AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mumbai : કોરોનાનો કહેર યથાવત, ઓરપોર્ટ પર 15 કસ્ટમ અધિકારીઓનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની વધી ચિંતા

કોરોના સંક્રમિત અધિકારીઓમાં કસ્ટમ વિભાગના કમિશનર, આસિસ્ટન્ટ કમિશનર અને સુપ્રિન્ટેન્ડેન્ટ રેન્કના અધિકારીઓનો સમાવેશ થાય છે.

Mumbai : કોરોનાનો કહેર યથાવત, ઓરપોર્ટ પર 15 કસ્ટમ અધિકારીઓનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની વધી ચિંતા
15 Customs officers tested corona positive
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 02, 2022 | 12:56 PM
Share

Mumbai : મુંબઈમાં સતત કોરોના સંક્રમણ વધી રહ્યુ છે. મળતા અહેવાલ અનુસાર મુંબઈ એરપોર્ટ (Mumbai Airport)  કસ્ટમ્સના 15 અધિકારીઓ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે અન્ય અધિકારીઓના ટેસ્ટ રિપોર્ટ (Custom Officer) આવવાના બાકી છે. ઉલ્લેખનીય છે કે, મુંબઈ એરપોર્ટ પર વિવિધ દેશોમાંથી દરરોજ હજારો મુસાફરો આવે છે. જેથી ટેક્સ ચોરી અટકાવવા માટે અહીં કસ્ટમ અધિકારીઓની નિમણૂક કરવામાં આવે છે, ત્યારે આ દરમિયાન અધિકારીઓ અસંખ્ય પ્રવાસીઓના સંપર્કમાં આવે છે.

આ કોરોના સંક્રમિત અધિકારીઓમાં કમિશનર, આસિસ્ટન્ટ કમિશનર અને સુપ્રિન્ટેન્ડેન્ટ રેન્કના અધિકારીઓનો સમાવેશ થાય છે. તેઓને હાલ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. હાલ અધિકારીઓના સંપર્કમાં આવેલા લોકોનું પણ કોરોના ટેસ્ટિંગ (Corona Testing)  શરૂ કરવામાં આવ્યું છે અને તેમના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.

મુંબઈમાં વધતા કોરોના સંક્રમણે વધારી ચિંતા

કોરોનાની બીજી લહેર બાદ ફરી એકવાર કોરોનાએ માથુ ઉંચક્યુ છે. મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં એટલે કે શનિવારે મુંબઈમાં 6 હજાર 347 નવા કેસ નોંધાયા છે. જ્યારે શુક્રવારે 5 હજાર 631 કેસ નોંધાયા હતા. કોરોના સંક્રમણ વધવાની સાથે મુંબઈમાં સક્રિય કોરોના કેસની સંખ્યામાં પણ ઝડપથી વધારો થયો છે. હાલમાં મુંબઈમાં 22 હજાર 334 દર્દીઓની સારવાર શરૂ છે.

સાથે જ શનિવારે 451 દર્દીઓ કોરોનામાંથી રિકવર થઈને ધરે પરત ફર્યા છે. જો કે એક દર્દીનું કોરોનાને કારણે મોત પણ થયું છે. મુંબઈમાં કોરોના ગ્રોથ રેટ (Corona Growth Rate) 0.28 ટકા પર પહોંચી ગયો છે. કોરોના કેસ બમણા થવાનો સમયગાળો હવે 251 પર પહોંચી ગયો છે. હાલમાં કોરોના રિકવરી રેટ 95 ટકા છે. ત્યારે હાલ કોરોના કેસમાં ઉછાળો આવતા તંત્રની ચિંતા વધી છે.

કોરોના સંબંધિત નિયંત્રણોને વધુ કડક બનાવવમાં આવ્યા

મુંબઈમાં કોરોના અને ઓમિક્રોનના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને રાજ્ય અને સરકાર અને મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) દ્વારા કોરોના સંબંધિત નિયંત્રણોને વધુ કડક બનાવ્યા છે. મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ જણાવ્યું હતું કે, આવનારા દિવસોમાં મુંબઈકરોએ વધુ કડક પ્રતિબંધોનો સામનો કરવો પડી શકે છે.

આ પણ વાંચો : આ ભીડ ભારે પડશે : પુણેના જયસ્તંભ લશ્કરી સ્મારક પહોંચ્યા હજારો લોકો, પાંચ મુલાકાતીઓ કોરોના સંક્રમિત થતા ખળભળાટ

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
g clip-path="url(#clip0_868_265)">