ના મોત
Major accident on Mumbai Goa highway
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 19, 2023 | 9:12 AM

ગુરુવારે સવારે ઉઠતા પહેલા જ મુંબઈ-ગોવા હાઈવે પર એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં કાર અને ટ્રક વચ્ચે સામસામે ટક્કર થઈ હતી. જેમાં નવ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે એક ચાર વર્ષનો બાળક ગંભીર રીતે ઘાયલ થયો હતો. ગંભીર અકસ્માતની માહિતી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને રાહત કાર્ય શરૂ કર્યું હતું. સ્થાનિક લોકોની મદદથી ઈજાગ્રસ્ત બાળકને કારમાંથી બહાર કાઢી નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. પોલીસ અકસ્માતના કારણની તપાસ કરી રહી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના રાયગઢ જિલ્લાના માનગાંવ નજીક મુંબઈ-ગોવા હાઈવે પર આજે સવારે લગભગ 5.30 વાગ્યે બની હતી. નવ લોકો ઈકો કારમાં મુંબઈથી ગોવા જઈ રહ્યા હતા. દરમિયાન સામેથી આવતી ટ્રકની હેડલાઈટના પ્રકાશથી કારના ચાલકની આંખો અંજાઈ ગઈ હતી. જેના કારણે કાર ચાલકે વાહન પરનો કાબુ ગુમાવ્યો હતો અને થોડી જ વારમાં કાર પૂરપાટ ઝડપે આવતા ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર તમામે તમામ નવ લોકોના મોત થયા છે. મૃતકોમાં ચાર મહિલાઓ અને પાંચ પુરૂષોનો સમાવેશ થાય છે. જોકે, આ જ કારમાં સવાર ચાર વર્ષનો બાળક ગંભીર રીતે ઘાયલ થયા બાદ પણ બચી ગયો છે. તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

અગાઉ પણ અકસ્માતો થયા છે

આ પહેલા પણ મુંબઈ-ગોવા હાઈવે પર અનેક અકસ્માતો થઈ ચૂક્યા છે. ખાસ કરીને કોંકણ તરફ જતા રોડ પર દરરોજ અકસ્માતો થાય છે. પરિસ્થિતિને જોતા હાઈવે ઓથોરિટી દ્વારા આ હાઈવે પર સાઈનેજ અને બોર્ડ લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. પરંતુ સ્પીડ પર નિયંત્રણના અભાવે અકસ્માતો ઓછા થઈ રહ્યા છે.

ગયા અઠવાડિયે નાસિકમાં થયો હતો ગંભીર અકસ્માત

ગયા અઠવાડિયે નાસિક શિરડી હાઈવે પર આવો જ એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં 10 મુસાફરોના મોત થયા છે, જ્યારે 6 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટના ઉલ્હાસનગરથી શિરડી સાંઈ બાબા જઈ રહેલા ભક્તો સાથે બની હતી. આ તમામ શ્રદ્ધાળુઓ લક્ઝરી બસમાં મુસાફરી કરી રહ્યા હતા. આ બસમાં 50 મુસાફરો હાજર હતા.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">