AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra school admission: નર્સરીમાંથી ધોરણ 1 માં એડમીશન માટે વય મર્યાદા મળી છુટ, મહારાષ્ટ્ર સરકારે લીધો નિર્ણય

Maharashtra news in Gujarati: મહારાષ્ટ્ર સરકારે નર્સરીમાંથી ધોરણ 1માં પ્રવેશ માટેની વય મર્યાદામાં ફેરફાર કર્યો છે. નવો નિયમ બાળકોના હિતમાં છે અને વાલીઓને રાહત આપનાર છે. સંપૂર્ણ સમાચાર વાંચો...

Maharashtra school admission: નર્સરીમાંથી ધોરણ 1 માં એડમીશન માટે વય મર્યાદા મળી છુટ, મહારાષ્ટ્ર સરકારે લીધો નિર્ણય
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 21, 2021 | 8:33 PM
Share

Maharashtra School Admission 2022-23 age limit latest: મહારાષ્ટ્રમાં નર્સરીથી ધોરણ 1માં બાળકને પ્રવેશ અપાવવાની તૈયારી કરી રહેલા વાલીઓ માટે સારા સમાચાર છે. મહારાષ્ટ્ર સરકારે (Maharashtra Govt) શૈક્ષણિક સત્ર 2022-23 માટે મહારાષ્ટ્ર નર્સરીમાંથી ધોરણ 1 માં પ્રવેશ માટેની વય મર્યાદા બદલી છે. લઘુત્તમ વય મર્યાદામાં (Minimum Age Limit) છૂટછાટ આપવામાં આવી છે. મહારાષ્ટ્ર શિક્ષણ વિભાગના (Maharashtra Education Department) અધિકારીએ મંગળવાર, 21 ડિસેમ્બર 2021ના રોજ આ સંદર્ભમાં એક જાહેરાત કરી છે. આ સાથે સરકારે એક નવો પરિપત્ર પણ બહાર પાડ્યો છે.

નર્સરી ટૂ ક્લાસ 1 એડમિશન 2022 (Maharashtra Nursery to class 1 admission 2022)  માટે મહારાષ્ટ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નવા પરીપત્ર અનુસાર, હવે વિવિધ વર્ગોમાં પ્રવેશ માટેની લઘુત્તમ વય મર્યાદા આ પ્રકારે હશે –

મહારાષ્ટ્ર નર્સરી પ્રવેશ 2022-23 : મહારાષ્ટ્રમાં શૈક્ષણિક સત્ર 2022-23 માટે નર્સરીમાં પ્રવેશ (Maharashtra Nursery Admission) માટેની લઘુત્તમ વય મર્યાદા 3 વર્ષ છે. જો બાળક 31મી ડિસેમ્બર 2022 સુધીમાં 3 વર્ષ પૂર્ણ કરે છે, તો તે પ્રવેશ માટે પાત્ર છે. એટલે કે તેનો જન્મ 01 ઓક્ટોબર 2018 થી 31 ડિસેમ્બર 2019 ની વચ્ચે થયો હોવો જોઈએ.

મહારાષ્ટ્ર જુનિયર કેજી પ્રવેશ 2022 : મહારાષ્ટ્રની શાળાઓમાં જુનિયર કેજીમાં પ્રવેશ માટે (Maharashtra Junior KG admission) બાળકનો જન્મ 01 ઓક્ટોબર 2017 થી 31 ડિસેમ્બર 2018 ની વચ્ચે થયો હોવો જોઈએ. તેણે 31 ડિસેમ્બર 2022 સુધીમાં ચાર વર્ષ પૂર્ણ કર્યા હોવા જોઈએ.

મહારાષ્ટ્ર સિનિયર કેજી પ્રવેશ 2022 : સિનિયર કેજીમાં પ્રવેશ માટે (Maharashtra Senior KG admission) બાળકની ઉંમર 31મી ડિસેમ્બર 2022 સુધી ઓછામાં ઓછી 5 વર્ષની હોવી જોઈએ. એટલે કે તેનો જન્મ 01 ઓક્ટોબર 2016 થી 31 ડિસેમ્બર 2017 ની વચ્ચે થયો હોવો જોઈએ.

મહારાષ્ટ્ર વર્ગ 1 પ્રવેશ 2022 : જો બાળકને શૈક્ષણિક સત્ર 2022-23માં પ્રથમ વર્ગમાં પ્રવેશ આપવો હોય તો 31 ડિસેમ્બર, 2022 સુધીમાં તેની ઉંમર 6 વર્ષની હોવી જોઈએ. એટલે કે તેનો જન્મ 01 ઓક્ટોબર 2015 થી 31 ડિસેમ્બર 2016 ની વચ્ચે થયો હોવો જોઈએ.

આ પણ વાંચો :  લખીમપુર ખીરી હિંસા મામલો ફરી પહોંચ્યો સુપ્રીમ કોર્ટ, અજય મિશ્રા ટેની અને DyCM કેશવ પ્રસાદ મોર્યાની વિરૂદ્ધ FIR દાખલ કરવાની માંગ

Follow Us
અદાણી ગ્રુપ: ગ્લોબલ પોર્ટ્સ અને એજ્યુકેશનમાં નવો માઈલસ્ટોન!
અદાણી ગ્રુપ: ગ્લોબલ પોર્ટ્સ અને એજ્યુકેશનમાં નવો માઈલસ્ટોન!
વેધર અપડેટ: અમદાવાદમાં અષાઢી માહોલ!
વેધર અપડેટ: અમદાવાદમાં અષાઢી માહોલ!
ગુજરાતમાં ભર ઉનાળે ત્રાટક્યું મિનિ વાવાઝોડું
ગુજરાતમાં ભર ઉનાળે ત્રાટક્યું મિનિ વાવાઝોડું
દ્વારકા જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ, ભારે પવનમાં ઉડી ગઈ રાઈડ્સ
દ્વારકા જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ, ભારે પવનમાં ઉડી ગઈ રાઈડ્સ
કચ્છમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ, વાગડમાં વિસ્તારમાં પડ્યા કરા
કચ્છમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ, વાગડમાં વિસ્તારમાં પડ્યા કરા
પેટા પ્રશ્નોની અંદર પૂરતી માહિતીના અભાવે મંત્રીઓ ગૂંચવાઈ જતા CM નારાજ
પેટા પ્રશ્નોની અંદર પૂરતી માહિતીના અભાવે મંત્રીઓ ગૂંચવાઈ જતા CM નારાજ
કચ્છમાં મિની વાવાઝોડા સાથે ઝરમર વરસાદ, વીજ પુરવઠો ખોરવાયો
કચ્છમાં મિની વાવાઝોડા સાથે ઝરમર વરસાદ, વીજ પુરવઠો ખોરવાયો
અમદાવાદ-સુરતમાં નકલી નોટ કૌભાંડનો ભાંડાફોડ
અમદાવાદ-સુરતમાં નકલી નોટ કૌભાંડનો ભાંડાફોડ
શાહીબાગ અંડરબ્રિજ 10 દિવસ માટે બંધ, વાહનોની અવરજવર પર લગાવી રોક
શાહીબાગ અંડરબ્રિજ 10 દિવસ માટે બંધ, વાહનોની અવરજવર પર લગાવી રોક
“હક્ક નહીં તો દૂધ નહીં” પશુપાલકોના આક્રોશથી શહેર થંભ્યું
“હક્ક નહીં તો દૂધ નહીં” પશુપાલકોના આક્રોશથી શહેર થંભ્યું
g clip-path="url(#clip0_868_265)">