શિવસેના સંકટમાં આવતા જ ઉદ્ઘવ ઠાકરેએ ચલાવ્યું હિન્દુત્વ કાર્ડ! મહારાષ્ટ્રની આ જગ્યાઓના નામ બદલ્યા
સીએમ ઉદ્ધવ ઠાકરેએ આજે સાંજે 5 વાગ્યે કેબિનેટની બેઠક બોલાવી હતી. જે લગભગ દોઢ કલાક સુધી ચાલી હતી. ગઈકાલે જ મળેલી બેઠકમાં શિવસેના વતી પરિવહન પ્રધાન અનિલ પરબે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ બુધવારે મળનારી કેબિનેટ બેઠકમાં ઔરંગાબાદ ટ્રાન્સફરનો મુદ્દો ઉઠાવશે.
મહારાષ્ટ્ર કેબિનેટની બેઠકમાં (Maharashtra Cabinet Meeting) આજે (29 જૂન, બુધવાર) ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. શિવસેનાના ઔરંગાબાદનું નામ બદલીને ‘સંભાજીનગર’ અને ઉસ્માનાબાદનું નામ ‘ધારાશિવ’ રાખવાના પ્રસ્તાવને બેઠકમાં મંજૂરી આપવામાં આવી છે. તેમજ નવી મુંબઈ એરપોર્ટનું નામ દિ.બા. પાટીલના નામ પરથી રાખવામાં આવશે. આ સિવાય કોંગ્રેસ દ્વારા પૂણે શહેરનું નામ જીજૌનગર અને શિવડી-ન્વાશેવા સી લિંકનું નામ પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા અબ્દુલ રહેમાન અંતુલેના નામ પર રાખવાની માંગ કરવામાં આવી હતી. હાલમાં ઔરંગાબાદનું નામ સંભાજીનગર અને ઉસ્માનાબાદ શહેરનું નામ બદલવાની મંજૂરી આપવામાં આવી છે. આ સિવાય નવી મુંબઈ એરપોર્ટનું નામ પણ દિ.બા. પાટીલના નામ પર રાખવા માટે મંજૂરી આપવામાં આવી છે. બેઠકના અંતે સીએમ ઉદ્ધવ ઠાકરેએ (CM Uddhav Thackeray) તમામ સહયોગી પક્ષોના સભ્યોનો વિશેષ આભાર વ્યક્ત કર્યો અને કહ્યું કે મને મારા જ લોકો દ્વારા દગો આપવામાં આવ્યો છે.
Maharashtra state cabinet approves the renaming of Aurangabad to Sambhaji Nagar and Osmanabad to Dharashiv. Navi Mumbai Airport’s name will be changed to DB Patil International Airport.
— Tv9 Gujarati (@tv9gujarati) June 29, 2022
સીએમ ઉદ્ધવ ઠાકરેએ આજે સાંજે 5 વાગ્યે કેબિનેટની બેઠક બોલાવી હતી. જે લગભગ દોઢ કલાક સુધી ચાલી હતી. ગઈકાલે જ મળેલી બેઠકમાં શિવસેના વતી પરિવહન પ્રધાન અનિલ પરબે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ બુધવારે મળનારી કેબિનેટ બેઠકમાં ઔરંગાબાદ ટ્રાન્સફરનો મુદ્દો ઉઠાવશે. આજે શિવસેના દ્વારા આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો, જેને કોંગ્રેસ અને એનસીપીના મંત્રીઓએ પણ સ્વીકાર્યો હતો.
ભૂલ થઈ હોય તો માફ કરજો, પોતાના લોકોએ આપ્યો દગો, તમે આપ્યો સાથ
કેબિનેટની બેઠક બાદ એનસીપીના પ્રદેશ અધ્યક્ષ જયંત પાટીલે કહ્યું ‘મુખ્યમંત્રીએ અત્યાર સુધી મહા વિકાસ અઘાડી સરકાર ખૂબ સારી રીતે ચલાવી છે. તેમણે આજે ત્રણેય પક્ષો (શિવસેના, કોંગ્રેસ, એનસીપી)ના સાથી પક્ષોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે મને બંને પક્ષો (એનસીપી-કોંગ્રેસ)નું સમર્થન મળ્યું છે, પરંતુ મારા જ પક્ષના લોકોએ મને સમર્થન આપ્યું નથી.” જયંત પાટીલે વધુમાં કહ્યું કે કોર્ટના નિર્ણય બાદ બહુમત પરીક્ષણ કરવામાં આવશે.
ઔરંગાબાદનું નામ બદલીને સંભાજીનગર કરવાના મુદ્દે કોંગ્રેસ નેતાએ કેબિનેટની બેઠક બાદ કહ્યું, ‘કોંગ્રેસે ક્યારેય છત્રપતિ શિવાજી મહારાજ અને સંભાજી મહારાજના નામનો વિરોધ કર્યો નથી. તેથી અમે ઔરંગાબાદનું નામ બદલીને સંભાજીનગર કરવાનો વિરોધ નહીં કરીએ.
કેબિનેટની બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા
1. ઔરંગાબાદ શહેરનું નામ બદલીને ‘સંભાજી નગર’ કરવાની મંજૂરી
2. ઉસ્માનાબાદ શહેરનું નામ બદલીને ‘ધારાશિવ’ રાખવાની મંજૂરી
3. નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટનું નામ લોકનેતા સ્વ. દી.બી.પાટીલ ઈન્ટરનેશનલ એરપોર્ટ તરીકે બદલવાની મંજૂરી આપવામાં આવી છે.