AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે CM ઠાકરેએ બોલાવી સર્વપક્ષીય બેઠક, લાઉડસ્પીકરના મુદ્દે થશે ચર્ચા

મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય ગરમાવા વચ્ચે આજે સર્વપક્ષીય બેઠક પણ બોલાવવામાં આવી છે. દરમિયાન ભાજપનું એક પ્રતિનિધિમંડળ દિલ્લીમાં ગૃહ સચિવને મળવાનું છે.

મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે CM ઠાકરેએ બોલાવી સર્વપક્ષીય બેઠક, લાઉડસ્પીકરના મુદ્દે થશે ચર્ચા
Maharashtra Chief Minister Uddhav Thackeray ( file photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 25, 2022 | 8:19 AM
Share

મહારાષ્ટ્રમાં (Maharashtra) હાલના દિવસોમાં લાઉડસ્પીકર અને હનુમાન ચાલીસાને લઈને રાજકીય ગરમાવો ચાલી રહ્યો છે. વિપક્ષ સતત સરકાર પર પ્રહારો કરી રહ્યો છે. દરમિયાન, આજે મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ (Chief Minister Uddhav Thackeray) સર્વપક્ષીય બેઠક બોલાવી છે. જેમાં મહારાષ્ટ્રમાં લાઉડસ્પીકરના મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે. અહેવાલ છે કે અહીં ભાજપ રાણા દંપતીની ધરપકડનો મુદ્દો પણ ઉઠાવશે. સાંસદ નવનીત રાણા (MP Navneet Rana) અને તેમના પતિ ધારાસભ્ય રવિ રાણાની (MLA Ravi Rana) ધરપકડ કરવામાં આવી હતી, ત્યારબાદ બંનેને 14 દિવસ માટે જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. બંનેના જામીનની સુનાવણી હવે 29 એપ્રિલે થશે.

બીજેપીનું પ્રતિનિધિમંડળ દિલ્હી પહોંચ્યું

નવનીત રાણા અને રવિ રાણા પર ધાર્મિક લાગણી ભડકાવવાનો આરોપ લગાવીને નવનીત રાણાને ભાયખલા જેલમાં અને રવિ રાણાને તળોજા જેલમાં રાખવામાં આવ્યા છે. રાણા દંપતી વિરુદ્ધ 23 એપ્રિલે FIR દાખલ કરવામાં આવી હતી. તેમના પર આરોપ છે કે નવનીતના સમર્થકોએ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના ઘરની બહાર હંગામો કરવાનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર મામલે હવે ભાજપ ખુલ્લેઆમ મેદાનમાં આવી ગયું છે. આજે મુંબઈ ભાજપનું એક પ્રતિનિધિમંડળ દિલ્હી પહોંચશે અને નોર્થ બ્લોકમાં ગૃહ સચિવ અજય કુમાર ભલ્લાને મળશે.

કિરીટ સૌમ્યા પર હુમલો થયો હતો

ભાજપનું આ પ્રતિનિધિમંડળ ગૃહ સચિવને મળશે અને ભાજપના નેતા કિરીટ સોમૈયા પર પોલીસ સ્ટેશનની બહાર કરાયેલા હુમલાનો મુદ્દો ઉઠાવશે. અત્રે ઉલ્લેખનીય છે કે કિરીટ સોમૈયા જ્યારે રાણા દંપતીને મળવા પોલીસ સ્ટેશન પહોંચ્યા ત્યારે તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. કિરીટ સોમૈયાએ આરોપ લગાવ્યો હતો કે શિવસૈનિકોએ તેમના પર આ જીવલેણ હુમલો કર્યો હતો. સોમૈયાએ દાવો કર્યો, ‘મારા પર હુમલો ઉદ્ધવ ઠાકરે સરકાર દ્વારા પ્રાયોજિત હતો. હું જ્યારે પોલીસ સ્ટેશન ગયો હતો ત્યારે લગભગ 70-80 શિવસેના કાર્યકરો ખાર પોલીસ સ્ટેશનના પ્રવેશદ્વાર પર એકઠા થયા હતા. મેં પોલીસને જાણ કરી હતી કે શિવસેનાના ગુંડાઓ મારા પર હુમલો કરી શકે છે અને પછી પણ એવું જ થયું. જો કે પોલીસે હુમલાખોરોને કશુ કર્યુ નહોતુ તેમ પણ તેમણે જણાવ્યુ હતું.

આ પણ વાંચોઃ

લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ કાર્યક્રમમાં CM ઠાકરેની બાદબાકી, લોકોએ મહારાષ્ટ્રનું અપમાન ગણાવ્યું

આ પણ વાંચોઃ

આર્થર રોડ જેલ હાઉસફુલ, નવનીત રાણાના MLA પતિ રવિ રાણાને તળોજા જેલમાં ખસેડાયા

Follow Us
અમદાવાદના નારણપુરામાં અંબિકા જ્વેલર્સમાંથી ધોળા દિવસે સોનાના કડાની ચોર
અમદાવાદના નારણપુરામાં અંબિકા જ્વેલર્સમાંથી ધોળા દિવસે સોનાના કડાની ચોર
અમદાવાદમાં રખડતા શ્વાન અંગે AMC સજ્જ, સુપ્રીમ કોર્ટના આદેશ પર એક્શન
અમદાવાદમાં રખડતા શ્વાન અંગે AMC સજ્જ, સુપ્રીમ કોર્ટના આદેશ પર એક્શન
રાજકોટમાં ભૂવાએ ધાર્મિક વિધિના નામે પરિણીતા પર આચર્યું દુષ્કર્મ
રાજકોટમાં ભૂવાએ ધાર્મિક વિધિના નામે પરિણીતા પર આચર્યું દુષ્કર્મ
જામનગરમાં જડેશ્વર વિસ્તારમાં કરાયેલા ડિમોલિશન મામલે આહીર સમાજમાં રોષ
જામનગરમાં જડેશ્વર વિસ્તારમાં કરાયેલા ડિમોલિશન મામલે આહીર સમાજમાં રોષ
ડીઝલની અછતને લઈને ખેડૂતે પેટ્રોલ પંપ પર બેસણુ યોજીને નોંધાવ્યો વિરોધ
ડીઝલની અછતને લઈને ખેડૂતે પેટ્રોલ પંપ પર બેસણુ યોજીને નોંધાવ્યો વિરોધ
રાહુલ ગાંધીએ, વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહને ગદ્દાર કહ્યાં
રાહુલ ગાંધીએ, વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહને ગદ્દાર કહ્યાં
છોટા ઉદેપુરમાં ડીઝલની અછતથી ખેડૂતો હેરાન પરેશાન! જુઓ Video
છોટા ઉદેપુરમાં ડીઝલની અછતથી ખેડૂતો હેરાન પરેશાન! જુઓ Video
કોડિનાર ગ્રામ્ય વિસ્તારમાં ડીઝલ ભરાવવા માટે ટ્રેક્ટરની લાગી લાઈનો
કોડિનાર ગ્રામ્ય વિસ્તારમાં ડીઝલ ભરાવવા માટે ટ્રેક્ટરની લાગી લાઈનો
Breaking News : સમોસામાંથી નીકળ્યો વંદો, જુઓ Video
Breaking News : સમોસામાંથી નીકળ્યો વંદો, જુઓ Video
Breaking news: રાતોરાત ગાયબ થયું AMTS બસ સ્ટેન્ડ! જુઓ Video
Breaking news: રાતોરાત ગાયબ થયું AMTS બસ સ્ટેન્ડ! જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">