AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra: મુખ્યપ્રધાન ઠાકરેની આ શહેરોને મોટી ભેટ, 500 ચોરસ ફૂટ સુધીના મકાનો માટે પ્રોપર્ટી ટેક્સ કર્યો માફ

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું 'અમે ખોટા વચનો આપતા નથી, અમે વચનોનું પાલન કરીએ છીએ. આશ્વાસન આપ્યા પછી પીછેહઠ કરવી શિવસેનાની ((Shiv Sena) પરંપરા નથી.

Maharashtra: મુખ્યપ્રધાન ઠાકરેની આ શહેરોને મોટી ભેટ, 500 ચોરસ ફૂટ સુધીના મકાનો માટે પ્રોપર્ટી ટેક્સ કર્યો માફ
CM Uddhav Thackeray (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 01, 2022 | 6:12 PM
Share

Maharashtra: મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે (CM Uddhav Thackeray)ની આગેવાની હેઠળની મહા વિકાસ અઘાડી સરકારે (Maha Vikas Aghadi) નવા વર્ષની મોટી ભેટ આપી છે. સરકાર દ્વારા મુંબઈ (Mumbai) અને થાણેમાં (Thane) રહેતા લોકો માટે પ્રોપર્ટી ટેક્સ (Property Tax) માફ કરવામાં આવ્યો છે. જે લોકોનું ઘર 500 ચોરસ ફૂટ સુધીનું છે, સરકારે તેમનો પ્રોપર્ટી ટેક્સ માફ કર્યો છે. તમને જણાવી દઈએ કે મુખ્યમંત્રીના નેતૃત્વમાં શહેર વિકાસ પરિષદની બેઠક મળી હતી. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા યોજાયેલી આ બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો.

શિવસેનાએ વચન પૂરું કર્યું છે: ઉદ્ધવ ઠાકરે

આ નિર્ણય બાદ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ જનતા સાથે વાતચીત પણ કરી હતી. તેમણે કહ્યું ‘અમે ખોટા વચનો આપતા નથી, અમે વચનોનું પાલન કરીએ છીએ. આશ્વાસન આપ્યા પછી પીછેહઠ કરવાની શિવસેનાની ((Shiv Sena) પરંપરા નથી. અમે 2017માં 500 ચોરસ ફૂટ સુધીના મકાનો માટે પ્રોપર્ટી ટેક્સ માફ કરવાનું વચન આપ્યું હતું અને શિવસેનાએ એ વચન પૂરું કર્યું છે.’

16 લાખથી વધુ પરિવારોને ફાયદો થશે

ઉલ્લેખનીય છે કે મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે સર્જરી બાદ પહેલીવાર લોકો સામે આવ્યા હતા. સરકારાના આ નિર્ણયથી મુંબઈ-થાણેના 16 લાખથી વધુ પરિવારોને સીધો લાભ મળશે. લોકોને નવા વર્ષની શુભકામનાઓ પાઠવતા મુખ્યમંત્રીએ કહ્યું કે ‘જે વચનો પાળી શકાય, એવા વચનો જ કરવા જોઈએ. 1966થી મુંબઈની લગામ શિવસેનાના હાથમાં છે. શિવસેના પ્રમુખ બાળાસાહેબ ઠાકરેને મુંબઈ અને થાણે માટે જે પ્રેમ હતો, તે પ્રેમની પરંપરાને હું આગળ ધપાવી રહ્યો છું.’

મુંબઈ અને શિવસેનાનો અલગ સંબંધ

શહેરી વિકાસ મંત્રી એકનાથ શિંદેએ કહ્યું કે ‘મુંબઈવાસીઓ માટે આ એક મોટો નિર્ણય છે. મુંબઈ અને શિવસેનાનો અલગ સંબંધ છે. મુંબઈકરોએ શિવસેનાને ઘણું આપ્યું છે. મુંબઈ માટે શિવસેના હંમેશા તૈયાર રહી છે. ઉદ્ધવ ઠાકરે જ્યારે મુખ્યમંત્રી ન હતા, ત્યારે પણ તેઓ મુંબઈ અને મુંબઈવાસીઓના પ્રશ્નોના નિરાકરણમાં વ્યક્તિગત રીતે આગળ આવતા હતા. મુખ્યમંત્રીએ કોરોનાના સમયમાં પણ પ્રશંસનીય કામગીરી કરી હતી. કોરોના સમયગાળા દરમિયાન સ્ટેમ્પ ડ્યુટી ઘટાડવામાં આવી હતી. જેનાથી લોકોને ઘણો ફાયદો થયો હતો.

આ પણ વાંચો : Maharashtra: નાસિકથી શિરડી હવે માત્ર દોઢ કલાકમાં પહોંચી શકાશે, સિન્નરનો ફોર લેન હાઈવે ટૂંક સમયમાં થશે શરૂ

ગુજરાતમાં કાતિલ ઠંડીનો વધુ એક રાઉન્ડ આવશે, હવામાન વિભાગે કરી આગાહી
ગુજરાતમાં કાતિલ ઠંડીનો વધુ એક રાઉન્ડ આવશે, હવામાન વિભાગે કરી આગાહી
પ્રજાસત્તાક પર્વના દિવસે હર્ષ સંઘવીએ ગુજરાતના વિકાસની દિશા દર્શાવી
પ્રજાસત્તાક પર્વના દિવસે હર્ષ સંઘવીએ ગુજરાતના વિકાસની દિશા દર્શાવી
વાવ-થરાદમાં રાજ્યકક્ષાના 77મા પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી
વાવ-થરાદમાં રાજ્યકક્ષાના 77મા પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી
નાણાકીય પરિસ્થિતિ સુધરશે, અચાનક તમારા કામની તપાસ થઈ શકે છે
નાણાકીય પરિસ્થિતિ સુધરશે, અચાનક તમારા કામની તપાસ થઈ શકે છે
ખાતામાં હતા માત્ર 102 રૂપિયા, હવે PMO એ કરાવી ફ્લાઈટની ટિકિટ
ખાતામાં હતા માત્ર 102 રૂપિયા, હવે PMO એ કરાવી ફ્લાઈટની ટિકિટ
અંગદાનના પ્રણેતા નિલેશ માંડલેવાલાને પદ્મશ્રી
અંગદાનના પ્રણેતા નિલેશ માંડલેવાલાને પદ્મશ્રી
અમેરિકામાં આર્કટિક પવનો અને હિમવર્ષાથી 24 કરોડ લોકો પ્રભાવિત
અમેરિકામાં આર્કટિક પવનો અને હિમવર્ષાથી 24 કરોડ લોકો પ્રભાવિત
પદ્મ વિજેતા હાજીભાઈની પહેલી પ્રતિક્રિયા સામે આવી - જુઓ Video
પદ્મ વિજેતા હાજીભાઈની પહેલી પ્રતિક્રિયા સામે આવી - જુઓ Video
ગાંધીનગર મહાનગરપાલિકાની મોટી યોજના
ગાંધીનગર મહાનગરપાલિકાની મોટી યોજના
જીવતા મતદારોને સરકારી ચોપડે મારી નાખનાર સામે કેસ કરવા પોલીસને અરજી
જીવતા મતદારોને સરકારી ચોપડે મારી નાખનાર સામે કેસ કરવા પોલીસને અરજી
g clip-path="url(#clip0_868_265)">