રાજકીય ખેંચતાણ યથાવત : મહારાષ્ટ્રના રાજ્યપાલ કોશ્યારીએ BMCની ‘આશ્રય યોજના’ની તપાસના આપ્યા આદેશ

રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ શિવસેનાને મોટો ઝટકો આપતા BMCની આશ્રય યોજનાની તપાસના આદેશ આપ્યા છે. તમને જણાવી દઈએ કે, ભાજપનો આરોપ છે કે BMCની આશ્રય યોજનામાં 1 હજાર 800 કરોડનું કૌભાંડ થયું છે.

રાજકીય ખેંચતાણ યથાવત : મહારાષ્ટ્રના રાજ્યપાલ કોશ્યારીએ BMCની 'આશ્રય યોજના'ની તપાસના આપ્યા આદેશ
CM Uddhav Thackeray and Governor Koshyari (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 02, 2022 | 4:05 PM

Maharashtra : મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકાર (CM Uddhav Thackeray)  ફરી એકવાર મુશ્કેલીઓમાં ઘેરાઈ છે. રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ (Governor Koshyari)  હવે રાજ્યમાં BMC કર્મચારીઓ માટે શરૂ કરવામાં આવેલી આશ્રય યોજના અંગે ચિંતિત છે. તેણે શિવસેનાને મોટો ફટકો આપતા BMCની “આશ્રય યોજના”ની તપાસ કરવાનો આદેશ આપ્યો છે. એટલું જ નહીં રાજ્યપાલે મહારાષ્ટ્રના લોકાયુક્તને આ મામલે તપાસ કરવાનો આદેશ આપતા શિવસેના (Shiv Sena) પર ચિંતાના વાદળો ઘેરાયા છે. ઉલ્લેખનીય છે કે, આ મામલે ભાજપે આરોપ લગાવ્યો છે કે BMCની આશ્રય યોજનામાં 1 હજાર 800 કરોડનું કૌભાંડ થયું છે.

ઉપરાંત આ મામલે ભાજપે આરોપ લગાવ્યો છે કે BMCની “આશ્રય યોજના” સંબંધિત CVC (Central Vigilance Commission)ના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. આ નિયમો મુજબ જો એક જ સહભાગી ટેન્ડરમાં ભાગ લે તો ટેન્ડર પાછું લેવામાં આવે પરંતુ શિવસેના આવુ કર્યુ નથી. તમને જણાવી દઈએ કે, આશ્રય યોજના હેઠળ ઉદ્ધવ સરકાર BMC કર્મચારીઓ માટે ક્વાર્ટર બનાવી રહી હતી.

ભાજપે 1800 કરોડના કૌભાંડનો આરોપ લગાવ્યો

રાજ્યમાં હાલ મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે અને કોશ્યારી વચ્ચે ખેંચતાણ જોવા મળી રહ્યુ છે. બીજી તરફ વિપક્ષી પાર્ટી ભાજપે આરોપ લગાવ્યો છે કે BMC અને શિવસેનાએ 1800 કરોડ રૂપિયાનું જંગી કૌભાંડ કર્યું છે. હાલ ભાજપે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને મળીને આ મામલે ફરિયાદ કરી હતી અને લોકાયુક્તને સમગ્ર મામલાની તપાસ કરાવવાની માંગ કરી હતી. જો કે, હવે આ મામલે રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ પણ BMCની “આશ્રય યોજના”ની તપાસ કરવાનો આદેશ આપતા શિવસેનામાં નારાજગી જોવા મળી રહી છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

શિવસેનાએ ગયા વર્ષે મંદિર વિવાદને લઈને રાજ્યપાલ કોશ્યરી પર નિશાન સાધ્યુ હતુ

તમને જણાવી દઈએ કે, ગયા વર્ષે મહારાષ્ટ્રમાં મંદિર ખોલવાના મુદ્દે શિવસેના અને રાજ્યપાલ ભગત સિંહ કોશ્યરી વચ્ચે વિવાદ વણસ્યો હતો. જ્યારે રાજ્યપાલ કોશ્યારીએ મંદિર ખોલવાને લઈને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને લખેલા પત્ર બાદ શિવસેનાએ પોતાના મુખપત્ર સામના દ્વારા કોશિયારી પર નિશાન સાધ્યું હતુ. તેના પર પ્રહાર કરતા શિવસેના દ્વારા લખવામાં આવ્યુ હતુ કે, ‘ભાજપના પેટમાં દુઃખાવો થઈ રહ્યો છે, પરંતુ બંધારણીય પદ પર બેઠેલા વ્યક્તિને પણ તેને કારણે લેબર પેઈન થાય, તે ગંભીર છે.

આ પણ વાંચો : Maharashtra : રાજ્યમાં ‘બુલ્લી બાઈ’ એપને લઈને હંગામો, ગૃહપ્રધાન સતેજ પાટિલે આપ્યુ મોટુ નિવેદન

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">