AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra: હું પીએમ પદનો દાવેદાર નથી, મારું કામ વિપક્ષને એક કરવાનું છે: શરદ પવાર

NCP વડા શરદ પવારે પણ પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં રાહુલ ગાંધીની પદયાત્રાની સફળતાનું ઉદાહરણ છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી વિશે કોઈ કંઈ પણ કહે, પરંતુ મને ખાતરી છે કે લોકો તેમની વિચારધારા સાથે ઉભા રહેશે અને તેને મજબૂત કરવા માટે કામ કરશે.

Maharashtra: હું પીએમ પદનો દાવેદાર નથી, મારું કામ વિપક્ષને એક કરવાનું છે: શરદ પવાર
Sharad Pawar
TV9 Gujarati
| Edited By: | Updated on: May 23, 2023 | 7:39 AM
Share

દેશમાં આગામી લોકસભાની ચૂંટણી માટે નેતાઓએ ફરી એકવાર વિપક્ષી એકતા માટે પ્રયત્નો કરી રહ્યા છે. હાલમાં નીતીશ કુમાર આમાં સૌથી આગળ જોવા મળી રહ્યા છે. બીજી તરફ કર્ણાટકની જીત બાદ કોંગ્રેસનું મનોબળ વધી ગયું હોય તેવું લાગી રહ્યું છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વડા શરદ પવારે સોમવારે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે તેઓ વડાપ્રધાન પદની રેસમાં નથી. પવારે કહ્યું કે આજે આપણને એવા નેતૃત્વની જરૂર છે જે દેશના હિતમાં કામ કરી શકે.

NCP વડા શરદ પવારે પણ પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં રાહુલ ગાંધીની પદયાત્રાની સફળતાનું ઉદાહરણ છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી વિશે કોઈ કંઈ પણ કહે, પરંતુ મને ખાતરી છે કે લોકો તેમની વિચારધારા સાથે ઉભા રહેશે અને તેને મજબૂત કરવા માટે કામ કરશે.

શરદ પવાર આગામી ચૂંટણી નહીં લડે

બીજી તરફ વિપક્ષી એકતા પર શરદ પવારે કહ્યું કે મારો પ્રયાસ વિપક્ષના તમામ પક્ષોને સાથે લાવવાનો છે. તેમણે કહ્યું કે બિહારના સીએમ નીતિશ કુમાર પણ આવા જ પ્રયાસો કરી રહ્યા છે. આ સાથે પીએમ પદના સવાલ પર તેમણે કહ્યું કે જ્યારે તેઓ આગામી ચૂંટણી નહીં લડે તો વડાપ્રધાન પદના ઉમેદવાર બનવાનો પ્રશ્ન ક્યાંથી ઉભો થાય છે. પવારે સ્પષ્ટ કહ્યું કે તેઓ પીએમની રેસમાં નથી. તેમણે કહ્યું કે દેશને એવા નેતૃત્વની જરૂર છે, જે તેના વિકાસ માટે કામ કરી શકે.

આ પણ વાંચો : Sameer Wankhede: સમીર વાનખેડેની નહીં થાય ધરપકડ, બોમ્બે હાઈકોર્ટે 8 જૂન સુધી આપી મોટી રાહત

સીટ વહેંચણી અંગે હજુ કોઈ નિર્ણય નથી

બીજી તરફ ચૂંટણી માટે સીટોની વહેંચણી પર એનસીપી પ્રમુખ શરદ પવારે કહ્યું કે હજુ સુધી આ અંગે કોઈ ચર્ચા થઈ નથી. તેમણે કહ્યું કે મારા નિવાસસ્થાને થયેલી બેઠકમાં ચર્ચા થઈ હતી કે એમવીએ ગઠબંધનના ત્રણેય પક્ષોના નેતાઓ બેસીને તેના પર નિર્ણય લેશે. તેમણે કહ્યું કે ઉદ્ધવ ઠાકરે, સોનિયા ગાંધી અથવા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને હું સાથે બેસીને ચર્ચા કરીશું.

મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">