Maharashtra : હવે દહીં હાંડીને પણ મળ્યો રમતનો દરજ્જો, ગોવિંદાઓને સરકારી નોકરીઓમાં મળશે અનામતનો લાભ
આ જ બેઠકમાં (Meeting )દહીં હાંડીનો એડવેન્ચર સ્પોર્ટ્સના સ્વરૂપ તરીકે સમાવેશ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ગુરુવારે આ અંગે સરકારી આદેશ જારી કરવામાં આવ્યો હતો અને તેનો અમલ કરવામાં આવ્યો હતો.
દહીં હાંડીને (Dahi Handi ) મહારાષ્ટ્ર સરકાર દ્વારા કબડ્ડી અને ખો-ખો જેવી રમતનો(Sports ) દરજ્જો આપવામાં આવ્યો છે. દહીં હાંડી હવે રાજ્યમાં એડવેન્ચર (Adventure )સ્પોર્ટ્સના સ્વરૂપ તરીકે ઓળખાશે. દહીંહાંડીમાં જોડાનાર ગોવિંદાઓને પણ સરકારી યોજનાઓનો લાભ મળશે. ગોવિંદા પણ હવેથી સરકારી નોકરીઓમાં 5 ટકા અનામતનો લાભ મેળવવા માટે હકદાર બનશે. મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ગુરુવારે વિધાનસભામાં આ જાહેરાત કરી હતી. સીએમ શિંદેએ એ પણ જાહેરાત કરી કે પ્રો કબડ્ડીના નિયમોના આધારે રાજ્યમાં ટૂંક સમયમાં દહીં હાંડી સ્પર્ધા પણ શરૂ કરવામાં આવશે.
સીએમ શિંદેએ દહીંહાંડીને જાહેર રજા જાહેર કર્યા બાદ આ બીજી મોટી જાહેરાત કરી છે. શિંદે-ફડણવીસ સરકારે આ અંગે સરકારી આદેશ પણ જારી કર્યો છે. આ રીતે, દહીં-હાંડી હવે માત્ર ગોકુલાષ્ટમી અથવા જન્માષ્ટમીના તહેવાર દરમિયાન જ નહીં પરંતુ વર્ષમાં 365 દિવસ એક સાહસિક રમત તરીકે રમવામાં આવશે.
ગોવિંદાઓને માત્ર આરક્ષણ જ નહીં, લાખોની વીમા સુરક્ષા પણ મળશે
દહીંહાંડીમાં ભાગ લેનારા ગોવિંદાઓને હવેથી સરકારી નોકરીઓમાં માત્ર 5 ટકા અનામતનો લાભ મળશે જ, પરંતુ તેમને વીમા સુરક્ષા પણ મળશે. રાજ્ય સરકાર દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે જો દહીંહાંડી રમતી વખતે કોઈ અકસ્માત થાય અને આવી સ્થિતિમાં કોઈ ગોવિંદાનું મૃત્યુ થાય તો સંબંધિત ગોવિંદાના પરિવારજનોને 10 લાખ રૂપિયાની રકમ આપવામાં આવશે.
ગંભીર ઈજાના કિસ્સામાં 7 લાખ 50 હજાર રૂપિયાની રકમ મદદ તરીકે આપવામાં આવશે. એટલે કે આવા અકસ્માતમાં જો કોઈ ગોવિંદા બંને આંખ કે બંને પગ કે બંને હાથ કે શરીરના કોઈ બે મહત્વપૂર્ણ અંગ ગુમાવે તો તેને સાડા સાત લાખ રૂપિયા રાજ્ય તરફથી મદદ તરીકે આપવામાં આવશે. સરકાર આવી દુર્ઘટનામાં જો કોઈ ગોવિંદનો હાથ, પગ કે શરીરનો કોઈ ભાગ ખોવાઈ જાય તો આવી સ્થિતિમાં તેને મદદ તરીકે 5 લાખ રૂપિયા આપવામાં આવશે.
બુધવારે લેવાયેલો નિર્ણય ગુરુવારથી અમલમાં આવ્યો
બુધવારે રાજ્યના રમતગમત વિભાગને લગતી મહત્વની બેઠક મળી હતી. રમતગમત મંત્રી ગિરીશ મહાજનના જણાવ્યા અનુસાર, આ જ બેઠકમાં દહીં હાંડીનો એડવેન્ચર સ્પોર્ટ્સના સ્વરૂપ તરીકે સમાવેશ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ગુરુવારે આ અંગે સરકારી આદેશ જારી કરવામાં આવ્યો હતો અને તેનો અમલ કરવામાં આવ્યો હતો.