AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મહારાષ્ટ્ર કોંગ્રેસમાં ખળભળાટ! નવા પ્રવક્તાની નિમણુક બાદ 10 વર્ષ સુધી પ્રવક્તા રહેલા સચિન સાવંત નારાજ, સોનિયા ગાંધીને મોકલ્યું રાજીનામું

સચિન સાવંતને મીડિયા અને સંચાર વિભાગની સમિતિમાં સામેલ કરવામાં આવ્યા છે. પરંતુ મુખ્ય પ્રવક્તાની જવાબદારી અતુલ લોંઢેને આપવામાં આવી છે. આ અર્થમાં સચિન સાવંતે લોંઢેના નેતૃત્વમાં કામ કરવું પડશે. સચિન સાવંત આ ફેરફારથી નારાજ છે.

મહારાષ્ટ્ર કોંગ્રેસમાં ખળભળાટ! નવા પ્રવક્તાની નિમણુક બાદ 10 વર્ષ સુધી પ્રવક્તા રહેલા સચિન સાવંત નારાજ, સોનિયા ગાંધીને મોકલ્યું રાજીનામું
sachin sawant
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 19, 2021 | 11:21 PM
Share

છેલ્લા 10 વર્ષથી પ્રેસ કોન્ફરન્સમાં, સોશિયલ મીડિયામાં, ન્યૂઝ ચેનલોની પેનલ ડિબેટમાં કોંગ્રેસ પાર્ટીની વાત મજબુતીથી સામે રાખતા કોંગ્રેસ પ્રવક્તા સચિન સાવંતે (Sachin Sawant) ઉતાવળે પોતાનું રાજીનામું આપી દીધું છે. તેમણે પોતાનું રાજીનામું સીધું હાઈકમાન્ડ એટલે કે સોનિયા ગાંધીને (Sonia Gandhi) મોકલી આપ્યું છે. તેઓ રાજ્યના મુખ્ય પ્રવક્તા તરીકે અતુલ લોંઢેની (Atul Londhe) નિમણૂકથી નારાજ હોવાનું કહેવાય રહ્યું છે. અતુલ લોંઢે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ નાના પટોલેના (Nana Patole) નજીકના હોવાનું કહેવાય છે.

કોંગ્રેસની જુદી જુદી સમિતિઓની પુન:રચનાના સંદર્ભમાં નાના પટોલેએ મુખ્ય પ્રવક્તા તરીકે અતુલ લોંઢેની પસંદગી કરી છે. ઘણા પદાધિકારીઓની ફરજો અને જવાબદારીઓ બદલવામાં આવી છે. સચિન સાવંતને મીડિયા અને સંચાર વિભાગની સમિતિમાં સામેલ કરવામાં આવ્યા છે. પરંતુ મુખ્ય પ્રવક્તાની જવાબદારી અતુલ લોંઢેને આપવામાં આવી છે. આ અર્થમાં સચિન સાવંતે લોંઢેના નેતૃત્વમાં કામ કરવું પડશે.

સચિન સાવંત આ ફેરફારથી નારાજ છે. આવી સ્થિતિમાં તેમણે પ્રવક્તા પદેથી રાજીનામું આપી દીધું છે. તેમણે હાઈકમાન્ડને પત્ર લખીને વિનંતી કરી છે કે તેમને પ્રવક્તા પદની જવાબદારીઓમાંથી મુક્ત કરવામાં આવે. સાવંતે પોતાના ટ્વિટર હેન્ડલ પરથી પ્રવક્તાના પદનું ટેગ પણ હટાવી દીધું છે.

નાના પટોલેએ નવી ટીમ બનાવી

સચિન સાવંતે પોતાનું રાજીનામું સીધું સોનિયા ગાંધીને મોકલ્યું

સચિન સાવંત છેલ્લા ઘણા વર્ષોથી મીડિયામાં મહારાષ્ટ્ર કોંગ્રેસનો ચહેરો હતા. રાજ્યમાં મહાવિકાસ આઘાડી સરકાર આવ્યા ત્યારથી તેઓ સતત કોંગ્રેસ અને મહાવિકાસ આઘાડીના પક્ષને મજબૂતીથી રાખી રહ્યા હતા. કોંગ્રેસ પર વિવેચકોના પ્રશ્નોના જવાબ આપતી વખતે, તેઓ નક્કર દલીલો સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા પણ કરતા હતા.

પરંતુ નાના પટોલે પ્રદેશ પ્રમુખ બન્યા પછી સાવંતનું મહત્વ ધીમે ધીમે ઘટવા લાગ્યું હતું. પરંતુ હવે મુખ્ય પ્રવક્તા પદની જવાબદારી  તેમની પાસેથી છીનવી લેવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર આ જ કારણ છે કે તેણે નારાજગીથી આ પગલું ભર્યું છે.

આ પણ વાંચો :  Aryan Khan Drug Case : આર્યન ખાનનું કાઉન્સેલિંગ સાચું છે કે છેતરપિંડી ? NCPએ NCBને પૂછ્યું, વીડિયો રેકોર્ડિંગ બતાવો

Follow Us
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">