AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઓમિક્રોનની આફત : મહારાષ્ટ્રમાં કોમ્યુનિટી સ્પ્રેડનો ખતરો ? જીનોમ સિક્વેન્સિંગ રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો

કોરોના પોઝિટિવ દર્દીમાંથી 13 ટકા લોકો ડેલ્ટા વેરિએન્ટ અને 55 ટકા ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત જોવા મળ્યા હતા. એટલે કે એક વાત સ્પષ્ટ થઈ રહી છે કે શહેરમાં ડેલ્ટા વેરિઅન્ટની અસર ઘટી રહી છે, પરંતુ ઓમિક્રોન ઝડપથી ફેલાઈ રહ્યો છે.

ઓમિક્રોનની આફત : મહારાષ્ટ્રમાં કોમ્યુનિટી સ્પ્રેડનો ખતરો ? જીનોમ સિક્વેન્સિંગ રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો
Increase Omicron Cases In Mumbai
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 01, 2022 | 3:39 PM
Share

Maharashtra : મુંબઈની કસ્તુરબા હોસ્પિટલમાં કોવિડ 19 વાયરસના સાતમા જીનોમ સિક્વન્સિંગ (Genome Sequencing Test) ટેસ્ટમાં 282 કોરોના પોઝિટિવ કેસના નમૂનાઓની તપાસ કરવામાં આવી હતી. જેમાં ઓમિક્રોનના લગભગ 156 એટલે કે 55 ટકા દર્દીઓ સામે આવ્યા છે. આ રીતે મુંબઈમાં ઓમિક્રોનના કોમ્યુનિટી સ્પ્રેડનો (Community Spreader) ખતરો વધી રહ્યો છે કે કેમ તેવો સવાલ ઉઠી રહ્યો છે.

જો કે, રાહતની વાત એ છે કે આ 156 ઓમિક્રોન સંક્રમિતોમાંથી માત્ર 9 સંક્રમિત લોકોને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી હતી. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) એ સ્પષ્ટતા કરી છે કે આ દર્દીઓમાં ઓમિક્રોનના (Omicron) હળવા લક્ષણો જોવા મળ્યા હતા.

રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો

ઉલ્લેખનીય છે કે, કસ્તુરબા હોસ્પિટલની લેબોરેટરી અને પુણે સ્થિત નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી (NIV) ખાતે સંયુક્ત રીતે આ નમૂનાનુ પરીક્ષણ કરવામાં આવ્યુ હતુ. જેમાં 282 સેમ્પલનો રિપોર્ટ શુક્રવારે બહાર આવ્યો હતો. જેમાંથી 13 ટકા ડેલ્ટા વેરિએન્ટ અને 55 ટકા ઓમિક્રો વેરિઅન્ટથી સંક્રમિત જોવા મળ્યા હતા. એટલે કે એક વાત સ્પષ્ટ થઈ રહી છે કે શહેરમાં ડેલ્ટા વેરિઅન્ટની (Delta Variant)  અસર ઘટી રહી છે અને ઓમિક્રોન ઝડપથી ફેલાઈ રહ્યો છે.

હોસ્પિટલમાં દાખલ ઓમિક્રોન સંક્રમિતની હાલત સ્થિર

તમને જણાવી દઈએ કે, મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઓમિક્રોનના જીનોમ સિક્વન્સિંગ તપાસ માટે 21 અને 22 ડિસેમ્બરે કોરોના સંક્રમિત દર્દીના નમૂના મોકલવામાં આવ્યા હતા. હાલ 156 ઓમિક્રોન સંક્રમિતમાંથી નવ દર્દીઓની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જો કે રાહતની વાત એ છે કે, આ તમામ ઓમિક્રોન સંક્રમિતોની તબિયત હાલ સ્થિર છે. હાલ ઓમિક્રોનના જોખમ વચ્ચે કોરોના કેસમાં ઉછાળો આવતા હાલ તંત્રની ચિંતા વધી છે.

વધતા સંક્રમણને પગલ તંત્ર એક્શનમાં

વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને હાલ રાજ્યમાં કોરોના નિયમો પણ કડક કરવામાં આવ્યા છે. હવેથી સામાજીક અને ધાર્મિક કાર્યક્રમોમાં માત્ર 50 વ્યક્તિઓ તેમજ અંતિમ યાત્રામાં માત્ર 20 લોકો જ સામેલ થઈ શકશે. સાથે જ રાજ્યમાં ભીડ એકઠી ન થાય તે માટે તંત્રને રાજ્ય સરકાર દ્વારા આદેશ આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો : Maharashtra: સરકાર પર કોરોનાનું ગ્રહણ, 10 મંત્રીઓ અને 20 ધારાસભ્યો થયા સંક્રમિત, શું મહારાષ્ટ્રમાં હવે લોકડાઉન થશે ?

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">