Maharashtra: ડેપ્યુટી સીએમ અજિત પવારને મળ્યા છત્રપતિ શિવાજીના વંશજ ઉદયન રાજે, ભાજપમાંથી એનસીપીમાં જવાની ચર્ચા પર કહી આ વાત

આ મીટીંગ પર લોકોની નજર ટકી છે. ચર્ચાઓ શરૂ થઈ રહી છે કે શું આ બેઠક માત્ર સાતારાના વિકાસના કામો માટે જ હતી? કે પછી ઉદયન રાજે એનસીપીમાં પ્રવેશવાનો રસ્તો શોધી રહ્યા છે? આવી સ્થિતિમાં ખુદ ઉદયન રાજે શું જવાબ આપે છે તે જાણવા માટે લોકો ઉત્સુક છે.

Maharashtra: ડેપ્યુટી સીએમ અજિત પવારને મળ્યા છત્રપતિ શિવાજીના વંશજ ઉદયન રાજે, ભાજપમાંથી એનસીપીમાં જવાની ચર્ચા પર કહી આ વાત
Ajit Pawar & Udayan Raje Bhosale
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 05, 2022 | 11:04 PM

ભાજપના સાંસદ અને છત્રપતિ શિવાજી મહારાજના વંશજ ઉદયન રાજે ભોસલે (Udayan Raje Bhosale) આજે (5 ફેબ્રુઆરી, શનિવાર) એનસીપીના નેતા અને મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારને (Ajit Pawar) મળ્યા હતા. આ બંને નેતાઓ વચ્ચે લગભગ પિસ્તાલીસ મિનિટ સુધી વાતચીત ચાલી હતી. આ બેઠક સાતારાના વિકાસ કાર્યોને લઈને થઈ હતી. આ મીટિંગ દરમિયાન અજિત પવારે ફોન પર જ ઘણા કામ પૂરા કર્યા. પરંતુ આ બેઠક પર કોઈ અન્ય કારણોસર લોકોની નજર બની રહી હતી. ચર્ચાઓ શરૂ થઈ રહી છે કે શું આ બેઠક માત્ર સાતારાના વિકાસના કામો માટે જ હતી? કે પછી ઉદયન રાજે એનસીપીમાં પ્રવેશવાનો રસ્તો શોધી રહ્યા છે? આવી સ્થિતિમાં ખુદ ઉદયન રાજે શું જવાબ આપે છે તે જાણવાની લોકોમાં ઉત્સુકતા હતી.

બેઠક પૂરી થતા જ ભાજપના સાંસદને પત્રકારોએ ઘેરી લીધા હતા. તેમને પૂછવામાં આવ્યું કે શું તેઓ ભાજપ છોડવાનું મન બનાવી રહ્યા છે ?  NCPમાં પ્રવેશવા જઈ રહ્યા છે ? પરંતુ ઉદયન રાજેએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે તેઓ સાતારાના વિકાસ કાર્યોને લઈને નાયબ મુખ્યમંત્રીને મળવા આવ્યા હતા. તેઓ તમામ પક્ષો માટે સમાન લાગણી ધરાવે છે. આ જવાબ બાદ આ ચર્ચા વધુ ગરમાઈ છે.

નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે, શિવેન્દ્ર રાજે પર વધારવાનું હતું દબાણ ?

આ બેઠક સાથે જોડાયેલી બીજી ચર્ચા ગરમ છે. વાસ્તવમાં, ઉદયન રાજેના પિતરાઈ ભાઈ શિવેન્દ્ર રાજે ભોસલે સતારાના ધારાસભ્ય છે. બંનેની પાર્ટી ભાજપ છે, પરંતુ બંને ભાઈઓ વચ્ચે કોઈ મનમેળ નથી. આવી સ્થિતિમાં એવી ચર્ચા છે કે શું ઉદયન રાજે શિવેન્દ્રરાજેને ચેકમેટ આપી રહ્યા છે? જો ઉદયન રાજે નગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પક્ષ બદલી નાખશે તો બંને ભાઈઓ વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ ખેલાશે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

શિવરાય જે કહેતા હતા, એ જ છે અમારો અભિપ્રાય.

ડેપ્યુટી સીએમ અજિત પવાર સાથે પીસ્તાલીસ મિનિટથી વધુ સમય સુધી ચર્ચા ચાલી હતી. આ પછી ઉદયન રાજેએ મીડિયા સાથે વાતચીત કરી. તેમણે કહ્યું, ‘આ બેઠક સાતારાના વિકાસ કાર્યોને લઈને થઈ હતી. નાયબ મુખ્યમંત્રીએ ઉકેલ લાવવાની ખાતરી આપી છે.

આ પછી, એનસીપીમાં પ્રવેશ સંબંધિત અટકળો પર, તેમણે કહ્યું, ‘સર્વ ધર્મ સમભાવની ભૂમિકા જે શિવાજી મહારાજે અપનાવી હતી, તેવી જ રીતે અમારી પણ સર્વ ધર્મ સમભાવની ભૂમિકા છે.  સર્વ ધર્મ સમભાવ પર અમારો વિશ્વાસ છે.

આ પણ વાંચો :  રિલાયન્સ જિયોના મુંબઈ ટેલિકોમ સર્કલમાં લોકો કરી રહ્યા છે સમસ્યાનો સામનો, યુઝર્સ કોલ કનેક્ટ કરી શકતા નથી

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">