AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra Floor Test: શિવસેના પર વધુ એક સંકટ, MVAના આ 4 ધારાસભ્ય ફ્લોર ટેસ્ટમાં વોટ આપશે કે નહીં તે મોટો પ્રશ્ન

રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીના આદેશ અનુસાર આવતીકાલે સવારે 11થી સાંજે 5 વાગ્યા સુધી ફ્લોર ટેસ્ટ યોજાશે. રાજ્યપાલના નિર્ણય સામે શિવસેના સુપ્રીમ કોર્ટમાં ગઈ છે. આ અંગે સુપ્રીમ કોર્ટમાં સાંજે 5 વાગ્યે સુનાવણી થવાની છે.

Maharashtra Floor Test: શિવસેના પર વધુ એક સંકટ, MVAના આ 4 ધારાસભ્ય ફ્લોર ટેસ્ટમાં વોટ આપશે કે નહીં તે મોટો પ્રશ્ન
Uddhav Thackeray ( file photo)Image Credit source: File Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 29, 2022 | 5:36 PM
Share

આવતીકાલે મહારાષ્ટ્રમાં ફ્લોર ટેસ્ટ (Maharashtra Floor Test) થઈ શકે છે. જો કે આ મામલે હજુ સુપ્રીમ કોર્ટે કોઈ આદેશ આપ્યો નથી. આ બહુમત પરીક્ષણ સાબિત કરશે કે ઠાકરે સરકાર રહેશે કે જશે? એકનાથ શિંદે (Eknath Shinde) જૂથના ધારાસભ્યો આવતીકાલે મુંબઈ પહોંચી રહ્યા છે. તેઓ આવતીકાલે મહારાષ્ટ્રમાં બહુમત પરીક્ષણમાં મતદાન કરશે. ગુવાહાટીથી ગોવા જતા પહેલા એકનાથ શિંદેએ આજે ​​(29 જૂન, બુધવાર) ફરી એકવાર મીડિયાને કહ્યું કે તેમની પાસે 50 ધારાસભ્યોનું સમર્થન છે. આ દરમિયાન, મહાવિકાસ અઘાડી માટે વધુ એક સંકટ છે. એનસીપીના ચાર ધારાસભ્યોના વોટિંગ પર સવાલ છે. નાયબ મુખ્યપ્રધાન અજિત પવાર અને મંત્રી છગન ભુજબળ (Chhagan Bhujbal) કોરોના સામે લડી રહ્યા છે અને પૂર્વ ગૃહપ્રધાન અનિલ પરબ અને મંત્રી નવાબ મલિક જેલમાં છે. અનિલ દેશમુખ અને નવાબ મલિકે સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને મતદાન કરવાની પરવાનગી માંગી છે. જોવાનું એ રહેશે કે સુપ્રીમ કોર્ટ આ અંગે શું નિર્ણય કરે છે.

રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીના આદેશ અનુસાર આવતીકાલે સવારે 11થી સાંજે 5 વાગ્યા સુધી ફ્લોર ટેસ્ટ યોજાશે. રાજ્યપાલના નિર્ણય સામે શિવસેના સુપ્રીમ કોર્ટમાં ગઈ છે. આ અંગે સુપ્રીમ કોર્ટમાં સાંજે 5 વાગ્યે સુનાવણી થવાની છે. નિર્ણય ઠાકરે સરકારની તરફેણમાં આવે છે કે બહુમતી સાબિત કરવી જરૂરી છે તે તો આજે સાંજે જ ખબર પડશે. પરંતુ જો બહુમતી સાબિત કરવી પડશે તો મહા વિકાસ આઘાડીના આ ચાર મતોનું શું થશે, તે મોટો પ્રશ્ન છે.

શિવસેનાના 39 ધારાસભ્યો અને 7 અપક્ષ ધારાસભ્યો બાદ હવે નવું ટેન્શન

જ્યારે વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસ ગઈકાલે રાજ્યપાલને મળ્યા, ત્યારે તેમણે દાવો કર્યો હતો કે શિવસેનાના 39 ધારાસભ્યોએ ઠાકરે સરકારનો ટેકો લીધો છે. આ સિવાય 7 ધારાસભ્યોએ પત્ર લખીને સ્પષ્ટ કર્યું છે કે તેઓ અઘાડી સરકારનું સમર્થન પાછું ખેંચી લે. આ પછી હવે એનસીપીના આ 4 ધારાસભ્યોના વોટિંગ પર શંકા ઉભી થઈ છે. એટલે કે આઘાડી સરકાર 50 મતોથી ઘટતી જોવા મળી રહી છે.

તમને જણાવી દઈએ કે 10 જૂને રાજ્યસભાની ચૂંટણી અને 20 જૂને વિધાન પરિષદની ચૂંટણી દરમિયાન અનિલ દેશમુખ અને નવાબ મલિકે કોર્ટનો સંપર્ક કર્યો હતો અને મતદાન કરવાની પરવાનગી માંગી હતી. નીચલી અદાલતો પછી સુપ્રીમ કોર્ટે પણ તેમને મતદાન કરવાની મંજૂરી આપી નથી.

Follow Us
પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણનો વડોદરાના જમીન વિવાદ મામલે હાઈકોર્ટમાં
પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણનો વડોદરાના જમીન વિવાદ મામલે હાઈકોર્ટમાં
રાજકોટ મેયર પદની રેસ તેજ, સંભવિત નામો અને જ્ઞાતિગત સમીકરણો ચર્ચામાં
રાજકોટ મેયર પદની રેસ તેજ, સંભવિત નામો અને જ્ઞાતિગત સમીકરણો ચર્ચામાં
અમદાવાદના મેયર કોણ બનશે? કયા પ્રમુખ નામો હાલ ચર્ચામાં
અમદાવાદના મેયર કોણ બનશે? કયા પ્રમુખ નામો હાલ ચર્ચામાં
કિર્તીદાન ગઢવીની મુશ્કેલી વધી: માર મારવાના આક્ષેપમાં હાઇકોર્ટની નોટિસ
કિર્તીદાન ગઢવીની મુશ્કેલી વધી: માર મારવાના આક્ષેપમાં હાઇકોર્ટની નોટિસ
સગીરાનું જીવન નરક બનાવનાર નરાધમને 20 વર્ષની સજા
સગીરાનું જીવન નરક બનાવનાર નરાધમને 20 વર્ષની સજા
વટવામાં 35 વર્ષ જૂની હત્યાનો ભેદ ઉકેલાશે? શબનમના અવશેષો શોધવા ખોદકામ
વટવામાં 35 વર્ષ જૂની હત્યાનો ભેદ ઉકેલાશે? શબનમના અવશેષો શોધવા ખોદકામ
ગળતેશ્વર મંદિરના નામ પાછળનો શું છે ઈતિહાસ ? જાણો આખી વાર્તા
ગળતેશ્વર મંદિરના નામ પાછળનો શું છે ઈતિહાસ ? જાણો આખી વાર્તા
SSG હોસ્પિટલમાં તંત્રની બેદરકારી, મૃતદેહ સડી ગયાની ફરિયાદ
SSG હોસ્પિટલમાં તંત્રની બેદરકારી, મૃતદેહ સડી ગયાની ફરિયાદ
લૂંટારુઓ વેલંજા, કઠોરના ગ્રામ્ય વિસ્તારમાં છુપાયાની શંકા
લૂંટારુઓ વેલંજા, કઠોરના ગ્રામ્ય વિસ્તારમાં છુપાયાની શંકા
ઉમેદવાર પર સોના-ચાંદીની નોટોનો વરસાદ, જુઓ Video
ઉમેદવાર પર સોના-ચાંદીની નોટોનો વરસાદ, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">