Drugs Case : NIA ની ટીમના મુંબઈમાં ધામા, શું ક્રુઝ ડ્રગ્સ કેસની તપાસ હવે NIA કરશે ?

નાર્કોટિક્સ એક્ટ અનુસાર NCB આ કેસ સાથે સંબંધિત નાણાકીય વ્યવહારોનો રિપોર્ટ તૈયાર કરશે અને 90 દિવસમાં ED ને સુપરત કરશે.

Drugs Case : NIA ની ટીમના મુંબઈમાં ધામા, શું ક્રુઝ ડ્રગ્સ કેસની તપાસ હવે NIA કરશે ?
Cruise Drugs Case
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 31, 2021 | 4:08 PM

Mumbai Cruise Drugs Case : મુંબઈમાં ક્રૂઝ ડ્રગ્સ કેસ માટે NIA ની ટીમ NCB મુંબઈ હેડક્વાર્ટર પહોંચી છે. આ દરમિયાન તેણે કેસ સાથે જોડાયેલા કેટલાક દસ્તાવેજની કોપી લીધી છે. સાથે તેણે NCB ને પૂછ્યું છે કે શું આ મામલે કોઈ નાર્કો-ટેરર એન્ગલ છે. જેના પર NCB એ જણાવ્યુ હતુ કે અત્યાર સુધીની તપાસમાં આવો કોઈ એન્ગલ સામે આવ્યો નથી.

નાર્કોટિક્સ એક્ટ (Narcotics Act) મુજબ, NCB આ કેસ સાથે સંબંધિત નાણાકીય વ્યવહારોનો રિપોર્ટ તૈયાર કરશે અને 90 દિવસમાં ED ને સુપરત કરશે. જે SOP નો એક ભાગ છે જેનું પાલન કરવામાં આવશે. એનસીબીએ મુંબઈ પોલીસ (Mumbai Police) પાસેથી કેસ સાથે સંબંધિત આરોપીઓના જૂના ગુનાહિત ઈતિહાસ વિશે માહિતી માંગી છે. આ ઉપરાંત અન્ય સંબંધિત એજન્સીઓ પાસેથી પણ આરોપીઓની સંપત્તિની માહિતી માંગવવામાં આવી છે.

NIA એ NCB અધિકારીઓની પૂછપરછ કરી છે

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

સૂત્રોના જણાવ્યા અનુસાર, NCB ને લાગે છે કે NIA ની દખલગીરી ભવિષ્યની અન્ય તપાસમાં તેની સત્તા અને તેની વિશ્વસનીયતાને નબળી પાડશે. એક અધિકારીએ જણાવ્યું કે, અત્યાર સુધીની તપાસમાં તેમને કોઈ આતંકવાદી એંગલ મળ્યો નથી. જો કે, વોટ્સએપ ચેટ અને ઘણા લોકોની પૂછપરછ પછી, ક્રુઝ ડ્રગ્સ કેસમાં (Cruise Drugs Case) ઘણા સ્ટાર કિડ્સ અને આંતરરાષ્ટ્રીય ડ્રગ પેડલર્સના નામ સામે આવ્યા છે.

ક્રુઝ કેસના તાર આંતરરાષ્ટ્રીય ડ્ર્ગ્સ રેકેટ સાથે જોડાયેલા હતા

ઉલ્લેખનીય છે કે, મુંબઈના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેના (Sameer Wankhede) નેતૃત્વમાં ડ્રગ્સ કેસના સંબંધમાં ક્રૂઝ પર દરોડા પાડવામાં આવ્યા હતા. ત્યારે હાલ વાનખેડે પોતે પણ આ મામલે અનેક આરોપોનો સામનો કરી રહ્યા છે. કેસના સાક્ષી પ્રભાકર સાઈલે વાનખેડે પર કેસને દૂર કરવા માટે કરોડો રૂપિયા આપવાનો આરોપ લગાવ્યો છે. જો કે આ આરોપ લગાવ્યા બાદ તે પોતે પણ NCB સમક્ષ હાજર નથી થઈ રહ્યા.

આ પણ વાંચો: સમીર વાનખેડેથી નારાજ થયા અમિત શાહ, શું આર્યન ડ્રગ્સ કેસમાં NCB મુખ્યાલયને પણ અંધારામાં રાખવામાં આવ્યુ ?

આ પણ વાંચો: NCB અધિકારીઓ નિર્દોષ લોકોને ફસાવી રહ્યા છે, SC ઉપાધ્યક્ષના નિવેદન બાદ પણ નવાબ મલિક તેના આરોપો પર અડગ

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">