AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra: છત્રપતિ શિવાજી મહારાજના વંશજ સંભાજી રાજેના આજથી આમરણાંત ઉપવાસ, મરાઠા આરક્ષણની માગ સાથે હજારો યુવાનો પહોંચી રહ્યા છે મુંબઈ

ઉપવાસ શરૂ કરતા સંભાજી રાજેએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું, 'સરકારે કહ્યું હતું કે 15 દિવસની અંદર તે મરાઠા આરક્ષણ સંબંધિત 7 માંગણીઓ સ્વીકારશે. પરંતુ 2 મહિના પછી પણ તેના પર કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

Maharashtra: છત્રપતિ શિવાજી મહારાજના વંશજ સંભાજી રાજેના આજથી આમરણાંત ઉપવાસ, મરાઠા આરક્ષણની માગ સાથે હજારો યુવાનો પહોંચી રહ્યા છે મુંબઈ
Sambhaji Raje (File Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 26, 2022 | 6:03 PM
Share

છત્રપતિ શિવાજી મહારાજના વંશજ (Chhatrapati shivaji maharaj) અને ભાજપના સાંસદ સંભાજી રાજેએ આજથી (26 ફેબ્રુઆરી, શનિવાર) ઉપવાસ શરૂ કર્યા છે. મરાઠા અનામતની માગને લઈને સંભાજી રાજેએ મુંબઈના આઝાદ મેદાનમાં ઉપવાસ શરૂ કર્યા છે. સંભાજી રાજેને સમર્થન આપવા સમગ્ર મહારાષ્ટ્રમાંથી હજારો યુવાનો મુંબઈના આઝાદ મેદાનમાં પહોંચી રહ્યા છે. સંભાજી રાજેએ મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી મહા વિકાસ આઘાડી સરકાર પર આરોપ લગાવ્યો છે કે તે મરાઠા આરક્ષણના મુદ્દે ગંભીર નથી. આથી વ્યાકુળ થઈને તેઓને ભૂખ હડતાળ પર જવાની ફરજ પડી છે. ઉપવાસ પર બેઠેલા સંભાજી રાજએ કહ્યું કે મરાઠા આરક્ષણ ક્યારે મળશે તે કહી શકાય નહીં. તેમાં સમય પણ લાગી શકે છે. પરંતુ આ મુદ્દે કામ આગળ ધપાવવા અમે સાત માંગણીઓ કરી હતી. તેમાંથી એક પણ માંગણી સંતોષાઈ નથી.

ઉપવાસ શરૂ કરતા સંભાજી રાજેએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું, ‘સરકારે કહ્યું હતું કે 15 દિવસની અંદર તે આ માંગણીઓ સ્વીકારશે. પરંતુ આજદિન સુધી આ અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આ પછી રાયગઢ અને નાંદેડમાં આંદોલનો કરવામાં આવ્યા હતા. પરંતુ સરકાર પર તેની કોઈ અસર થઈ નથી. સરકાર દ્વારા આ મુદ્દાની સતત ઉપેક્ષાને કારણે હવે મુંબઈ આવીને ઉપવાસ કરવા સિવાય કોઈ વિકલ્પ નથી.

7 માંગણીઓ 15 દિવસમાં પુરી કરવાની ખાતરી, 2 મહિનામાં એક પણ માગ પુરી થઈ નથી

સંભાજી રાજેએ કહ્યું, ‘મરાઠા સમાજને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (SEBC) હોવાના આધારે આરક્ષણ આપવામાં આવ્યું હતું. પરંતુ બાદમાં સુપ્રીમ કોર્ટે તેને રદ કરી દીધું હતું. કોર્ટે મરાઠા સમાજને પછાત ગણવાનો ઇનકાર કર્યો હતો. આ પછી, મેં ફરીથી આ મુદ્દે અનામતની માંગ માટે યોગ્ય તૈયારીઓ શરૂ કરી. કેન્દ્ર અને રાજ્ય સરકારને તેમની જવાબદારી નિભાવવા અને અવરોધો દૂર કરવા અપીલ કરી હતી. રિવ્યુ પિટિશન દાખલ કરવાની જવાબદારી રાજ્યની છે. આરક્ષણ લાંબા સમયથી ચાલતો મુદ્દો છે. આ માટે કેટલો સમય લાગશે તે હું કહી શકતો નથી. હું વકીલ નથી. હું આંદોલન કરી શકું છું.

પોતાના વચનથી ફરી ગઈ મહારાષ્ટ્ર સરકાર, તેથી અનશન પર બેઠો

આગળ સંભાજી રાજેએ કહ્યું, ‘અમે કોલ્હાપુરમાં મૌન મોરચો કાઢ્યો હતો. આ આંદોલનમાં હજારો લોકો જોડાયા હતા. આ પછી સરકારે અમને બોલાવ્યા. આ બેઠકમાં મુખ્યમંત્રી અને કેબિનેટ મંત્રીઓ બેઠા હતા. ત્યારે મેં મરાઠા આરક્ષણની તૈયારીઓને લગતી છ-સાત માંગણીઓ મૂકી. સરકારે તે માંગણીઓ 15 દિવસમાં સ્વીકારવાની વાત કરી હતી. મેં કહ્યું કે તમે બે મહિના લો, પણ કામ પૂરું કરો, બે મહિના થઈ ગયા કે એક પણ માગણી પૂરી થઈ નથી.

આ પછી પોતાની વાતને આગળ વધારતા સંભાજી રાજેએ કહ્યું કે, ‘આ પછી અમે નાંદેડમાં આંદોલન કર્યું, રાયગઢમાં આંદોલન કર્યું. પરંતુ સરકાર પર તેની કોઈ અસર થઈ નથી. આવી સ્થિતિમાં હવે મારી પાસે ઉપવાસ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. રાજ્ય સરકાર આ મુદ્દાને હળવાશથી ન લે તે માટે મેં આમરણાંત ઉપવાસ શરૂ કર્યા છે. મેં 17 જૂને જે માંગણીઓ કરી હતી, તે જ માંગણીઓ હજુ પણ યથાવત છે.

આ પણ વાંચો :  Mumbai School: મુંબઈમાં 2 માર્ચથી શાળાઓ સંપૂર્ણ ક્ષમતાથી શરૂ થશે, BMCએ પરિપત્ર બહાર પાડ્યો

Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">