મહારાષ્ટ્રમાં સતત વધી રહ્યા છે ઓમીક્રોનના કેસ, આજે વધુ દસ કેસ નોંધાયા

મંગળવારે મહારાષ્ટ્રના પુણે શહેરમાં ઓમિક્રોનના વધુ દસ નવા કેસ નોંધાયા છે. પૂણેના એક ટોચના અધિકારીએ માહિતી આપી હતી કે એરપોર્ટ પર લગભગ 30 હજાર મુસાફરોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો.

મહારાષ્ટ્રમાં સતત વધી રહ્યા છે ઓમીક્રોનના કેસ, આજે વધુ દસ કેસ નોંધાયા
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 07, 2021 | 7:49 PM

ભારતમાં કોરોના વાયરસના નવા વેરીઅન્ટ ઓમિક્રોનના (New variant of the Corona, Omicron) કેસ વધી રહ્યા છે. મંગળવારે મહારાષ્ટ્રના (Maharashtra) પુણે શહેરમાં ઓમિક્રોનના વધુ દસ નવા કેસ નોંધાયા છે. પૂણેના એક ટોચના અધિકારીએ માહિતી આપી હતી કે એરપોર્ટ પર લગભગ 30 હજાર મુસાફરોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આમાંથી દસ લોકોનો ઓમિક્રોનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

ઓમીક્રોનથી લડવા માટે પુરતી તૈયારી

અગાઉ સોમવારે મુંબઈમાં ઓમિક્રોન વેરિઅન્ટના બે કેસ નોંધાયા હતા. મહારાષ્ટ્રમાં આ પ્રકારથી સંક્રમિત લોકોની કુલ સંખ્યા હવે વધીને 20 થઈ ગઈ છે. દેશમાં ઓમિક્રોનથી સંક્રમિત લોકોની કુલ સંખ્યા 33 થઈ ગઈ છે. આ દરમિયાન, મહારાષ્ટ્ર સરકારના મંત્રી અસલમ શેખે જણાવ્યું કે મુંબઈને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે. બહારથી આવતા લોકોને ક્વોરેન્ટાઈન કરવા માટે કોવિડ સેન્ટર તૈયાર કરવામાં આવ્યા છે. અહીં 20 હોટલ પણ છે જ્યાં તેઓ રહી શકે છે. તમામ હોસ્પિટલો અને કોવિડ કેન્દ્રોમાં ઓક્સિજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

આ દરમિયાન, કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં ઓમિક્રોનથી સંક્રમિત એક ડૉક્ટર સાજા થયા બાદ ફરીથી કોરોના પોઝિટિવ આવ્યો છે. બેંગ્લોર સ્થિત આ ડૉક્ટર ભારતમાં ઓમિક્રોનના પ્રથમ બે કેસોમાંના એક હતા.  જ્યારે બીજો દર્દી જે દક્ષિણ આફ્રિકાનો રહેવાસી હતો. અને વહીવટીતંત્રને જાણ કર્યા વિના દુબઈ ગયો હતો, પોલીસે તેની સામે કેસ નોંધ્યો છે.

ઓમીક્રોનને ધ્યાને રાખીને જાહેર કરાઈ નવી માર્ગદર્શિકા

આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે મહારાષ્ટ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા સુધારેલા નિયમો હેઠળ હવે વિદેશથી આવતા તમામ લોકોએ RT-PCR ટેસ્ટ કરાવવો જરૂરી બનશે. જો કોઈ વ્યક્તિ ઓમિક્રોનથી સંક્રમિત જોવા મળે છે, તો તેને કડક રીતે ક્વોરન્ટાઈન કરવામાં આવશે. રાજ્ય પ્રશાસનના નિયમો અનુસાર તેને સારવાર કરાવવી પડશે. જ્યાં સુધી સંબંધિત ઓમિક્રોન સંક્રમિત દર્દીનો રિપોર્ટ નેગેટિવ ન આવે ત્યાં સુધી સારવાર ચાલુ રહેશે. રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ સાત દિવસ માટે હોમ ક્વોરેન્ટાઇન રહેશે. આ પછી, આઠમા દિવસે ફરી એકવાર પરીક્ષણ કરવામાં આવશે.

આ પણ વાંચો :  ’15 વર્ષ કરો વેક્સીનેશનની ઉંમર, આરોગ્ય કર્મચારીઓને આપો બૂસ્ટર ડોઝ,’ આદિત્ય ઠાકરેએ ઓમિક્રોનના જોખમને જોતા કેન્દ્ર પાસે કરી માંગ

Latest News Updates

રામ મંદિરના મુદ્દા પર અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર
રામ મંદિરના મુદ્દા પર અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર
દુનિયાના સૌથી મહાન હસ્તીઓ ગુજરાતે આપ્યા - પ્રિયંકા ગાંધી
દુનિયાના સૌથી મહાન હસ્તીઓ ગુજરાતે આપ્યા - પ્રિયંકા ગાંધી
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી ગુજરાત મુલાકાતે
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી ગુજરાત મુલાકાતે
બાબરાની GIDCમાં લોખંડ મેલ્ટ કરતી કંપનીમાં લાગી ભીષણ આગ
બાબરાની GIDCમાં લોખંડ મેલ્ટ કરતી કંપનીમાં લાગી ભીષણ આગ
આગઝરતી ગરમી સહન કરવા થઈ જાવ તૈયાર ! આ દિવસે હીટવેવની આગાહી
આગઝરતી ગરમી સહન કરવા થઈ જાવ તૈયાર ! આ દિવસે હીટવેવની આગાહી
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
g clip-path="url(#clip0_868_265)">