Maharashtra: આજથી મહિલાઓને બસની ટિકિટમાં 50 ટકા ડિસ્કાઉન્ટ મળશે, બજેટમાં કરવામાં આવી હતી જાહેરાત

TV9 GUJARATI

|

Updated on: Mar 17, 2023 | 4:36 PM

રાજ્ય સરકારના આદેશથી રાજ્યમાં રાજ્ય પરિવહન બસોમાં મુસાફરી કરતી મહિલાઓ માટે ટિકિટના દરમાં 50 ટકા ડિસ્કાઉન્ટ લાગુ કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્રનું બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રી દેવેન્દ્ર ફડણવીસે વિધાનસભામાં આ જાહેરાત કરી હતી. મહારાષ્ટ્ર સન્માન યોજનાના નામથી કરવામાં આવેલી આ જાહેરાત આજથી સરકારી આદેશ દ્વારા લાગુ કરવામાં આવી છે.

Maharashtra: આજથી મહિલાઓને બસની ટિકિટમાં 50 ટકા ડિસ્કાઉન્ટ મળશે, બજેટમાં કરવામાં આવી હતી જાહેરાત

Mumbai: આજથી (17 માર્ચ, શુક્રવાર) મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (MSRTC)ની બસોમાં મહિલાઓ અડધી કિંમતે ટિકિટ લઈને મુસાફરી કરી રહી છે. રાજ્ય સરકારના આદેશથી રાજ્યમાં રાજ્ય પરિવહન બસોમાં મુસાફરી કરતી મહિલાઓ માટે ટિકિટના દરમાં 50 ટકા ડિસ્કાઉન્ટ લાગુ કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્રનું બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રી દેવેન્દ્ર ફડણવીસે વિધાનસભામાં આ જાહેરાત કરી હતી. મહારાષ્ટ્ર સન્માન યોજનાના નામથી કરવામાં આવેલી આ જાહેરાત આજથી સરકારી આદેશ દ્વારા લાગુ કરવામાં આવી છે.

મહિલાઓને બસની ટિકિટમાં 50 ટકા ડિસ્કાઉન્ટ મળશે

જણાવી દઈએ કે MSRTC બસોમાં મુસાફરી કરવા માટે 30 વિવિધ સામાજિક ઘટકોને પહેલાથી જ ભાડામાં છૂટ આપવામાં આવી રહી છે. રાજ્ય સરકાર આ વિવિધ પ્રકારના લોકો માટે ટિકિટના દરમાં 33 થી 100 ટકા રાહત આપી રહી છે. હવે તેમાં મહિલાઓ માટે ટિકિટના દરમાં 50 ટકા ડિસ્કાઉન્ટની સુવિધા ઉમેરવામાં આવી છે.

વૃદ્ધો અને અન્ય વિશેષ લોકોને પહેલાથી જ છૂટ મળતી હતી અને હવે મહિલાઓ પણ સામેલ

અગાઉ આઝાદીના 75 વર્ષ પૂર્ણ થતાં રાજ્ય સરકારે વરિષ્ઠ નાગરિકો માટે તમામ પ્રકારની બસોમાં મફત મુસાફરીની સુવિધા અમલમાં મૂકી છે. જેમની ઉંમર 65 થી 75 વર્ષની વચ્ચે છે, તેઓને ટિકિટની અડધી કિંમત એટલે કે ટિકિટના દરમાં 50 ટકા ડિસ્કાઉન્ટ લઈને મુસાફરી કરવાની છૂટ છે. આ અલગ-અલગ મુક્તિઓને કારણે રાજ્ય વાહનવ્યવહાર નિગમને થયેલા નુકસાનનું વળતર રાજ્ય સરકાર પોતાની તિજોરીમાંથી ભરશે.

બસમાં અડધી ટિકિટ મુસાફરી યોજનાથી મહિલાઓ માટે નવો ટિકિટ દર લાગુ

મહિલાઓ માટે ટિકિટ દરમાં 50 ટકા રાહત સાથે મુસાફરી કરવાની યોજના 9 માર્ચે જ જાહેર કરવામાં આવી હતી. પરંતુ તેનો અમલ ન થવાને કારણે રાજ્યના અનેક ભાગોમાં બસમાં મુસાફરી કરતી કેટલીક મહિલાઓ ફસાઈ ગઈ હતી. તેઓ ટિકિટ આપવા તૈયાર ન હતા.

આ યોજના 1 એપ્રિલથી અમલી થવા જઈ રહી છે તે વાતને સમજાવવામાં કંડક્ટરોને ભારે મુશ્કેલી પડી રહી હતી. પરંતુ મહિલાઓ આ સાંભળવા તૈયાર ન હતી. લાતુર જિલ્લાના રેનાપુરમાં એક મહિલાના સંબંધીઓએ ટિકિટના પૈસાની માંગણી પર કંડક્ટરને માર મારીને ઇજા પહોંચાડી હતી. વધુ મૂંઝવણ ટાળવા માટે આજથી જ આ યોજનાનો અમલ કરવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati