AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra College Reopen : મહારાષ્ટ્રમાં કોલેજો 1લી ફેબ્રુઆરીથી ખુલી રહી છે, રાજ્ય સરકારે આપી મંજૂરી

જે વિદ્યાર્થીઓએ રસીના બંને ડોઝ લીધા છે તેઓને ઑફલાઇન લેક્ચરમાં હાજરી આપવાનો અધિકાર રહેશે. જેમનું રસીકરણ પૂર્ણ થયું નથી, તેઓએ હાલમાં ઓનલાઈન લેક્ચરમાં હાજરી આપવાની રહેશે.

Maharashtra College Reopen : મહારાષ્ટ્રમાં કોલેજો 1લી ફેબ્રુઆરીથી ખુલી રહી છે, રાજ્ય સરકારે આપી મંજૂરી
Maharashtra College Reopen - Symbolic Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 25, 2022 | 11:44 PM
Share

મહારાષ્ટ્રમાં 1 ફેબ્રુઆરીથી કૉલેજ શરૂ (Maharashtra College Reopening) થઈ રહી છે. ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઉદય સામંતે (Uday Samant) મંગળવારે (25 જાન્યુઆરી) આ માહિતી આપી હતી. કોરોનાના નિયમોનું ચુસ્તપણે પાલન કરીને કોલેજ શરૂ કરવાનો નવો આદેશ આપવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી કોલેજ શરૂ કરવા માટે વિદ્યાર્થીઓ અને કોલેજોના વહીવટીતંત્ર દ્વારા સતત માગ કરવામાં આવી રહી હતી. વિદ્યાર્થીઓના અભ્યાસમાં ઘણું નુકસાન થયું હતું. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને કોલેજ શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. મહારાષ્ટ્ર સરકારે આ અંગે આદેશ જાહેર કર્યો છે. આ આદેશો હેઠળ, જે વિદ્યાર્થીઓએ રસીના બંને ડોઝ લીધા છે તેમને ઑફલાઇન લેક્ચરમાં હાજરી આપવાનો અધિકાર રહેશે. પરંતુ જેમનું રસીકરણ પૂર્ણ થયું નથી, તેઓએ હાલમાં ઓનલાઈન લેક્ચરમાં હાજરી આપવાની રહેશે.

આ દરમિયાન, કોલેજ પ્રશાસનને સ્થાનિક વહીવટીતંત્ર સાથે મળીને બાકી રહેલા વિદ્યાર્થીઓનું રસીકરણ વહેલામાં વહેલી તકે પૂર્ણ થાય તે માટે વ્યવસ્થા કરવા માટે કહેવામાં આવ્યું છે. રાજ્યની કોલેજોને લગતી તમામ પરીક્ષાઓ 15 ફેબ્રુઆરી સુધી ઓનલાઈન મોડ દ્વારા લેવામાં આવશે. 15 ફેબ્રુઆરી પછી પરીક્ષાઓ ઓનલાઈન અને ઓફલાઈન રીતે લેવામાં આવશે.

આ ઉપરાંત મોબાઈલ નેટવર્કની પણ અનુપલબ્ધતા અથવા સંબંધિત વિદ્યાર્થીનો પરિવાર કોરોના સંક્રમિત થવાના કિસ્સામાં અથવા અન્ય સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓમાં પણ ઓનલાઈન-ઓફલાઈન વિકલ્પ ઉપલબ્ધ રહેશે.

કોરોનાના નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનો આદેશ

કોલેજો શરૂ કરવા માટે કોરોનાના નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. છેલ્લા બે વર્ષથી કોરોના સંક્રમણને કારણે વિદ્યાર્થીઓનો અભ્યાસ ઠપ્પ થઈ ગયો છે. ઘણા વિદ્યાર્થીઓનો અભિપ્રાય છે કે ઓનલાઈન અભ્યાસમાં એવી વાત નથી. જે ટીચરની સામે બેસીને લેક્ચર અટેન્ડ કરવામાં છે. સામસામે લેક્ચર સાંભળવામાં શિક્ષક પાસેથી ડાઉટ્સ પૂછવા સરળ છે. ઓનલાઈન લેકચરમાં ઘણી વખત ટેક્નિકલ સમસ્યા સર્જાય છે. આ સિવાય અંતરિયાળ વિસ્તારોમાં ઈન્ટરનેટ સેવાઓ પણ એટલી સારી નથી. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને કોલેજ શરૂ કરવાનો નિર્ણય લેવાયો.

રાજ્યમાં સોમવારથી શાળાઓ ખુલી ગઈ છે

પહેલા એ જણાવી દઈએ કે રાજ્યમાં શાળાઓ સોમવારથી શરૂ થઈ ગઈ છે. શાળાઓને સાથે એ સૂચના પણ આપવામાં આવી છે કે જ્યાં કોરોનાનું સંક્રમણ ઓછું હોય ત્યાં કોરોના નિયમોનું કડકાઈથી પાલન કરીને શાળાઓ શરૂ કરવામાં આવે. પ્રથમ દિવસે રાજ્યની 90 ટકા શાળાઓ ખુલી હતી અને 60 ટકા વિદ્યાર્થીઓએ હાજરી નોંધાવી હતી.

શાળા ખોલવામાં આવ્યા પછી, રાજ્યનું ઉચ્ચ શિક્ષણ વિભાગ રાજ્યમાં કોલેજ શરૂ કરવા માટે એક્શનમાં આવ્યું. મંત્રી ઉદય સામંતે આ અંગે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પાસે પ્રસ્તાવ મૂક્યો હતો. આખરે તે દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી. મુખ્યમંત્રીની મંજૂરી મળ્યા બાદ 1 ફેબ્રુઆરીથી કોલેજ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો :  Maharashtra Cyber Crime : મહારાષ્ટ્રના પુણેમાં ફેલાયેલી છે ‘જોબ ફ્રોડ’ની જાળ, એક વર્ષમાં કેટલાય યુવાનો પાસેથી લૂંટી લીધા 87 કરોડ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">