મહારાષ્ટ્ર : વિરોધ પક્ષના નેતા બનશે વેવાઈ ! આ ભાજપના નેતાની પુત્રી બનશે ઠાકરે પરિવારની વહુ

પૂર્વ મંત્રી હર્ષવર્ધન પાટીલની પુત્રી અંકિતા પાટીલ ઠાકરે પરિવારની વહુ બનવા જઈ રહી છે. અહેવાલો અનુસાર, 28 ડિસેમ્બરના રોજ મુંબઈની તાજ હોટલમાં ધામધૂમથી આ લગ્ન સમારોહ યોજાશે.

મહારાષ્ટ્ર : વિરોધ પક્ષના નેતા બનશે વેવાઈ !  આ ભાજપના નેતાની પુત્રી બનશે ઠાકરે પરિવારની વહુ
File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 08, 2021 | 12:29 PM

Maharashtra : રાજકારણમાં ભલે શિવસેના અને ભાજપ વચ્ચે અંતર વધ્યું હોય પરંતુ બંને પક્ષના નેતાઓ વચ્ચે પારિવારિક સંબંધો હજુ પણ પહેલા જેવા જ છે. મળતી માહિતી અનુસાર, BJP નેતા હર્ષવર્ધન પાટીલની (Harshvardhan Patil)પુત્રી અંકિતા 28 ડિસેમ્બરે શિવસેના પ્રમુખ બાળાસાહેબ ઠાકરેના (Balasaheb Thackeray) દિવંગત પુત્ર માધવ ઠાકરેના (Madhav Thackeray) પુત્ર નિહાર સાથે લગ્ન કરવા જઈ રહી છે.

મહારાષ્ટ્રના રાજકીય પરિવારોમાં લગ્નની આ મોસમ છે.તમને જણાવી દઈએ કે, શિવસેનાના સાંસદ સંજય રાઉત, (Sanjay Raut) કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ નાના પટોલે, મંત્રી ગુલાબરાવ પાટીલ, જીતેન્દ્ર આવ્હાડના ઘરે પણ હાલ લગ્નની તૈયારીઓ ચાલી રહી છે.

લગ્નમાં દિગ્ગજ નેતાઓ આપશે હાજરી

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

પૂર્વ મંત્રી હર્ષવર્ધન પાટીલની પુત્રી અંકિતા પાટીલ ઠાકરે પરિવારની વહુ બનવા જઈ રહી છે. અહેવાલો અનુસાર, 28 ડિસેમ્બરના રોજ મુંબઈની તાજ હોટલમાં ધામધૂમથી આ લગ્ન સમારોહ યોજાશે. ઠાકરે પરિવારના વકીલ નિહાર ઠાકરે અને અંકિતા પાટીલ લગ્નગ્રંથીમાં જોડાશે. તમને જણાવી દઈએ કે, આ લગ્નમાં સીએમ ઉદ્ધવ ઠાકરે, આદિત્ય ઠાકરે, એનસીપી ચીફ શરદ પવાર જેવા મોટા નેતા પણ આ લગ્ન સમારોહમાં હાજરી આપી શકે છે.

દુલ્હા-દુલ્હન કોણ છે ?

અંકિતા પાટીલ (Ankita Patil)હાલમાં પુણે જિલ્લા પરિષદના સભ્ય છે અને ભારતીય સુગર મિલ્સ એસોસિએશનના ડિરેક્ટર પણ છે. બીજી તરફ નિહાર શિવસેના પ્રમુખ બાળાસાહેબ ઠાકરેના દિવંગત પુત્ર બિંદુ માધવ ઠાકરેનો પુત્ર છે. તેઓ મુંબઈમાં હાલ વકીલાત કરી રહ્યા છે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે નિહારના કાકા છે અને MNS વડા રાજ ઠાકરે તેમના પિતરાઈ ભાઈ છે. હર્ષવર્ધન પાટીલે તેની પૂત્રીના લગ્નને લઈને રાજ ઠાકરેના ઘરે પણ આમંત્રણ આપ્યું છે,જેથી તેઓ પણ આ લગ્નમાં પહોંચે તેવી પૂરી શક્યતા છે.

કોણ છે હર્ષવર્ધન પાટીલ ?

તમને જણાવી દઈએ કે, હર્ષવર્ધન પાટીલ અગાઉ કોંગ્રેસમાં હતા અને 2019ની વિધાનસભા ચૂંટણી પહેલા તેઓ ભાજપમાં જોડાયા હતા. હર્ષવર્ધન પાટીલ મહારાષ્ટ્રના દિગ્ગજ રાજકીય નેતામાંના એક છે. તેઓ પુણે જિલ્લાની ઈન્દાપુર વિધાનસભા બેઠક પરથી ચાર વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. હર્ષવર્ધન પાટીલ 1995 થી 2014 સુધી તમામ રાજ્ય સરકારોમાં મંત્રી તરીકે સેવા આપવાનો રેકોર્ડ પણ ધરાવે છે.

આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં સતત વધી રહ્યા છે ઓમીક્રોનના કેસ, આજે વધુ દસ કેસ નોંધાયા

આ પણ વાંચો : 15 વર્ષ કરો વેક્સીનેશનની ઉંમર, આરોગ્ય કર્મચારીઓને આપો બૂસ્ટર ડોઝ,’ આદિત્ય ઠાકરેએ ઓમિક્રોનના જોખમને જોતા કેન્દ્ર પાસે કરી માંગ

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">