AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra: નાસિકથી શિરડી હવે માત્ર દોઢ કલાકમાં પહોંચી શકાશે, સિન્નરનો ફોર લેન હાઈવે ટૂંક સમયમાં થશે શરૂ

સિન્નરથી શિરડી 60 કિમીનો હાઇવે છે, તેનું કામ લગભગ પુરુ થવામાં છે. અગાઉ આ પ્રોજેક્ટ ઓક્ટોબર 2022માં પૂર્ણ થવાનો હતો. પરંતુ આ પ્રોજેકટ પૂર્ણ થવામાં આવનારી મુશ્કેલીઓને દૂર કરવામાં આવી હતી. જેના કારણે હવે આ હાઈવે ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યો છે.

Maharashtra: નાસિકથી શિરડી હવે માત્ર દોઢ કલાકમાં પહોંચી શકાશે, સિન્નરનો ફોર લેન હાઈવે ટૂંક સમયમાં થશે શરૂ
Nasik to Shirdi in just an hour
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 01, 2022 | 4:21 PM
Share

નવા વર્ષના પ્રથમ દિવસે શિરડીના સાંઈ બાબાના ભક્તો અને નાસિકના (Shirdi) રહેવાસીઓ માટે એક સારા સમાચાર છે. હવે નાસિકથી શિરડીની યાત્રા માત્ર દોઢ કલાકમાં પુરી થશે. આ માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવા જઈ રહ્યો સિન્નર-શિરડી ફોર લેન હાઈવે (Nasik-Sinnar-Shirdi Highway) ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યો છે. તેનાથી મુંબઈથી (Mumbai) શિરડી વચ્ચેનું અંતર આપોઆપ ઓછું થઈ જશે. આ હાઇવે માર્ચના અંતમાં શરૂ થાય તેવી શક્યતા છે.

સિન્નરથી શિરડી 60 કિમીનો હાઇવે છે. તેનું કામ લગભગ પૂર્ણ થવાના આરે છે. તેથી જ માર્ચ મહિનામાં તેને પરીવહન માટે ખોલવામાં આવે તેવી શક્યતા છે. અગાઉ આ પ્રોજેક્ટ ઓક્ટોબર 2022માં પૂર્ણ થવાનો હતો. પરંતુ આ પ્રોજેકટ પૂર્ણ થવામાં પડતી મુશ્કેલીઓ દૂર થઇ હતી. જેના કારણે હવે આ હાઈવે ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યો છે.

19 ગામોની જમીન લઈને બનાવવામાં આવ્યો છે 60 કિમીનો હાઈવે

આ 60 કિલોમીટરનો હાઇવે બનાવવા માટે સિન્નર તાલુકાના 19 ગામોમાંથી જમીન લેવામાં આવી છે. નાસિકથી શિરડી જતા માર્ગ પર, આ હાઇવે નાશિક-પુણે વચ્ચે ગુરેવાડીથી શરૂ થાય છે. આ માર્ગ નગરથી મનમાડ હાઈવે વચ્ચે સાવલીવિહિર ફાટાને જોડે છે. સિન્નર-શિરડી હાઈવે વચ્ચે બે ફ્લાય ઓવર બ્રિજ છે.

ગુરેવાડીથી મુસલગાંવ MIDC સુધી બે ફ્લાયઓવર બનાવવામાં આવનાર છે. તેની લંબાઈ 500 મીટર છે. આ રોડ દાતલી, પાંગરી, વાવી અને પાથરે વિસ્તાર પાસે અંડરગ્રાઉન્ડ હશે. અહમદનગર જિલ્લાના દરડે, ઝગડેફાટા, સાવલીવિહિર જવાના માર્ગ પર આ અંડરગ્રાઉન્ડ રોડ બનાવવામાં આવ્યો છે.

સાંઈ બાબાના ભક્તો માટે 51 કિલોમીટર લાંબો અલગ લેન

દર વર્ષે લાખો ભક્તો શિરડીના સાંઈ બાબાના ચરણોમાં માથું નમાવવા આવે છે. આ મુસાફરોને ધ્યાનમાં રાખીને હાઈવેમાં તેમના માટે અલગ લેન તૈયાર કરવામાં આવ્યો છે. સાંઈ ભક્તો માટે આ અલગ લેન 51 કિલોમીટર લાંબો છે. નાસિક અને નગર જિલ્લામાંથી આ માર્ગ શિરડી સુધી જાય છે.

આ લેન ગુરેવાડી, મુસલગાંવથી શરૂ થાય છે. આગળ તે સાવલીવિહિર પહોંચે છે. આ દરમિયાન મુસાફરોની સુવિધા માટે અલગ-અલગ જગ્યાએ ભૂગર્ભ માર્ગો તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં પાંગરી, વાવી, ખોપડી, મુસલગાંવ ફાટા અને પાથરેમાં આ રોડ તૈયાર કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો :  Maharashtra: સરકાર પર કોરોનાનું ગ્રહણ, 10 મંત્રીઓ અને 20 ધારાસભ્યો થયા સંક્રમિત, શું મહારાષ્ટ્રમાં હવે લોકડાઉન થશે ?

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">