મહારાષ્ટ્રમાં કોરોનાએ ફરી દેખા દીધી, મુંબઈને અડીને આવેલા ભિવંડીના વૃદ્ધાશ્રમમાં 69 લોકોને થયો કોરોના
આ વૃદ્ધાશ્રમના એક કર્મચારીની પુત્રીને તાવ હતો. આ પછી તે કર્મચારીની તબિયત પણ થોડી ખરાબ લાગી રહી હતી. ત્યારપછી આખા આશ્રમમાં કોરોના ફેલાઈ જવાના સમાચાર છે.
મુંબઈને (Mumbai) અડીને આવેલા થાણે જિલ્લાના ભિવંડી વિસ્તારમાં એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અહીંના ખડવલી વૃદ્ધાશ્રમમાં 67 વૃદ્ધોને કોરોના (corona) થયો છે. તમામને તાત્કાલિક થાણેની જિલ્લા સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તમામ 67 વૃદ્ધોની સારવાર શરૂ કરવામાં આવી છે. આ 67 સંક્રમિત લોકો સિવાય એક નાનું બાળક અને એક નાની છોકરીને પણ કોરોના થયો છે. એટલે કે કુલ 69 લોકોને કોરોના થયો છે. હોસ્પિટલ એડમિનિસ્ટ્રેશન દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર હાલમાં તેમની સ્થિતિ નિયંત્રણમાં છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે તે તમામને રસી (vaccinated) આપવામાં આવી છે.
આ વૃદ્ધાશ્રમના કર્મચારીની પુત્રીને તાવ હતો. આ પછી તે કર્મચારીની તબિયત પણ થોડી ખરાબ લાગી રહી હતી. ત્યાર પછી આખા આશ્રમમાં કોરોના ફેલાઈ જવાના સમાચાર છે. એક સાથે 69 લોકોમાં કોરોના સંક્રમણ ફેલાવાથી અહીં ભયનું વાતાવરણ છે. કુલ સંક્રમિત દર્દીઓમાં 39 પુરુષો, 28 મહિલાઓ અને 2 બાળકો છે.
69 નવા સંક્રમિતોના આગમન પહેલા, જિલ્લા હોસ્પિટલમાં માત્ર 4-5 દર્દીઓ બાકી હતા
આ હોસ્પિટલમાં આ નવા કોરોના સંક્રમિત દર્દીઓના આગમન પહેલા ચારથી પાંચ દર્દીઓની સારવાર શરૂ કરવામાં આવી હતી. આના કારણે કર્મચારીઓને લાગ્યું કે હવે આજુબાજુમાં સંક્રમણ ઘણું ઓછું થઈ ગયું છે. પરંતુ એક સાથે આટલા બધા દર્દીઓના અચાનક આગમનને કારણે તેઓ પણ એક્શનમાં આવી ગયા છે અને સંપૂર્ણ ખંતથી દર્દીઓની સેવા અને સંભાળમાં લાગી ગયા છે.
હાલમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ઓછી હોવાને કારણે લગભગ તમામ હોસ્પિટલોના કોરોના વોર્ડમાં હવે આવી જ સ્થિતિ જોવા મળી રહી છે. દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જેના કારણે ઘણી હોસ્પિટલોમાં સ્ટાફ પણ ઓછો કરવામાં આવ્યો છે. આ નવા સંક્રમિતોના આગમનની માહિતી મળતાં જ હોસ્પિટલ પ્રશાસને તરત તૈયારીઓ શરૂ કરી દીધી હતી. ફરી એકવાર કોરોના વોર્ડમાં તંત્ર સજ્જ થયું. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઈમરજન્સીમાં તબીબો, નર્સો અને આરોગ્ય કર્મચારીઓને તાત્કાલિક બોલાવવામાં આવ્યા હતા.
તમામ સંક્રમિતોને શનિવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા
તમામ સંક્રમિતોને શનિવારે સાંજે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલ આ તમામ દર્દીઓની હાલત સ્થિર હોવાનું જણાવાઈ રહ્યું છે. ડૉક્ટરોની ટીમ અત્યંત ગંભીરતા સાથે આ દર્દીઓની ક્ષણ-ક્ષણ અપડેટ્સ રેકોર્ડ કરી રહી છે. પરંતુ તે જ સમયે આજુબાજુના લોકોમાં એક જ જગ્યાએ આટલા કોરોના કેસ આવવાથી ભય અને ચિંતા છે.
આ પણ વાંચો : Mumbai : ‘મોદીજીએ MSP પર તો PHD કર્યુ છે’, કિસાન મહાપંચાયતમાં રાકેશ ટિકૈતનો મોદી સરકાર પર વાર