AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra: ST કર્મચારીઓની હડતાળ બની ઉગ્ર, જનશક્તિ સંગઠનના કાર્યકરોએ પરિવહન મંત્રી અનિલ પરબના ઘર પર ફેંકી શાહી

જનશક્તિ સંગઠનના કાર્યકરોએ મંગળવારે પરિવહન મંત્રી અનિલ પરબના ઘરની બહાર પ્રદર્શન કર્યું હતું. આ સાથે કામદારોએ પરબના ઘર પર શાહી ફેંકી હતી.

Maharashtra: ST કર્મચારીઓની હડતાળ બની ઉગ્ર, જનશક્તિ સંગઠનના કાર્યકરોએ પરિવહન મંત્રી અનિલ પરબના ઘર પર ફેંકી શાહી
Ink thrown at minister's house
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 23, 2021 | 8:49 PM
Share

મહારાષ્ટ્રમાં રાજ્ય પરિવહન (ST) કર્મચારીઓનું આંદોલન હવે ઉગ્ર બન્યું છે. કારણ કે એસટી કર્મચારીઓના (ST Employees) મુદ્દે અચોક્કસ મુદ્દતની હડતાળને ઘણા યુનિયનોએ સમર્થન આપ્યું છે. સાથે જ જનશક્તિ સંગઠનના કાર્યકરો પણ આક્રમક જોવા મળી રહ્યા છે. જનશક્તિ સંગઠનના કાર્યકરોએ મંગળવારે પરિવહન મંત્રી અનિલ પરબ (Transport Minister Anil Parab) ના ઘરની બહાર પ્રદર્શન કર્યું હતું. આ સાથે કામદારોએ પરબના ઘર પર શાહી ફેંકી હતી. આ દરમિયાન પોલીસે તેમને રોક્યા અને ગેટની બહાર ધક્કો મારવા લાગ્યા. જેના પર ઘણા કામદારોએ રસ્તા પર સૂઈને વિરોધ શરૂ કર્યો હતો.

આ દરમિયાન પોલીસે જનશક્તિ સંગઠનના ઘણા કાર્યકરોની ધરપકડ કરી છે. ઘટના પછી ઘરની સફાઈ કરવામાં આવી હતી. દરમિયાન એસટી કર્મચારીઓની હડતાલને અનેક યુનિયનો દ્વારા સમર્થન આપવામાં આવી રહ્યું છે. આ દરમિયાન ભાજપના (BJP) ધારાસભ્ય ગોપીચંદ પડલકરે શાંતિપૂર્ણ આંદોલનની અપીલ કરી છે. તેમણે કહ્યું કે વિરોધ શાંતિપૂર્ણ હોવો જોઈએ. સરકાર આંદોલનને કચડી નાખવાનો પ્રયાસ કરી રહી છે. તેમણે એમ પણ કહ્યું કે જનશક્તિ કાર્યકરોના આંદોલન સાથે તેમને કોઈ લેવાદેવા નથી.

મંત્રીએ કહી હતી ખાનગીકરણની વાત 

રાજ્યના પરિવહન મંત્રી અનિલ પરબે તાજેતરમાં હડતાળ પર ઉતરેલા કર્મચારીઓને વહેલી તકે કામ પર પાછા ફરવાની ચેતવણી આપી હતી. અન્યથા ટ્રાન્સપોર્ટ બસોનું ખાનગીકરણ કરવાનો પણ માર્ગ છે. શુક્રવારે તેમણે નોટિસ મોકલીને 238 દૈનિક વેતન કામદારોની સેવાઓ સમાપ્ત કરી દીધી હતી. અત્યાર સુધીમાં 297 કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

હડતાલ શા માટે કરવામાં આવી રહી છે ? 

મહારાષ્ટ્રમાં એસટી કર્મચારીઓની હડતાળ ચાલુ છે. આ દરમિયાન ઘણા કર્મચારીઓને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે. આંદોલનકારી કર્મચારીઓનું કહેવું છે કે તેઓ તેમની ન્યાયી માગ માટે હડતાળ પર જઈ રહ્યા છે. ઘણા કર્મચારીઓનું કહેવું છે કે 10 વર્ષની સેવા બાદ પણ આજના મોંઘવારીના યુગમાં તેમને માત્ર 12 હજાર રૂપિયા જ આપવામાં આવે છે. તેમનો પગાર વધવો જોઈએ.

આ પણ વાંચો :  નવાબ મલિકને બોલવાનો અધિકાર છે, પરંતુ માહિતીની ચકાસણી જરૂરી, બોમ્બે હાઈકોર્ટે સમીર વાનખેડેના પિતાની માગને ફગાવી

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">