AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra Political Crisis: સત્તાની સાઠમારી વચ્ચે વાંચો મહારાષ્ટ્રના રાજકારણમાં શું થયુ 24 કલાકમાં વાંચો વિસ્તારથી

હવે NCPના નામે બે જૂથો વચ્ચે લડાઈ છે. 40 ધારાસભ્યોના સમર્થનનો દાવો કરનાર અજિત પવારે NCP પર દાવો કર્યો છે. જ્યારે શરદ પવાર જૂથે તમામ ધારાસભ્યોને રોકવા માટે તેમની સામે ગેરલાયકાતની અરજી દાખલ કરી છે.

Maharashtra Political Crisis: સત્તાની સાઠમારી વચ્ચે વાંચો મહારાષ્ટ્રના રાજકારણમાં શું થયુ 24 કલાકમાં વાંચો વિસ્તારથી
Maharashtra Political Crisis: Read what happened in Maharashtra politics in 24 hours (File)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 03, 2023 | 12:17 PM
Share

મહારાષ્ટ્રમાં આ સમયે રાજકીય ઉથલપાથલ ચાલી રહી છે. ભત્રીજા અજિત પવારની રમતે કાકા શરદ પવારને ઉંધા પાડી દીધા. તેમની રાજભવનની અચાનક મુલાકાતના સમાચાર રવિવારે બપોરે આવ્યા અને થોડી જ વારમાં આખી વાત બદલાઈ ગઈ. અજિત પવાર એનસીપી સામે બળવો કરીને NDAમાં જોડાયા અને શિંદે સરકારમાં જોડાયા. એટલું જ નહીં તેઓ 9 વધુ ધારાસભ્યોને પણ શિંદે સરકારમાં લઈ ગયા. આવી સ્થિતિમાં હવે NCP બે જૂથોમાં વહેંચાઈ ગઈ છે. પ્રથમ શરદ પવાર જૂથ અને બીજું અજિત પવાર જૂથ.

હવે NCPના નામે બે જૂથો વચ્ચે લડાઈ છે. 40 ધારાસભ્યોના સમર્થનનો દાવો કરનાર અજિત પવારે NCP પર દાવો કર્યો છે. જ્યારે શરદ પવાર જૂથે તમામ ધારાસભ્યોને રોકવા માટે તેમની સામે ગેરલાયકાતની અરજી દાખલ કરી છે.

આ સમગ્ર રાજકીય ડ્રામા વચ્ચે, ચાલો જાણીએ કે ગઈકાલથી લઈને અત્યાર સુધી મહારાષ્ટ્રનું રાજકારણ કેવી રીતે બદલાઈ ગયું છે.

  1. અજિત પવારના રાજભવન પહોંચવાના સમાચાર બપોરે 2 વાગ્યાની આસપાસ આવ્યા હતા.તેમની સાથે એનસીપીના કેટલાક ધારાસભ્યો, મુખ્યમંત્રી એકનાથ શિંદે અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ પણ રાજભવન પહોંચ્યા હતા. શપથ ગ્રહણ સમારોહની લગભગ તમામ તૈયારીઓ અહીં પૂર્ણ થઈ ગઈ હતી. થોડી જ વારમાં અજિત પાવરે મંત્રી તરીકે શપથ લીધા અને ડેપ્યુટી સીએમ બન્યા. તેમની સાથે 8 વધુ ધારાસભ્યોએ પણ શપથ લીધા અને શિંદે સરકારમાં જોડાયા.
  2. આ પછી અજિત પવારે એનસીપી પર દાવો કર્યો અને કહ્યું કે તેમની પાસે 40 ધારાસભ્યો, ત્રણ સાંસદો અને 6 એમએલસીનું સમર્થન છે. આવી સ્થિતિમાં તેઓ એનસીપીના સિમ્બોલ પર ચૂંટણી લડશે. તેમણે કહ્યું કે, NCPમાં હવે નવા લોકોને તક મળશે. પાર્ટી અને ચૂંટણી ચિન્હ તેમનું છે. જો અજિત પવારના દાવા પર વિશ્વાસ કરવામાં આવે તો મહારાષ્ટ્રમાં NCP પાસે 53 ધારાસભ્યો છે, જેમાંથી NCP પ્રમુખ શરદ પવારના જૂથમાં માત્ર 13 ધારાસભ્યો જ બચ્યા છે.
  3. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું કે રાજ્યમાં હવે ટ્રિપલ એન્જિનવાળી સરકાર છે. મહારાષ્ટ્રમાં 1 મુખ્યમંત્રી અને બે નાયબ મુખ્યમંત્રી છે. આવી સ્થિતિમાં આ સરકાર હવે ટ્રિપલ એન્જિન બની ગઈ છે. તેમણે દાવો કર્યો કે આ બધું મહારાષ્ટ્રના વિકાસ માટે કરવામાં આવી રહ્યું છે.
  4. અજિત પવારના બળવા બાદ શરદ પવારનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે દાવો કર્યો કે કેટલાક ધારાસભ્યોએ તેમને ફોન કરીને કહ્યું કે તેઓ અજિત પવાર સાથે નથી જતા. શરદ પવારે કહ્યું કે, આવો વિદ્રોહ તેમણે પહેલા જોયો છે. થોડા દિવસોમાં સત્ય બહાર આવશે. આખી NCP અજિત પવારની સાથે નથી. આ સાથે તેણે એમ પણ કહ્યું હતું કે તેણે પાંચ ધારાસભ્યો સાથે પાર્ટી બનાવી છે. ફરી એકવાર તે આવું કરશે અને પછી પાર્ટીને ઉભી કરશે.
  5. શરદ પાવર સામે બળવો કરનારા અજિત પવાર અને અન્ય નેતાઓને પણ વિરોધનો સામનો કરવો પડ્યો હતો. મુંબઈમાં શરદ પવારના સમર્થકોએ તેમના પોસ્ટરો કાળા કરીને વિરોધ કર્યો હતો અને શરદ પવારના ઘરની બહાર એકઠા થયા હતા.
  6. બીજી તરફ, NCPના મહારાષ્ટ્ર એકમના અધ્યક્ષ જયંત પાટીલે દાવો કર્યો કે અજિત પવારને માત્ર એવા ધારાસભ્યોનું સમર્થન છે જેમણે શપથ લીધા છે. બાકીના ધારાસભ્યો હજુ પણ શરદ પવાર સાથે છે. આ સાથે તેમણે એ પણ જણાવ્યું કે NCP ઓફિસમાંથી અજિત પવાર સાથે શપથ લેનારા ધારાસભ્યોની તસવીરો હટાવી દેવામાં આવી છે.
  7. મધ્યરાત્રિએ, NCP કાર્યકારી અધ્યક્ષ સુપ્રિયા સુલેએ પ્રેસ કોન્ફરન્સ કરી અને સમગ્ર ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી. અજિત પવાર વિશે તેમણે કહ્યું કે તેમના દિલમાં હંમેશા અજિત પવાર માટે આદર છે. પાર્ટી અને પરિવાર અલગ-અલગ વિષય છે. તેમણે કહ્યું, જે ધારાસભ્યો ગયા છે તેમની સાથે વાત કરવામાં આવશે. હું તેની સાથે સંપર્કમાં છું. આ સાથે તેઓ એનસીપીના કાર્યકરોને પણ મળ્યા હતા.
  8. અજિત પવાર સહિત 9 ધારાસભ્યો સામે મોટી કાર્યવાહી કરતા, NCPએ અયોગ્યતાની અરજી દાખલ કરી છે. જયંત પાટીલે જણાવ્યું કે આ અયોગ્યતાની અરજી વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરને મોકલવામાં આવી છે. આ સાથે ચૂંટણી પંચને પણ ઈ-મેલ કરવામાં આવ્યો છે.
  9. અજિત પવારના દાવાને નકારી કાઢતાં NCPએ કહ્યું કે સુપ્રિયા સુલે અને જયંત પાટીલ તેમના 53 ધારાસભ્યોના સતત સંપર્કમાં છે અને ટૂંક સમયમાં જ સ્થિતિ સ્પષ્ટ થઈ જશે.
  10. બીજી તરફ અજિત પવારના બળવા બાદ એનસીપીએ જિતેન્દ્ર અહવાડને પાર્ટીના મુખ્ય દંડક તરીકે નિયુક્ત કર્યા છે. જિતેન્દ્ર આહવાડ મહારાષ્ટ્ર વિધાનસભા અધ્યક્ષની ઓફિસે તેમનો નિમણૂક પત્ર આપવા પહોંચ્યા છે.

"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
g clip-path="url(#clip0_868_265)">