AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maha Infra Conclave: મુંબઈથી નાગપુર સુધી ઝડપથી બદલાઈ રહ્યું છે ચિત્ર, શહેરી વિકાસ મંત્રીએ કહ્યું કે 2025માં કેવી રીતે બદલાઈ જશે મહારાષ્ટ્ર

મુંબઈ અને નાગપુર વચ્ચે સમૃદ્ધિ મહામાર્ગ નામનો 701 કિલોમીટરનો હાઈવે બનાવવામાં આવી રહ્યો છે. તેની આસપાસ 6 ઔદ્યોગિક કેન્દ્રો વિકસાવવામાં આવી રહ્યા છે. તેનાથી શહેરો અને ગામડાઓની કનેક્ટિવિટી તો વધશે જ પરંતુ આ પ્રોજેક્ટથી ઉદ્યોગ અને રોજગારમાં ઝડપથી વધારો થશે. મહારાષ્ટ્રના શહેરી વિકાસ મંત્રીએ TV9 મહા ઈન્ફ્રા કોન્ક્લેવને સંબોધિત કરતી વખતે જણાવ્યું હતું.

Maha Infra Conclave: મુંબઈથી નાગપુર સુધી ઝડપથી બદલાઈ રહ્યું છે ચિત્ર, શહેરી વિકાસ મંત્રીએ કહ્યું કે 2025માં કેવી રીતે બદલાઈ જશે મહારાષ્ટ્ર
Maharashtra Urban Development Minister Eknath Shinde
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 22, 2022 | 9:01 PM
Share

આગામી ત્રણ વર્ષમાં મહારાષ્ટ્રનું ચિત્ર સંપૂર્ણપણે બદલાઈ જશે. 2025 સુધીમાં મહારાષ્ટ્રનું કાયાકલ્પ (Maharashtra in 2025) થવા જઈ રહ્યું છે. મુંબઈ અને નાગપુર વચ્ચે સમૃદ્ધિ મહામાર્ગ નામનો 701 કિલોમીટરનો હાઈવે બનાવવામાં આવી રહ્યો છે. હજારો કરોડના આ પ્રોજેક્ટથી મુંબઈથી નાગપુરની મુસાફરી 8 કલાકમાં પૂરી કરી શકાશે. આનાથી નાગપુર સાથેની કનેક્ટિવિટી તો વધશે જ, પરંતુ આ બે મોટા શહેરો વચ્ચે આવતા વિસ્તારોની આસપાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ઝડપી વિકાસ પણ થશે. 6 ઔદ્યોગિક કેન્દ્રો વિકસાવવામાં આવશે. દરેક ચાલીસ કિલોમીટરે ચાર્જિંગ પોઈન્ટની વ્યવસ્થા કરવામાં આવશે. તેનાથી ઉદ્યોગ વધશે, રોજગારી વધશે. સમગ્ર મહારાષ્ટ્રના ગામડાઓને રસ્તા દ્વારા મોટા શહેરો સાથે જોડવામાં આવશે. આ પ્રોજેક્ટ પર 20 હજાર લોકો દિવસ-રાત કામ કરી રહ્યા છે. સમૃદ્ધિ હાઇવે ત્રણ તબક્કામાં તૈયાર કરવામાં આવી રહ્યો છે.

ટૂંક સમયમાં તે પૂર્ણ થવા જઈ રહ્યું છે.તેમજ ઘણા વધુ મહત્વાકાંક્ષી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ ઝડપી ગતિએ તૈયાર થઈ રહ્યા છે. આના કારણે મહારાષ્ટ્ર કેટલી ઝડપથી બદલાઈ રહ્યું છે. તે અંગે મહારાષ્ટ્રના શહેરી વિકાસ મંત્રી એકનાથ શિંદેએ માહિતી આપી હતી. તેઓ અમારી પાર્ટનર ન્યૂઝ ચેનલ TV9 મરાઠી દ્વારા આયોજિત મહા ઈન્ફ્રા કોન્ક્લેવમાં બોલી રહ્યા હતા.

કોન્ક્લેવનું ઉદ્ઘાટન એકનાથ શિંદેએ કર્યું હતું. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે, દેશનું આર્થિક ભાવિ ઘણી હદ સુધી રસ્તાઓ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ પર નિર્ભર છે. એકનાથ શિંદેએ કહ્યું કે પુણેમાં પણ રીંગરોડ તૈયાર કરવામાં આવી રહ્યો છે.આ પુણેની નજીકના જિલ્લાઓને જોડશે. આ સાથે, જે વાહનો પુણે થઈને આગળ વધે છે, તેમને હવે પુણેની અંદર આવવાની જરૂર રહેશે નહીં. તેઓ રિંગરોડ થઈને જ નિકળી શકશે.

મુંબઈ A થી Z દરિયા કિનારા સાથે જોડાશે, કોસ્ટલ રોડ ચિત્ર બદલશે

ટ્રાફિક જામ મુંબઈની મોટી સમસ્યા છે. મુંબઈના દરિયા કિનારેથી બની રહેલા કોસ્ટલ રોડથી આ સમસ્યામાંથી છૂટકારો મળશે. એકનાથ શિંદેએ કહ્યું કે કોસ્ટલ રોડ મુખ્યમંત્રીનો ડ્રીમ પ્રોજેક્ટ છે. આ કામ 2023 સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે. આ ઉપરાંત મુંબઈથી સિંધુદુર્ગ સુધી ગ્રીન ફિલ્ડ રોડનો પ્રસ્તાવ છે. આ પ્રોજેક્ટ ભવિષ્યમાં પ્રવાસન ક્ષેત્રને વેગ આપવા માટે પણ ખૂબ મદદરૂપ થશે.

ગઢચિરોલીને નક્સલવાદથી મુક્તિ મળશે, ખેડૂતોની FSI વધશે

શહેરી વિકાસ મંત્રીએ કહ્યું કે મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લાનો વિકાસ નક્સલવાદીઓના કારણે થઈ રહ્યો નથી. પરંતુ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ વિના કોઈ પણ ક્ષેત્ર પ્રગતિ કરી શકતું નથી. આથી મહારાષ્ટ્ર સરકારે ફરી એકવાર ગઢચિરોલીના વિકાસ કાર્યો શરૂ કરવાની પહેલ કરી છે. આ સાથે ખેડૂતો માટે એફએસઆઈમાં પણ વધારો કરવામાં આવ્યો છે. અત્યાર સુધી તેને 0.2 FSI મળતી હતી

મુંબઈમાં ઘર ખરીદનારા વધ્યા, વધી રહ્યો છે રિયલ એસ્ટેટનો બિઝનેસ

મહા ઈન્ફ્રા કોન્ક્લેવમાં એકનાથ શિંદેએ કહ્યું કે મુંબઈમાં ઘર ખરીદનારાઓની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. મહા વિકાસ આઘાડી સરકારના કેટલાક નિર્ણયોને કારણે રિયલ એસ્ટેટનો વ્યવસાય કરતા લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો છે. આ અંગે વિપક્ષે હોબાળો મચાવ્યો હતો. પરંતુ આનાથી માત્ર રિયલ એસ્ટેટના અર્થતંત્રને વેગ મળ્યો નથી પરંતુ ઘર ખરીદનારાઓનો ઉત્સાહ પણ વધ્યો છે. આ સાથે જ સરકારી તિજોરીમાં પણ વધારો થયો.

આ પણ વાંચો : Maharashtra: થાણે પોલીસે NCBના ભૂતપૂર્વ ઝોનલ ડિરેક્ટર વિરુદ્ધ છેતરપિંડીની FIR નોંધી, સમીર વાનખેડેએ હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">