AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sameer Wankhede: સમીર વાનખેડેની નહીં થાય ધરપકડ, બોમ્બે હાઈકોર્ટે 8 જૂન સુધી આપી મોટી રાહત

આ પહેલા સમીર વાનખેડેના વકીલે કોર્ટમાંથી રાહતની વાત કરી તો સીબીઆઈએ કહ્યું કે અમને તપાસ માટે વધુ સમય જોઈએ છે. અમારી પાસે તપાસ માટે શનિવાર અને રવિવાર એટલે કે બે દિવસ જ છે. સીબીઆઈએ કહ્યું કે સમીરની વધુ પૂછપરછ કરવાની જરૂર છે.

Sameer Wankhede: સમીર વાનખેડેની નહીં થાય ધરપકડ, બોમ્બે હાઈકોર્ટે 8 જૂન સુધી આપી મોટી રાહત
Sameer wankhede
TV9 Gujarati
| Edited By: | Updated on: May 22, 2023 | 6:27 PM
Share

Mumbai: નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ના ભૂતપૂર્વ ઝોનલ ચીફ સમીર વાનખેડેને (Sameer Wankhede) બોમ્બે હાઈકોર્ટમાંથી રાહત મળી છે. કોર્ટે સમીર વાનખેડેની ધરપકડ પર 8મી જૂન સુધી રોક લગાવી છે. આ મામલાની આગામી સુનાવણી હવે 8મી જૂને છે. બોમ્બે હાઈકોર્ટે સોમવારે સમીર વાનખેડેને પૂછ્યું કે શું તે શાહરૂખ ખાન વચ્ચેની ચેટ મીડિયામાં લીક થવા માટે જવાબદાર છે?

કોર્ટે પૂછ્યું કે શું સમીર વાનખેડે પર શાહરૂખ પાસેથી 25 કરોડ રૂપિયા પડાવવાનો આરોપ છે. તેણે આ ચેટ વાયરલ કરી છે. આના પર સમીર વાનખેડેના વકીલ આબાદ પોંડાએ જવાબ આપ્યો કે તે અરજીનો ભાગ છે. મેં ચેટ વાયરલ નથી કરી.

આ પહેલા સમીર વાનખેડેના વકીલે કોર્ટમાંથી રાહતની વાત કરી તો સીબીઆઈએ કહ્યું કે અમને તપાસ માટે વધુ સમય જોઈએ છે. અમારી પાસે તપાસ માટે શનિવાર અને રવિવાર એટલે કે બે દિવસ જ છે. સીબીઆઈએ કહ્યું કે સમીરની વધુ પૂછપરછ કરવાની જરૂર છે.

તે જ સમયે સમીર વાનખેડે વતી એડવોકેટ આબાદ પોંડાએ કોર્ટમાં દલીલો કરી હતી. એડવોકેટ પોંડાએ કહ્યું કે મારો ઈરાદો સારો હતો. મારો હેતુ સમાજમાંથી ડ્રગ્સને ખતમ કરવાનો હતો. પરંતુ કેટલાક લોકો તેને મંજૂરી આપતા ન હતા. હું કોઈનું નામ નહીં લઉં. વાનખેડેના વકીલે કહ્યું કે તેઓ તપાસમાં સહકાર આપશે. પરંતુ વચગાળાની રાહત આપવી જોઈએ.

આ પણ વાંચો: Mumbai: મુંબઈની લોકલ ટ્રેનોને રિપ્લેસ કરશે વંદે ભારત મેટ્રો ! ટૂંક જ સમયમાં જ દોડાવાશે, ભીડથી મળશે છુટકારો

વાનખેડે કોઈ ખુલાસો કરવા તૈયાર નથી: CBI

સીબીઆઈએ કોર્ટ સામે કહ્યું કે સમીર વાનખેડેની તપાસ હજુ અધૂરી છે. વાનખેડે હજુ સુધી કોઈ મહત્વનો ખુલાસો કરવા તૈયાર નથી. સીબીઆઈએ કહ્યું કે તે તપાસના મહત્વના ભાગોને જાહેર કરી શકે નહીં. CBIના વકીલ કુલદીપ પાટીલે ગંભીર આરોપ લગાવ્યા છે.

કોર્ટમાંથી રાહત મળશે તો પુરાવાનો ગાયબ કરી શકે છે: CBI

વાનખેડેના વકીલે કહ્યું કે તપાસના બહાને તેઓ મારી ધરપકડ કરવા માંગે છે. એટલા માટે કોર્ટે મને વચગાળાની રાહત આપવી જોઈએ. તેના પર સીબીઆઈએ કહ્યું કે જો સમીર વાનખેડેને રાહત આપવામાં આવે તો તે પુરાવાનો નાશ કરી શકે છે.

સીબીઆઈ પીસી એક્ટના 17A સંબંધિત એફિડેવિટ દાખલ કરવામાં સક્ષમ નથી. એનસીબીએ 17એ એફિડેવિટ દાખલ કરી છે. સીબીઆઈ વધુ સમય માંગે છે પરંતુ ધરપકડમાંથી વચગાળાની રાહત સમાપ્ત કરવા માંગે છે. સીબીઆઈના વકીલનું કહેવું છે કે વચગાળાની રાહતને કારણે પુરાવા સાથે છેડછાડ થશે.

જજે વોટ્સએપ ચેટ લીક થવા સામે વાંધો ઉઠાવ્યો હતો

સમીર વાનખેડેના વકીલનું કહેવું છે કે તેઓ લેખિતમાં આપી શકે છે કે પુરાવા સાથે કોઈ છેડછાડ કરવામાં આવશે નહીં. જજે વોટ્સએપ ચેટ મીડિયામાં લીક થવા સામે વાંધો ઉઠાવ્યો હતો. સમીર વાનખેડેના વકીલનું કહેવું છે કે તેઓ મીડિયામાં ગયા નથી. વોટ્સએપ ચેટ અરજીનો એક ભાગ છે.

સીબીઆઈના વકીલે કહ્યું કે આ ચેટ્સ તે સમયથી છે જ્યારે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આ ચેટ્સ પિતા તરીકે કરવામાં આવી હતી. આજે વાનખેડે આ ચેટ્સને તેની નિર્દોષતાનું પ્રમાણપત્ર કહી રહ્યો છે.

જજ- આજે ચર્ચા છે કે તેની ધરપકડ કરવાની જરૂર છે કે નહીં.

સીબીઆઈ- ધરપકડ કરવી કે નહીં તે IOનો નિર્ણય હોય છે.

જજ – શું તમે શુક્રવારના આ કોર્ટના આદેશને પડકારી રહ્યા છો?

જજ – તમે ઈચ્છો છો કે જ્યારે તમે ફોન કરો ત્યારે તેઓ તપાસ માટે આવે અને જો તેઓ લેખિતમાં આપવામાં આવે તો પુરાવા સાથે છેડછાડ ન કરે.

સીબીઆઈ – પરંતુ IOના અધિકારોને prejudiced ન કરી શકો.

મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
g clip-path="url(#clip0_868_265)">