AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra: MSRTCએ 230 કર્મીઓને બરતરફ કરવા નોટિસ ઈશ્યુ કરી, 28 ઓક્ટોબરથી કર્મચારી છે હડતાલ પર

9 નવેમ્બરથી તેમનું આંદોલન ઝડપી બન્યુ હતું અને 250 ડેપોમાંથી બસ સેવાઓ અટકી ગઈ છે. એક અધિકારીએ કહ્યું અત્યાર સુધી MSRTCના 67,904 કર્મીઓમાં 21,644 કર્મી કામ પર પરત આવ્યા છે. કુલ 122 ડેપો કામ કરી રહ્યા છે, જ્યારે 129 ડેપો ચાલી રહ્યા નથી.

Maharashtra: MSRTCએ 230 કર્મીઓને બરતરફ કરવા નોટિસ ઈશ્યુ કરી, 28 ઓક્ટોબરથી કર્મચારી છે હડતાલ પર
File Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 14, 2021 | 11:20 PM
Share

મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (Maharashtra State Road Transport Corporation)એ મંગળવારે 230 કર્મીઓને નોટીસ ઈશ્યુ કરી અને તેમને પૂછ્યુ કે તેમની સેવાઓ સમાપ્ત કેમ ના કરવામાં આવે. MSRTCને રાજ્ય સરકાર સાથે મર્જ કરવાની માંગણી સાથે કર્મચારીઓ 28 ઓક્ટોબરથી હડતાળ પર છે.

9 નવેમ્બરથી તેમનું આંદોલન ઝડપી બન્યુ હતું અને 250 ડેપોમાંથી બસ સેવાઓ અટકી ગઈ છે. એક અધિકારીએ કહ્યું અત્યાર સુધી MSRTCના 67,904 કર્મીઓમાં 21,644 કર્મી કામ પર પરત આવ્યા છે. કુલ 122 ડેપો કામ કરી રહ્યા છે, જ્યારે 129 ડેપો ચાલી રહ્યા નથી.

મંગળવારે સાંજે 6 વાગ્યા સુધી અમે 250 બસ સેવાઓ સંચાલિત કરી છે અને મુસાફરોની સંખ્યા પણ વધી છે. રાજ્ય સરકારે હડતાળ કરી રહેલા કામદારોના વેતન વધારાને મંજૂરી આપી છે અને અન્ય ઘણી માંગણીઓ પર ધ્યાન આપવાની ખાતરી આપી છે, જો કે સરકારે મર્જર પર વિચાર કરવાનો ઈન્કાર કરી દીધો છે.

કમિટીના રિપોર્ટ આવ્યા બાદ જ થશે મર્જર

કર્મચારીઓની હડતાલ ખત્મ કરવા માટે શુક્રવારે પરિવહન મંત્રી પરબે એસટી મહામંડળના મુખ્યાલયમાં બેઠક કરી હતી. બેઠક બાદ પરબે કહ્યું કે કર્મચારીઓના વેતન વૃદ્ધિના નિર્ણયનો લેખિત આદેશ આપવામાં આવી ચૂક્યો છે. તેમને વેતન વધારીને મળશે. રહી વાત એસટી મહામંડળના રાજ્ય સરકારમાં વિલીનીકરણની તો, તેની પર અભ્યાસ કરવા માટે બોમ્બે હાઈકોર્ટના આદેશ પર સમિતિ બનાવવામાં આવી છે. સમિતિના રિપોર્ટ આવ્યા બાદ જ વિલીનીકરણ થઈ શકશે.

શક્ય તેટલી વહેલી તકે કામ પર પાછા ફરો

શુક્રવારે એસટી મહામંડળના 73,438 કર્મચારી હડતાલમાં સામેલ થયા. જ્યારે 18,828 કર્મચારીઓએ કામ કર્યુ, દિવસભરમાં 1,331 બસ રસ્તા પર ઉતરી હતી. પરિવહન મંત્રી પરબે કહ્યું કે હડતાલમાં સામેલ એસટી કર્મચારીઓની વચ્ચે ઘણા પ્રકારની અફવા ફેલાવવામાં આવી રહી છે. એવો ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે કે 60 દિવસ હડતાલ ચાલુ રહી તો મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેને રાજીનામું આપવું પડશે પણ હું એસટી કર્મચારીઓને સ્પષ્ટ કહેવા માંગુ છું કે એવો કોઈ કાયદો નથી, તેથી કર્મચારી અફવા પર વિશ્વાસ ના કરે. તેમના માટે સારૂ રહેશે કે તે શક્ય તેટલી વહેલી તકે કામ પર પાછા ફરે, જેથી લોકોની મુશ્કેલીઓને ખત્મ કરવામાં આવી શકે.

આ પણ વાંચો: ગુજરાતીઓ મોબાઇલ ફોન રાખવામાં પણ અગ્રેસર, સર્વેમાં સામે આવી વિગતો

આ પણ વાંચો: શરદ પવાર અને ફારૂક અબ્દુલ્લા સહિત વિપક્ષી નેતાઓએ સોનિયા ગાંધી સાથે કરી મુલાકાત, સંસદમાં સરકારને ઘેરવાની બનાવી રણનીતિ

પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">