CM Shinde on PM Modi: 2024માં દેખાશે તાકાત, એકનાથ શિંદેએ કહ્યું ‘એક PM નરેન્દ્ર મોદી બધા પર ભારે છે’

TV9 GUJARATI

|

Updated on: May 25, 2023 | 4:29 PM

સીએમ એકનાથ શિંદેએ રત્નાગિરિમાં પત્રકારોને કહ્યું કે '2019માં પણ તમામ વિપક્ષી પાર્ટીઓ સાથે આવી હતી. લોકશાહીમાં એકબીજાને મળવું, એકબીજા સાથે આવવું એ તેમનો અધિકાર છે પણ અગાઉ આનું પરિણામ શું આવ્યું?

CM Shinde on PM Modi: 2024માં દેખાશે તાકાત, એકનાથ શિંદેએ કહ્યું 'એક PM નરેન્દ્ર મોદી બધા પર ભારે છે'

Follow us on

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ બે દિવસના મુંબઈ પ્રવાસે છે. મમતા બેનર્જીને મળ્યા બાદ તેઓ બુધવારે ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) અને ગુરુવારે શરદ પવારને મળ્યા હતા. ઠાકરેનું નિવાસસ્થાન માતોશ્રી વિપક્ષી એકતાનું કેન્દ્ર બની રહ્યું છે. અગાઉ નીતિશ કુમાર પણ માતોશ્રી અને સિલ્વર ઓક ઉદ્ધવ અને શરદ પવારને મળવા આવ્યા બાદ પરત ફર્યા હતા. આ દરમિયાન મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે રત્નાગીરીની મુલાકાતે છે. આ ઘટનાક્રમ પર તેમની પ્રતિક્રિયા આપતા તેમણે આજે (25 મે, ગુરુવાર) કહ્યું કે એક PM નરેન્દ્ર મોદી બધા પર ભારે છે.

સીએમ એકનાથ શિંદેએ રત્નાગિરિમાં પત્રકારોને કહ્યું કે ‘2019માં પણ તમામ વિપક્ષી પાર્ટીઓ સાથે આવી હતી. લોકશાહીમાં એકબીજાને મળવું, એકબીજા સાથે આવવું એ તેમનો અધિકાર છે પણ અગાઉ આનું પરિણામ શું આવ્યું? આપણે બધાએ આનો અનુભવ કર્યો છે. ભાજપને 2014 કરતા 2019માં વધુ સીટો મળી હતી. 2024માં પણ તમામ વિરોધીઓ પત્તાના ઘરની જેમ ઉડી જશે. મોદી એકલા બધા પર ભારે છે. અમે તેમના નેતૃત્વમાં રેકોર્ડ બ્રેક જીત હાંસલ કરીશું.

આ પણ વાંચો: Breaking News : નવા સંસદ ભવનનો મુદ્દો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, પિટિશનમાં કરાઈ રાષ્ટ્રપતિના હસ્તે ઉદ્ઘાટન કરાવવાની માંગ

‘દેશ આગળ વધી રહ્યો છે, વિરોધીઓના પેટમાં દુખાવો વધી રહ્યો છે’

સીએમ શિંદેએ કહ્યું કે મોદીજીનું કામ જ બોલે છે. એક મોદી બધા પર ભારે છે. તેમના કામના કારણે તેઓ દરેક પર ભારે સાબિત થઈ રહ્યા છે. સમગ્ર વિશ્વમાં દેશનું નામ રોશન કરવાનું કામ તેમણે કર્યું છે. અન્ય દેશોની અર્થવ્યવસ્થા ઘટી રહી છે, આવી સ્થિતિમાં તેમણે દેશની અર્થવ્યવસ્થાને વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવી.

દેશ આગળ વધી રહ્યો છે. ભારત વિશ્વ લીડર બની રહ્યું છે. જેના કારણે વિરોધીઓના પેટમાં દુ:ખાવો શરૂ થઈ ગયો છે. આ બધાની જનતાના મન પર કોઈ અસર થવાની નથી. જેટલા લોકો મોદી વિરુદ્ધ બોલશે તેટલા મોદી વિરોધીઓને તેમની જગ્યા બતાવશે.

‘6 મહિનાથી વિકાસકામ અને રોકથામ હવે બંધ, સ્પીડ બ્રેકર ફૂટ્યું’

રાજ્ય સરકારે ‘તમારી સરકાર તમારા ઘરે’ અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાનને લઈને એકનાથ શિંદે આજે રત્નાગીરીની મુલાકાતે છે. ત્યારે તેમને કહ્યું કે વિકાસના કામમાં સ્પીડ બ્રેકર હટાવી દેવામાં આવ્યા છે. આ સરકારનો એક જ એજન્ડા છે. સામાન્ય લોકોના જીવનમાં સારા દિવસો આવવા જોઈએ.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati