UP Assembly Election: અખિલેશ યાદવે યોગી સરકાર પર કર્યા પ્રહાર, કહ્યું કાકા સાથે આવતા જ તપાસ શરૂ થઈ છે પરંતુ અમે નથી ડરવાના

અખિલેશ યાદવે સપા નેતાઓના ઈન્કમ ટેક્સના દરોડા પર કહ્યું કે કાકા શિવપાલ યાદવને સાથે લેવામાં આવ્યા તો તપાસ શરૂ થઈ ગઈ છે. ભાજપને વિધાનસભા ચૂંટણીમાં (UP Assembly Election) પોતાની હાર દેખાવા લાગી છે.

UP Assembly Election: અખિલેશ યાદવે યોગી સરકાર પર કર્યા પ્રહાર, કહ્યું કાકા સાથે આવતા જ તપાસ શરૂ થઈ છે પરંતુ અમે નથી ડરવાના
Akhilesh Yadav Attacked Yogi Government
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 21, 2021 | 4:08 PM

સમાજવાદી પાર્ટીના (Samajwadi Party) રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે (Akhilesh Yadav) મંગળવારે મૈનપુરીના ક્રિશ્ચિયન મેદાનમાં જનસભાને સંબોધી હતી. આ દરમિયાન તેમણે સીએમ યોગી આદિત્યનાથ (CM Yogi Adityanath) અને ભાજપ પર નિશાન સાધ્યું હતું. અખિલેશ યાદવે સપા નેતાઓના ઈન્કમ ટેક્સના દરોડા પર કહ્યું કે કાકા શિવપાલ યાદવને સાથે લેવામાં આવ્યા તો તપાસ શરૂ થઈ ગઈ છે. ભાજપને વિધાનસભા ચૂંટણીમાં (UP Assembly Election) પોતાની હાર દેખાવા લાગી છે. એટલા માટે દિલ્હીથી તપાસ અધિકારીઓ મોકલવામાં આવ્યા છે, પરંતુ સમાજવાદીઓ ડરતા નથી.

અખિલેશ યાદવે કહ્યું કે ખેડૂતોએ લોકડાઉનમાં કામ કરીને દેશની આર્થિક વ્યવસ્થાને બચાવી છે. સપાની સરકાર બનશે તો ખેડૂતોના હિતમાં કામ કરશે. જેમની નોકરી છીનવાઈ છે, તેમને સન્માન મળશે. ભાજપ સરકાર પર નિશાન સાધતા તેમણે કહ્યું કે બાબાની સરકારમાં કાયદો અને વ્યવસ્થા નિષ્ફળ ગઈ છે. સરકારે ખાતરની ચોરી કરી છે. ભાજપના લોકો ગરીબોના હક્કો લૂંટી રહ્યા છે. આ સરકાર ઉપયોગી નહીં બીનઉપયોગી છે.

ભાજપ સરકાર પર આક્ષેપો તેમણે કહ્યું કે, ભાજપ સરકાર એક્સપ્રેસ વેની બાજુમાં માર્કેટ બનાવવાનું કામ પૂર્ણ કરી શકી નથી. સપા સરકારે બનાવેલી મંડીઓની સંખ્યા આજે પણ એટલી જ છે. નેતાજીએ જે રસ્તા આપ્યા, તે રસ્તા પહોળા ન થયા. તેમણે કહ્યું કે ભાજપની રેલી એ સરકારની રેલી છે. સપાની રેલી એ જાહેર રેલી છે. તેમણે જનતા પાસેથી ભાજપને દૂર કરવાનો સંકલ્પ લીધો છે. આ ઐતિહાસિક રેલી કહી રહી છે કે ભાજપની ઐતિહાસિક હાર થશે.

અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં

લખીમપુર કાંડને લઈને પણ પ્રશ્નો ઉભા થયા લખીમપુરની ઘટનાને લઈને અખિલેશ યાદવે યોગી સરકારને પૂછ્યું કે સરકાર જણાવે કે લખીમપુરમાં બુલડોઝર ક્યારે ચાલશે. સૌથી વધુ માફિયા ભાજપમાં છે. તેઓ પહેલા મુખ્યમંત્રી છે, જેમણે પોતાના કેસ પાછા ખેંચ્યા છે. અખિલેશ યાદવે કહ્યું કે આપણે બધા જ્ઞાતિની વસ્તી ગણતરી ઈચ્છીએ છીએ. સપા સરકાર બન્યાના ત્રણ મહિનામાં જાતિ ગણતરી કરીને દરેકને વસ્તીના હિસાબે અધિકાર મળશે. જાહેર સભા બાદ અખિલેશે વિજય યાત્રા એટા માટે રવાના કરી હતી. આ પ્રસંગે સુહેલદેવ પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રેમચંદ્ર કશ્યપ હાજર રહ્યા હતા.

આ પણ વાંચો : કોરોના વેક્સીન સર્ટિફિકેટમાંથી નરેન્દ્ર મોદીની તસવીર હટાવવાની અપીલ અરજદારને ભારે પડી, કેરળ હાઈકોર્ટે લગાવ્યો એક લાખનો દંડ

આ પણ વાંચો : ભારતમાં ઓમિક્રોનના કેસની બેવડી સદી, દિલ્હી અને મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસ, જુઓ કયા રાજ્યમાં કેટલા કેસ

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">