મહારાષ્ટ્રના પર્યાવરણ અને પ્રદૂષણ પ્રધાન આદિત્ય ઠાકરેએ હેમરાજ શાહ સંપાદિત પુસ્તક ‘વાર્તાવિશેષ’નું વિમોચન કર્યુ
મુંબઈ ગુજરાતી સમાજના ઉપક્રમે સોમવારે મંત્રાલય ખાતે યોજાયેલા કાર્યક્રમમાં હેમરાજ શાહ સંપાદિત પુસ્તક ‘વાર્તાવિશેષ’નું વિમોચન કરવામાં આવ્યું હતું. પુસ્તકનું વિમોચન મુંબઈના પર્યાવરણ અને પ્રદુષણ વિભાગના પ્રધાન અને મહારાષ્ટ્રના મુખ્યપ્રધાનના પુત્ર આદિત્ય ઠાકરેના હસ્તે કરવામાં આવ્યું હતું. Web Stories View more IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો યુઝ કરેલા વેટ વાઈપ્સને […]
મુંબઈ ગુજરાતી સમાજના ઉપક્રમે સોમવારે મંત્રાલય ખાતે યોજાયેલા કાર્યક્રમમાં હેમરાજ શાહ સંપાદિત પુસ્તક ‘વાર્તાવિશેષ’નું વિમોચન કરવામાં આવ્યું હતું. પુસ્તકનું વિમોચન મુંબઈના પર્યાવરણ અને પ્રદુષણ વિભાગના પ્રધાન અને મહારાષ્ટ્રના મુખ્યપ્રધાનના પુત્ર આદિત્ય ઠાકરેના હસ્તે કરવામાં આવ્યું હતું.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
મંત્રાલયની કેબિનનં 717માં યોજાયેલા કાર્યક્રમમાં પર્યાવરણ અને પ્રદૂષણ પ્રધાન આદિત્ય ઠાકરેએ જણાવ્યું કે હેમરાજભાઈ હાલતીચાલતી લાઈબ્રેરી જેવા છે. પ્લાસ્ટિક બંધની ચળવળ મેં શરૂ કરી ત્યારે હેમરાજભાઈ શાહે પ્લાસ્ટિક બંધ વિશે પુસ્તક પ્રસિદ્ધ કર્યુ હતું.
ત્યારે હેમરાજભાઈ શાહે કાર્યક્રમમાં જણાવ્યું કે અગાઉ મારા 49 પુસ્તક પ્રગટ થયા છે. આ મારૂ 50મું પુસ્તક છે. ત્યારે આ પ્રસંગે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરીયલના નિર્માતા આસિત મોદી, અરવિંદ શાહ, ઉદય શાહ, ચીમન મોતા, નાગજીભાઈ રીટા, કનૈયાલાલ જોશી, દિવ્યાંશુ દેસાઈ, નયના શાહ, નિશા શાહ વગેરે ઉપસ્થિત રહ્યાં હતા. કાર્યક્રમનું તમામ સંચાલન કવિ મુકેશ જોશીએ કર્યુ હતું.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]