AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મહારાષ્ટ્રઃ શિરડીનું સાંઈ બાબા મંદિર આતંકવાદીઓના રડાર પર, દુબઈના આતંકવાદીએ કર્યો મોટો ખુલાસો

ગુજરાત ATS દ્વારા કરવામાં આવેલી પૂછપરછમાં એ વાત સામે આવી છે કે, શિરડી મંદિર ઉપરાંત દિલ્હીમાં સુદર્શન ટીવીની ઓફિસ પણ આંતકવાદીઓના નિશાન પર હતી.

મહારાષ્ટ્રઃ શિરડીનું સાંઈ બાબા મંદિર આતંકવાદીઓના રડાર પર, દુબઈના આતંકવાદીએ કર્યો મોટો ખુલાસો
Sai Baba Temple Shirdi (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 15, 2022 | 12:07 PM
Share

Maharashtra : મહારાષ્ટ્રના પ્રસિદ્ધ તીર્થસ્થળ શિરડી (Shirdi Sai baba Temple) પર આતંકવાદી હુમલો કરવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યુ હોવાનુ સામે આવ્યુ છે. તમને જણાવી દઈએ કે, દુબઈથી (Dubai) ધરપકડ કરાયેલા આતંકીની પૂછપરછમાં આ વાત સામે આવી છે. આ આતંકીએ શિરડીમાં રેકી કરવા આવ્યો હોવાની કબૂલાત કરી છે. ગુજરાત ATS દ્વારા (Gujarat ATS)  પાકિસ્તાન સાથે જોડાયેલા આતંકવાદી સંગઠનના આતંકવાદીઓની અટકાયત કરવામાં આવી હતી. તેની પૂછપરછ દરમિયાન આ ચોંકાવનારો ખુલાસો થયો છે.

પ્રશાસન દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી

આ આતંકવાદી જે આતંકવાદી સંગઠન સાથે સંકળાયેલો છે તેનું નેટવર્ક પાકિસ્તાનમાં (Pakistan) છે.આતંકવાદીઓની પૂછપરછમાં એ વાત પણ સામે આવી છે કે શિરડીના વતની અને હાલ દિલ્હીમાં એક હિન્દી ન્યૂઝ ચેનલના સંપાદકના ઘર અને ઓફિસ પર પણ રેકી કરી હોવાની વાત સામે આવતા ખળભળાટ મચી ગયો છે. હાલ ગુજરાત ATSએ આતંકવાદીઓ પાસેથી ગેરકાયદેસર હથિયારો અને વિસ્ફોટકો પણ જપ્ત કર્યા છે. આ પહેલા પણ શિરડી સંસ્થાનને ઘણી વખત ધમકીભર્યા કોલ અને મેઈલ આવ્યા છે. આ નવા ષડયંત્રના ખુલાસા બાદ પ્રશાસન દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.

શિરડીમાં સુદર્શન ટીવીના સંપાદકનુ ઘર પણ આંતકવાદીઓના રડાર પર

ગુજરાત ATS દ્વારા કરવામાં આવેલી પૂછપરછમાં એ વાત સામે આવી છે કે, શિરડીમાં મંદિર ઉપરાંત દિલ્હીમાં સુદર્શન ટીવીની ઓફિસમાં જઈને પણ રેકી કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા આતંકવાદીએ શિરડીમાં સુદર્શન ટીવીના સંપાદકના ઘરની રેકી કરા હોવાની કબૂલાત કરી છે.

આરોપીઓની કડક પૂછપરછ હાથ ધરવામાં આવી

તમને જણાવી દઈએ કે, દુબઈથી ધરપકડ કરાયેલા આરોપીઓના નામ મૌલાના શબ્બીર પઠાણ, અયુબ ઝાબરાવાલા, મૌલાના ગની ઉસ્માની છે. આ લોકોએ સુરેશ ચૌહાણના શિરડીના ઘરની રેકી કરી હોવાની કબૂલાત કરી છે. આ આરોપીઓ પાસેથી ગેરકાયદેસર હથિયારો, વિસ્ફોટકો મળી આવ્યા છે. ગુજરાત ATSના દાવા મુજબ પકડાયેલા આતંકવાદીઓ પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન સાથે સંબંધિત છે. હાલમાં પકડાયેલા તમામ આરોપીઓની કડક પૂછપરછ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : Maharashtra: સ્પેશિયલ NIA કોર્ટે CBIને સચિન વાજેની પૂછપરછ કરવાની આપી મંજૂરી, 15 અને 16 ફેબ્રુઆરીએ થશે પૂછપરછ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">