બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ! શાળામાં મધ્યાહન ભોજનમાં અપાતા ચોખામાં નીકળ્યા પ્લાસ્ટિકના ચોખા

સોલાપુરના સાંગોલામાં એક શાળાના બાળકોને આપવામાં આવતા પોષણયુક્ત ખોરાકમાં નકલી પ્લાસ્ટિકના ચોખા ભેળવવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું છે.આ ઘટસ્ફોટથી ખળભળાટ મચી ગયો છે.

બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ! શાળામાં મધ્યાહન ભોજનમાં અપાતા ચોખામાં નીકળ્યા પ્લાસ્ટિકના ચોખા
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 22, 2023 | 8:17 AM

Maharashtra : મહારાષ્ટ્રના સોલાપુરના સાંગોલાની એક શાળામાં બાળકોને પોષણક્ષમ આહાર તરીકે અપાતા ચોખામાં પ્લાસ્ટિકના ચોખા ભેળવવામાં આવ્યા છે.પ્લાસ્ટિકના ચોખા આપીને શાળાના વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે રમત રમાઈ છે. જો કે ચોખામાં કાંકરા મળી આવતા હોવાની ફરિયાદો ઘણી જગ્યાએથી આવી રહી હતી. ચોખામાં અન્ય ધાન્ય ભેળવવામાં આવે છે તે પણ સમજી શકાય તેવું છે, પરંતુ હવે પ્લાસ્ટિકનો કચરો ભેળવ્યો હોવાનુ સામે આવતા બાળકોના વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

ચોખામાં કાંકરા મળી આવતા હોવાની ફરિયાદો વચ્ચે……..

પરંતુ જે રીતે પ્લાસ્ટિકના ચોખા ભેળવીને બાળકોના આરોગ્ય સાથે રમત રમાઈ રહી છે તેનાથી બાળકોના વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખાસ વાત એ છે કે માત્ર શાળામાં બાળકોને વહેંચવામાં આવતા ચોખામાં જ નહીં પરંતુ રાશનની દુકાનોમાં પણ ચોખામાં પ્લાસ્ટિકની ભેળસેળ થવાની આશંકા છે.

‘બાળકોના સ્વાસ્થ્ય સાથે રમતા કરનારને બક્ષવામાં નહીં આવે’

તો આ અંગે સોલાપુરના સાંગોલાના ધારાસભ્ય શાહજીબાપુ પાટીલે પણ રોષ વ્યક્ત કર્યો, તેમણે તુરંત જ તહસીલદારને બોલાવીને ઝીણવટભરી તપાસ કરીને આ પ્રકારની ભેળસેળ ક્યાંથી થાય છે અને આ ભેળસેળના ધંધામાં કોણ કોણ સંડોવાયેલ છે તેની માહિતી આપવા જણાવ્યું હતું. તેમણે કહ્યું કે બાળકોના સ્વાસ્થ્ય સાથે રમત કરનાર કોઈપણને શોધી કાઢવામાં આવશે, બક્ષવામાં આવશે નહીં.ફૂડ ઈન્સપેક્ટરને પણ બોલાવવામાં આવ્યા છે અને તેમને આ અંગે તાત્કાલિક કાર્યવાહી કરવા માટે કહેવામાં આવ્યું છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

બે-ત્રણ શાળાઓની મુલાકાત લેતા મામલો સામે આવ્યો

સોલાપુરના સાંગોલાના સંબંધિત ગામની સરપંચ સુરેખા પુકાલેએ જણાવ્યું કે તેમને કેવી રીતે ભેળસેળની ખબર પડી. તેમણે કહ્યું, ‘જ્યારે મેં રાશનના ચોખા જોયા, ત્યારે મારા ધ્યાનમાં આવ્યું કે ચોખામાં પ્લાસ્ટિકના ચોખા મોટા પાયા પર ભેળવવામાં આવ્યા છે. આ પછી, મેં ચોખા તપાસવા માટે ગામની બે-ત્રણ શાળાઓની મુલાકાત લીધી, ત્યારે મને ખબર પડી કે ચોખામાં મોટા પાયે પ્લાસ્ટિક ભેળવવામાં આવ્યું છે.

જે પ્લાસ્ટિકનો નાશ થતા હજારો વર્ષ લાગે છે.તે પ્લાસ્ટિક ચોખામાં ભેળવવામાં આવી રહ્યું છે. થોડા દિવસો પહેલા ચીનથી આ પ્રકારના ચોખા આવવાના સમાચાર સામે આવ્યા હતા,પરંતુ હવે જ્યારે સોલાપુરના સાંગોલામાં આવી ઘટના સામે આવી આવતા લોકોમાં પારાવાર રોષ જોવા મળી રહ્યો છે.

Latest News Updates

ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
g clip-path="url(#clip0_868_265)">