Omicron in Maharashtra: મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના 11 નવા કેસ, ટાસ્ક ફોર્સની આશંકા, ફેબ્રુઆરીમાં ઝડપથી વધશે સંક્રમણ

મહારાષ્ટ્રમાં ઓમિક્રોન સંક્રમિતોની કુલ સંખ્યા હવે 65 પર પહોંચી ગઈ છે. મુંબઈમાં ઓમિક્રોન સંક્રમિતોની કુલ સંખ્યા 30 પર પહોંચી ગઈ છે. રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ અત્યાર સુધીમાં 34 લોકોને રજા આપવામાં આવી છે. મહારાષ્ટ્રના કોરોના ટાસ્ક ફોર્સે આશંકા વ્યક્ત કરી છે કે ફેબ્રુઆરી મહિનામાં ઓમિક્રોનનું સંક્રમણ વધુ ઝડપથી વધશે.

Omicron in Maharashtra: મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના 11 નવા કેસ, ટાસ્ક ફોર્સની આશંકા, ફેબ્રુઆરીમાં ઝડપથી વધશે સંક્રમણ
File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 21, 2021 | 10:49 PM

મહારાષ્ટ્ર (Maharashtra)માં ઓમિક્રોનના (Omicron) 11 નવા કેસ નોંધાયા છે. આમાંથી 8 લોકો મુંબઈના છે. આ રીતે મહારાષ્ટ્રમાં ઓમિક્રોન સંક્રમિતોની કુલ સંખ્યા હવે વધીને 65 થઈ ગઈ છે. મુંબઈમાં ઓમિક્રોન સંક્રમિતોની કુલ સંખ્યા 30 પર પહોંચી ગઈ છે. રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ અત્યાર સુધીમાં 34 લોકોને રજા આપવામાં આવી છે. મહારાષ્ટ્રના કોરોના ટાસ્ક ફોર્સે (The Corona Task Force of Maharashtra) આશંકા વ્યક્ત કરી છે કે ફેબ્રુઆરી મહિનામાં ઓમિક્રોનનું સંક્રમણ વધુ ઝડપથી વધશે. મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપે (Rajesh Tope)એ આ માહિતી આપી છે.

ટાસ્ક ફોર્સના અનુમાન મુજબ ફેબ્રુઆરી મહિનામાં મહારાષ્ટ્રમાં ઓમિક્રોન સંક્રમિતોની સંખ્યામાં અચાનક તીવ્ર વધારો થશે. આવી સ્થિતિમાં ઓમિક્રોનને રોકવાનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે કોરોનાના નિયમોનું કડકપણે પાલન કરવું. આ સમાચાર અમારી સહયોગી ચેનલ TV9 મરાઠી તરફથી આવ્યા છે.

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

નવા વર્ષની પાર્ટી કરતી વખતે કોરોનાના નિયમોનું પાલન કરો

જો મહારાષ્ટ્રમાં કોરોનાની ત્રીજી લહેર આવે છે તો તે માત્ર ઓમિક્રોન વેરિઅન્ટની જ હશે. પરંતુ તેના વિશે વધુ ચિંતા કરવાની જરૂર નથી. રાજેશ ટોપે કહે છે કે ‘આ એટલા માટે છે કારણ કે ઓમિક્રોન સંક્રમિત દર્દીઓને હોસ્પિટલમાં દાખલ થવાની શક્યતા ઓછી જોવા મળી છે. પરંતુ જોખમોને હળવાશથી લેવું પણ યોગ્ય નથી. આવી સ્થિતિમાં ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી સમયે કોરોનાના નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે.’

દેશમાં ઓમિક્રોનનો ખતરો ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. અત્યાર સુધીમાં દેશના 12 રાજ્યોમાં ઓમિક્રોનના 200 થી વધુ દર્દીઓ મળી આવ્યા છે. ઓમિક્રોનના મોટાભાગના કેસ મહારાષ્ટ્ર અને દિલ્હીમાં જોવા મળ્યા છે. ચિંતાની વાત એ છે કે એન્ટી-કોરોના વાઈરસ રસીના બંને ડોઝ લીધા પછી પણ ઓમિક્રોનનું સંક્રમણ વધી રહ્યું છે. મહારાષ્ટ્રમાં ઓમિક્રોન સંક્રમિત લોકોમાંથી 81 ટકા લોકો એવા છે જેમણે રસીના બંને ડોઝ લીધા છે. આવા લોકોને બ્રેક થ્રુ ઈન્ફેક્શન કેસ કહેવામાં આવે છે.

એટલું જ નહીં, ઓમિક્રોનથી સંક્રમિત કેટલાક લોકો એવા છે જેમણે ફાઈઝર વેક્સિનનો ત્રીજો ડોઝ એટલે કે બૂસ્ટર ડોઝ પણ લીધો છે. ઓમિક્રોનનું સંક્રમણ ડેલ્ટા વેરિઅન્ટ કરતાં વધુ ઝડપથી ફેલાય છે. પરંતુ રાહતની વાત એ છે કે ઓમિક્રોન સંક્રમિત 77થી વધુ દર્દીઓ સ્વસ્થ થઈને ઘરે ગયા છે.

આ પણ વાંચો :  Maharashtra school admission: નર્સરીમાંથી ધોરણ 1 માં એડમીશન માટે વય મર્યાદા મળી છુટ, મહારાષ્ટ્ર સરકારે લીધો નિર્ણય

Latest News Updates

માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
g clip-path="url(#clip0_868_265)">