બોમ્બે હાઈકોર્ટે મહારાષ્ટ્ર સરકારને પૂછ્યું- શું રસીકરણ ન કરાવનારા મુસાફરો પર લોકલ ટ્રેનો પરનો પ્રવાસ પ્રતિબંધ પાછો ખેંચાશે?

કોર્ટને લાગ્યું હતું કે રસી વગરના લોકોને લોકલ ટ્રેનમાં મુસાફરી કરવાથી રોકવાનો નિર્ણય તત્કાલિન મુખ્ય સચિવ સીતારામ કુંટે દ્વારા એક તરફી લેવામાં આવ્યો હતો.

બોમ્બે હાઈકોર્ટે મહારાષ્ટ્ર સરકારને પૂછ્યું- શું રસીકરણ ન કરાવનારા મુસાફરો પર લોકલ ટ્રેનો પરનો પ્રવાસ પ્રતિબંધ પાછો ખેંચાશે?
Bombay High Court - File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 21, 2022 | 10:43 PM

બોમ્બે હાઈકોર્ટે (Bombay High Court) સોમવારે મહારાષ્ટ્ર સરકારને પૂછ્યું કે શું તે ગત વર્ષે જાહેર કરાયેલ તેની સૂચનાઓ પાછી ખેંચવા તૈયાર છે કે જેમણે કોવિડ વિરોધી રસી ન અપાઈ હોય તેવા લોકોને લોકલ ટ્રેનોમાં મુસાફરી કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. મુખ્ય ન્યાયાધીશ દીપાંકર દત્તાએ કહ્યું, “જે વીતી ગયું છે તેને જવા દો. એક નવી શરૂઆત થવા દો.” તેમણે વધુમાં જણાવ્યું હતું કે રાજ્યના મુખ્ય સચિવ દેબાશિષ ચક્રવર્તી મંગળવારે કોર્ટને જાણ કરશે કે શું રાજ્ય સરકાર ફક્ત સંપૂર્ણ રસીવાળા લોકોને જ ઉપનગરીય ટ્રેનોમાં મુસાફરી કરવાની મંજૂરી આપવાનો નિર્ણય પાછો ખેંચશે કે કેમ. જસ્ટિસ દત્તા અને જસ્ટિસ એમએસ કર્ણિકની ડિવિઝન બેંચ બે પીઆઈએલની સુનાવણી કરી રહી હતી.

જેમાં એવી માંગ કરવામાં આવી હતી કે મુંબઈ મેટ્રોપોલિટન રિજન (એમએમઆર) ના તમામ લોકોને તેમની કોવિડ વિરોધી રસીકરણની સ્થિતિને ધ્યાનમાં લીધા વિના લોકલ ટ્રેનોમાં મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવે. ગયા વર્ષે જુલાઈ અને ઓગસ્ટમાં મહારાષ્ટ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી ત્રણ સૂચનાઓને પડકારતી પીઆઈએલમાં, જેમાં રસીકરણ વિનાના લોકોને મુંબઈની લાઈફલાઈન કહેવાતી લોકલ ટ્રેનમાં મુસાફરી કરતા અટકાવવામાં આવ્યા હતા.

એક પક્ષીય નિર્ણય હતો

છેલ્લી સુનાવણી દરમિયાન હાઈકોર્ટે રાજ્ય સરકાર પાસેથી ત્રણ નોટિફિકેશનની ફાઈલો માંગી હતી જેને પડકારવામાં આવી હતી. કોર્ટને લાગ્યું હતું કે રસી વગરના લોકોને લોકલ ટ્રેનમાં મુસાફરી કરવાથી રોકવાનો નિર્ણય તત્કાલિન મુખ્ય સચિવ સીતારામ કુંટે દ્વારા એક તરફી લેવામાં આવ્યો હતો.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

કોર્ટે સોમવારે કહ્યું, “મુખ્ય સચિવે આદેશ (આવા પ્રતિબંધની સૂચના) પાછો ખેંચવો પડશે. તેમના પુરોગામી (કુંટે)એ જે કંઈ કર્યું છે તે કાયદાને અનુરૂપ નથી.” કોર્ટે કહ્યું, “તેને પાછું લો અને લોકોને મંજૂરી આપો. હવે કોવિડ-19ની સ્થિતિમાં સુધારો થયો છે. મહારાષ્ટ્રે તેને ખૂબ સારી રીતે સંભાળ્યું છે. તમે શા માટે બદનામી લેવા માંગો છો?” કોર્ટે કહ્યું કે સરકારે સમજદાર બનવું જોઈએ અને આ મુદ્દાને પ્રતિકૂળ મુકદ્દમા તરીકે ન લેવો જોઈએ. આ સાથે તેમણે મુખ્ય સચિવને મંગળવાર બપોર સુધીમાં જવાબ દાખલ કરવા જણાવ્યું છે.

આ પણ વાંચો :  Maharashtra: ‘હું પાટીલ છું, પાટીલ, સંજય રાઉત કરતાં પણ ખતરનાક ભાષામાં જવાબ આપી શકું છું’, ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે શિવસેના પર કર્યો પ્રહાર

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">