AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra Floor Test: શિવસેના પર વધુ એક સંકટ, MVAના આ 4 ધારાસભ્ય ફ્લોર ટેસ્ટમાં વોટ આપશે કે નહીં તે મોટો પ્રશ્ન

રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીના આદેશ અનુસાર આવતીકાલે સવારે 11થી સાંજે 5 વાગ્યા સુધી ફ્લોર ટેસ્ટ યોજાશે. રાજ્યપાલના નિર્ણય સામે શિવસેના સુપ્રીમ કોર્ટમાં ગઈ છે. આ અંગે સુપ્રીમ કોર્ટમાં સાંજે 5 વાગ્યે સુનાવણી થવાની છે.

Maharashtra Floor Test: શિવસેના પર વધુ એક સંકટ, MVAના આ 4 ધારાસભ્ય ફ્લોર ટેસ્ટમાં વોટ આપશે કે નહીં તે મોટો પ્રશ્ન
Uddhav Thackeray ( file photo)Image Credit source: File Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 29, 2022 | 5:36 PM
Share

આવતીકાલે મહારાષ્ટ્રમાં ફ્લોર ટેસ્ટ (Maharashtra Floor Test) થઈ શકે છે. જો કે આ મામલે હજુ સુપ્રીમ કોર્ટે કોઈ આદેશ આપ્યો નથી. આ બહુમત પરીક્ષણ સાબિત કરશે કે ઠાકરે સરકાર રહેશે કે જશે? એકનાથ શિંદે (Eknath Shinde) જૂથના ધારાસભ્યો આવતીકાલે મુંબઈ પહોંચી રહ્યા છે. તેઓ આવતીકાલે મહારાષ્ટ્રમાં બહુમત પરીક્ષણમાં મતદાન કરશે. ગુવાહાટીથી ગોવા જતા પહેલા એકનાથ શિંદેએ આજે ​​(29 જૂન, બુધવાર) ફરી એકવાર મીડિયાને કહ્યું કે તેમની પાસે 50 ધારાસભ્યોનું સમર્થન છે. આ દરમિયાન, મહાવિકાસ અઘાડી માટે વધુ એક સંકટ છે. એનસીપીના ચાર ધારાસભ્યોના વોટિંગ પર સવાલ છે. નાયબ મુખ્યપ્રધાન અજિત પવાર અને મંત્રી છગન ભુજબળ (Chhagan Bhujbal) કોરોના સામે લડી રહ્યા છે અને પૂર્વ ગૃહપ્રધાન અનિલ પરબ અને મંત્રી નવાબ મલિક જેલમાં છે. અનિલ દેશમુખ અને નવાબ મલિકે સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને મતદાન કરવાની પરવાનગી માંગી છે. જોવાનું એ રહેશે કે સુપ્રીમ કોર્ટ આ અંગે શું નિર્ણય કરે છે.

રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીના આદેશ અનુસાર આવતીકાલે સવારે 11થી સાંજે 5 વાગ્યા સુધી ફ્લોર ટેસ્ટ યોજાશે. રાજ્યપાલના નિર્ણય સામે શિવસેના સુપ્રીમ કોર્ટમાં ગઈ છે. આ અંગે સુપ્રીમ કોર્ટમાં સાંજે 5 વાગ્યે સુનાવણી થવાની છે. નિર્ણય ઠાકરે સરકારની તરફેણમાં આવે છે કે બહુમતી સાબિત કરવી જરૂરી છે તે તો આજે સાંજે જ ખબર પડશે. પરંતુ જો બહુમતી સાબિત કરવી પડશે તો મહા વિકાસ આઘાડીના આ ચાર મતોનું શું થશે, તે મોટો પ્રશ્ન છે.

શિવસેનાના 39 ધારાસભ્યો અને 7 અપક્ષ ધારાસભ્યો બાદ હવે નવું ટેન્શન

જ્યારે વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસ ગઈકાલે રાજ્યપાલને મળ્યા, ત્યારે તેમણે દાવો કર્યો હતો કે શિવસેનાના 39 ધારાસભ્યોએ ઠાકરે સરકારનો ટેકો લીધો છે. આ સિવાય 7 ધારાસભ્યોએ પત્ર લખીને સ્પષ્ટ કર્યું છે કે તેઓ અઘાડી સરકારનું સમર્થન પાછું ખેંચી લે. આ પછી હવે એનસીપીના આ 4 ધારાસભ્યોના વોટિંગ પર શંકા ઉભી થઈ છે. એટલે કે આઘાડી સરકાર 50 મતોથી ઘટતી જોવા મળી રહી છે.

તમને જણાવી દઈએ કે 10 જૂને રાજ્યસભાની ચૂંટણી અને 20 જૂને વિધાન પરિષદની ચૂંટણી દરમિયાન અનિલ દેશમુખ અને નવાબ મલિકે કોર્ટનો સંપર્ક કર્યો હતો અને મતદાન કરવાની પરવાનગી માંગી હતી. નીચલી અદાલતો પછી સુપ્રીમ કોર્ટે પણ તેમને મતદાન કરવાની મંજૂરી આપી નથી.

ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
Breaking News : આકાશમાંથી પેરાશુટ લઇને યુવક વીજ વાયર પર પડ્યો
Breaking News : આકાશમાંથી પેરાશુટ લઇને યુવક વીજ વાયર પર પડ્યો
જીવનસાથી સાથે શોપિંગ કરવાની મજા આવશે, કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખો
જીવનસાથી સાથે શોપિંગ કરવાની મજા આવશે, કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખો
BMC અને વસઈ-વિરાર કોર્પોરેશનમા રાજકીય પક્ષોને યુવા ઉમેદવારો પર વિશ્વાસ
BMC અને વસઈ-વિરાર કોર્પોરેશનમા રાજકીય પક્ષોને યુવા ઉમેદવારો પર વિશ્વાસ
ગુજરાતમાં ફરીથી પાટીદાર કાર્ડ રમવાની હાર્દિક પટેલની મંછા ! જુઓ વીડિયો
ગુજરાતમાં ફરીથી પાટીદાર કાર્ડ રમવાની હાર્દિક પટેલની મંછા ! જુઓ વીડિયો
દૂષિત પાણીનો કહેર, ઉધનાના અમૃતનગરમાં રોગચાળાના ભયથી સ્થાનિકોમાં ફફડાટ
દૂષિત પાણીનો કહેર, ઉધનાના અમૃતનગરમાં રોગચાળાના ભયથી સ્થાનિકોમાં ફફડાટ
g clip-path="url(#clip0_868_265)">