Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra Politics: રાજ ઠાકરેનું અલ્ટીમેટમ, 3 મે સુધીમાં મસ્જિદમાંથી લાઉડસ્પીકર નહીં હટાવવામાં આવે તો હિન્દુ જવાબ આપવા તૈયાર રહે

રાજ ઠાકરેએ (Raj Thackeray) મસ્જિદો પર લગાવેલા લાઉડસ્પીકર હટાવવાનું અલ્ટીમેટમ આપ્યું હતું. તેણે સવાલ ઉઠાવ્યો હતો કે નમાઝ માટે માત્ર રસ્તા અને ફૂટપાથ શા માટે? તેણે કહ્યું કે આ તમારી પ્રાર્થના છે, એટલા માટે ઘરે નમાઝ પઢો.

Maharashtra Politics: રાજ ઠાકરેનું અલ્ટીમેટમ, 3 મે સુધીમાં મસ્જિદમાંથી લાઉડસ્પીકર નહીં હટાવવામાં આવે તો હિન્દુ જવાબ આપવા તૈયાર રહે
Raj Thackeray - File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 17, 2022 | 8:26 PM

મહારાષ્ટ્રમાં (Maharashtra) મસ્જિદના લાઉડસ્પીકરનો મુદ્દો જોર પકડી રહ્યો છે. આ મામલે એમએનએસ ચીફ રાજ ઠાકરેએ (Raj Thackeray) ફરી એકવાર મોટું નિવેદન આપ્યું છે. રાજ ઠાકરે દ્વારા તમામ હિન્દુઓને તૈયાર રહેવાની અપીલ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે દેશના તમામ હિંદુઓ તૈયાર રહે, જો 3 મે સુધીમાં મસ્જિદોમાં લગાવેલા લાઉડસ્પીકર હટાવવામાં નહીં આવે તો સામે એવો જ જવાબ આપવો પડશે. રાજ ઠાકરેએ કહ્યું કે સુપ્રીમ કોર્ટના આદેશનું કોઈપણ સંજોગોમાં પાલન કરવું જોઈએ. આ સાથે રાજ ઠાકરેએ કહ્યું છે કે તેઓ 1 મેના રોજ ઔરંગાબાદમાં એક મોટી રેલીને સંબોધિત કરશે. તેમજ 5 જૂને તેઓ અયોધ્યા જશે.

એબીપી ન્યૂઝના સમાચાર અનુસાર, તેઓ અયોધ્યામાં ભગવાન શ્રી રામના દર્શન કરશે. ત્યારબાદ લાઉડસ્પીકર બાબતે આક્રમક રીતે કામ કરવામાં આવશે. તાજેતરમાં જ રાજ ઠાકરેએ મસ્જિદો પર લગાવેલા લાઉડસ્પીકર હટાવવાનું અલ્ટીમેટમ આપ્યું હતું. તેણે સવાલ ઉઠાવ્યો હતો કે નમાઝ માટે માત્ર રસ્તા અને ફૂટપાથ શા માટે? તેણે કહ્યું કે આ તમારી પ્રાર્થના છે. એટલા માટે ઘરે જ નમાઝ અદા કરો. રાજ ઠાકરેએ કહ્યું હતું કે અમને આ બધું સંભળાવવાની શું જરૂર છે. સાથે MNS ચીફે કહ્યું હતું કે જો આ લોકો અમારી વાત નહીં સમજે તો મસ્જિદની સામે હનુમાન ચાલીસા વગાડવામાં આવશે.

કયો ધર્મ બીજા ધર્મને નુકસાન પહોંચાડે છે

રાજ ઠાકરેએ મહારાષ્ટ્ર સરકારને પડકાર ફેંક્યો હતો અને કહ્યું હતું કે તેઓ આ મુદ્દે પાછળ હટશે નહીં. તેમને જે કરવું હોય તે કરો. રાજ ઠાકરેએ સવાલ કર્યો હતો કે એવો કયો ધર્મ છે જે અન્ય ધર્મોને તકલીફ આપે છે. તેણે ગૃહ વિભાગને કહ્યું કે તે રમખાણો ઇચ્છતા નથી. આ સાથે તેમણે અલ્ટીમેટમ આપતા કહ્યું કે 3 મે સુધીમાં તમામ લાઉડસ્પીકર મસ્જિદમાંથી હટાવી લેવા જોઈએ.

Gold Price : ગરીબ પાકિસ્તાનમાં સોનાના ભાવ ઓલ ટાઈમ હાઈ, જાણો કિંમત
છૂટાછેડાના દિવસે યુઝવેન્દ્ર ચહલના ટી-શર્ટ પર કેમ હંગામો?
Vastu Tips : દરેક ઘરમાં તુલસીની પૂજા શા માટે જરૂરી માનવામાં આવે છે?
સ્પોર્ટ્સ ડ્રિંક્સ અને એનર્જી ડ્રિંક્સ વચ્ચે શું તફાવત છે?
શરીરમાં હેપ્પી હોર્મોન્સ વધારવા શું ખાવું?
અમેરિકામાં મજૂરોને 1 મહિનાનો કેટલો પગાર મળે છે ?

લાઉડસ્પીકર કોઈ ધાર્મિક મુદ્દો નથી

મસ્જિદો પર લગાવવામાં આવેલા લાઉડસ્પીકરનો ઉલ્લેખ કરતા રાજ ઠાકરેએ કહ્યું કે રેલીઓ માટે પ્રશાસનની પરવાનગી લેવી પડે છે. જ્યારે મસ્જિદોમાં દિવસમાં લગભગ 5 વખત લાઉડસ્પીકર પર નમાઝ અને અઝાન કરવામાં આવે છે. MNS નેતાએ કહ્યું કે આ માટે કોઈ કાયદો નથી. તેમણે પૂછ્યું કે તેમને આ માટે કોણ પરવાનગી આપે છે. તેમણે કહ્યું કે તેમણે ઘણું સહન કર્યું પણ હવે બહુ થયું. રાજ ઠાકરેએ કહ્યું કે મુસ્લિમોએ સમજવું પડશે કે આ કોઈ ધાર્મિક મુદ્દો નથી. આ એક સામાજિક મુદ્દો છે. હવે આ અંગે નિર્ણય લેવાનો છે.

આ પણ વાંચો :  Anil Deshmukh Judicial Custody: મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અનિલ દેશમુખને 14 દિવસની ન્યાયિક કસ્ટડી, CBI કોર્ટનો ચુકાદો

ખેડૂતોને વળતર ના ચૂકવાતા IAS અધિકારીની ખુરશી, કોમ્પ્યુટર, સીપીયુ જપ્ત
ખેડૂતોને વળતર ના ચૂકવાતા IAS અધિકારીની ખુરશી, કોમ્પ્યુટર, સીપીયુ જપ્ત
પાર્લર સંચાલકને વિશ્વાસમાં લઈ સોનાનો દોરો લઈ 3 મહિલા ફરાર
પાર્લર સંચાલકને વિશ્વાસમાં લઈ સોનાનો દોરો લઈ 3 મહિલા ફરાર
સરખેજમાં 5 આરોપીઓના મકાનો પર ફર્યુ બુલડોઝર
સરખેજમાં 5 આરોપીઓના મકાનો પર ફર્યુ બુલડોઝર
રાશિફળ : આ રાશિના જાતકોએ આજે વાણી પર રાખવું નિયંત્રણ
રાશિફળ : આ રાશિના જાતકોએ આજે વાણી પર રાખવું નિયંત્રણ
અસામાજિક તત્વોના આતંક બાદ અમદાવાદના 28 PIની આંતરિક બદલી
અસામાજિક તત્વોના આતંક બાદ અમદાવાદના 28 PIની આંતરિક બદલી
સુનિતા વિલિયમ્સની ઘર વાપસીને લઈ ઝુલાસણમાં યોજાઈ ભવ્ય શોભાયાત્રા
સુનિતા વિલિયમ્સની ઘર વાપસીને લઈ ઝુલાસણમાં યોજાઈ ભવ્ય શોભાયાત્રા
Rajkot : રાજકોટમાં ફૂડ વિભાગની તવાઈ, 8 કિલો અખાદ્ય જથ્થો કરાયો જપ્ત
Rajkot : રાજકોટમાં ફૂડ વિભાગની તવાઈ, 8 કિલો અખાદ્ય જથ્થો કરાયો જપ્ત
યુવકને હનીટ્રેપમાં ફસાવી પૈસા પડાવવા મામલે ઘટસ્ફોટ, 3 આરોપીની ધરપકડ
યુવકને હનીટ્રેપમાં ફસાવી પૈસા પડાવવા મામલે ઘટસ્ફોટ, 3 આરોપીની ધરપકડ
આ 4 રાશિના જાતકોની આજે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે
આ 4 રાશિના જાતકોની આજે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે
જાણો તમારા જિલ્લામાં કેવું રહેશે તાપમાન, ક્યાં વરશસે અગન ગોળા
જાણો તમારા જિલ્લામાં કેવું રહેશે તાપમાન, ક્યાં વરશસે અગન ગોળા
g clip-path="url(#clip0_868_265)">