AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સમીર વાનખેડેથી નારાજ થયા અમિત શાહ, શું આર્યન ડ્રગ્સ કેસમાં NCB મુખ્યાલયને પણ અંધારામાં રાખવામાં આવ્યુ ?

સૂત્રોનો જણાવ્યા અનુસાર મુંબઈ વિભાગીય કચેરીએ આર્યન કેસ અંગે દિલ્હી મુખ્યાલયને તમામ માહિતી આપી ન હતી. આર્યન ખાન પાસેથી ડ્રગ્સ રિકવર કરવામાં આવ્યું નથી, આ મહત્વપૂર્ણ માહિતી દિલ્હીમાં હેડક્વાર્ટરને પણ આપવામાં આવી ન હતી.

સમીર વાનખેડેથી નારાજ થયા અમિત શાહ, શું આર્યન ડ્રગ્સ કેસમાં NCB મુખ્યાલયને પણ અંધારામાં રાખવામાં આવ્યુ ?
Amit Shah (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 31, 2021 | 1:32 PM
Share

Sameer Wankhede Case : નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે દ્વારા આર્યન ખાન ડ્રગ્સ કેસને (Aryan Khan Drugs Case) જે રીતે હેન્ડલ કરવામાં આવ્યો હતો તેને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ખૂબ જ ગંભીરતાથી લીધો છે. મળતી માહિતી મુજબ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સમીર વાનખેડેની કામગિરીથી ખૂબ નારાજ થયા છે. આ મામલે સૌથી ગંભીર બાબત એ છે કે NCB હેડક્વાર્ટરને પણ અંધારામાં રાખવામાં આવ્યું હતું.

આર્યન ખાન ડ્રગ્સ કેસમાં ખામીઓ સામે આવી

તમને જણાવી દઈએ કે, ભાજપના કેટલાક નેતાઓ ત્રણ દિવસની મહત્વપૂર્ણ બેઠક માટે દિલ્હી ગયા હતા. આ દરમિયાન અમિત શાહે રાજ્યના કેટલાક બીજેપી નેતાઓ સાથે ચર્ચા કરી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ સિવાય તેને અન્ય સ્ત્રોતોમાંથી પણ માહિતી મળી હતી. તેમજ આર્યન કેસની (Aryan Case) તપાસ અને તેને જે રીતે હેન્ડલ કરવામાં આવે છે તેમાં ઘણી ખામીઓ સામે આવી છે. જો કે હાલમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલય આ મામલે મૌન રહ્યુ છે.

NCBની સ્વાયત્તતાનો અર્થ એ નથી કે વ્યક્તિ મુક્તપણે અધિકારોનો ઉપયોગ કરી શકે

સામાન્ય રીતે, ગૃહ મંત્રાલય NCBની (Narcotics Control Bureau) રોજબરોજની બાબતોમાં દખલ કરતું નથી. પરંતુ જો કોઈ કાર્ય સંસ્થાની છબી ખરડતું હોય અથવા સરકારની બદનામી કરતું હોય તો કોઈ પણ અધિકારીને આવું કામ કરવાની મંજૂરી આપી શકાય નહીં. NCB ડીજી સત્યનારાયણ પ્રધાનને પણ આ તપાસમાં ઘણી ખામીઓ નજરે આવી છે. આ નબળાઈઓ સામે આવ્યા બાદ હવે વાનખેડેને આ મામલે સંપૂર્ણ છૂટ આપવામાં આવી નથી.

આર્યન ખાન પાસેથી ડ્રગ્સ ન મળવા અંગે હેડક્વાર્ટરને પણ જાણ નથી

સુત્રો તરફથી જણાવવામાં આવી રહ્યું છે કે, મુંબઈ વિભાગીય કચેરીએ (Mumbai) દિલ્હી સ્થિત મુખ્યાલયને આર્યન કેસ અંગે તમામ માહિતી આપી ન હતી. આર્યન ખાન પાસેથી ડ્રગ્સ રિકવર કરવામાં આવ્યું નથી, આ મહત્વપૂર્ણ માહિતી દિલ્હીમાં હેડક્વાર્ટરને પણ આપવામાં આવી ન હતી. જ્યારે કાયદા પ્રમાણે આવા મહત્વના મામલાની તમામ માહિતી મુખ્યાલય સુધી પહોંચવી જોઈએ. ત્યારે હાલ વાનખેડેની કામગિરીને લઈને સવાલ ઉભા થઈ રહ્યા છે.

આ પણ વાંચો: Nawab Malik : ક્રૂઝ રેવ પાર્ટીમાં એક રેસ્ટોરન્ટથી આવ્યું હતું જમવાનું, તેની સાથે ડ્રગ્સ પણ મોકલવામાં આવ્યું: નવાબ મલિકનો નવો દાવો

આ પણ વાંચો: Sameer Wankhede Case: ‘સમીર વાનખેડેએ ધર્મ બદલ્યો, એવું લાગતું નથી’, રાષ્ટ્રીય SC કમિશનના ઉપાધ્યક્ષનું મોટું નિવેદન

ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
અમેરિકામાં 75 દેશોના નાગરિકોની‘No Entry’
અમેરિકામાં 75 દેશોના નાગરિકોની‘No Entry’
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
ભાવનગરથી માત્ર 20 કિલોમીટર દૂર સિંહોના આંટાફેરા
ભાવનગરથી માત્ર 20 કિલોમીટર દૂર સિંહોના આંટાફેરા
ઉત્તરાયણના પર્વે દારૂના વેપલાનો પર્દાફાશ - જુઓ Video
ઉત્તરાયણના પર્વે દારૂના વેપલાનો પર્દાફાશ - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">