’15 વર્ષ કરો વેક્સીનેશનની ઉંમર, આરોગ્ય કર્મચારીઓને આપો બૂસ્ટર ડોઝ,’ આદિત્ય ઠાકરેએ ઓમિક્રોનના જોખમને જોતા કેન્દ્ર પાસે કરી માંગ

આદિત્ય ઠાકરેએ કેન્દ્ર સરકાર સામે બે મહત્વની માંગણીઓ મૂકી છે. તેમણે રસીકરણ માટેની વય મર્યાદા 18 થી ઘટાડીને 15 કરવાની ભલામણ કરી છે. તેમજ આરોગ્ય કર્મચારીઓને રસીના બૂસ્ટર ડોઝ આપવા માટે પરવાનગી માંગવામાં આવી છે. આ ઉપરાંત તેમણે રસીના બે ડોઝ વચ્ચેનું અંતર ઘટાડવાની પણ માંગ કરી છે.

'15 વર્ષ કરો વેક્સીનેશનની ઉંમર, આરોગ્ય કર્મચારીઓને આપો બૂસ્ટર ડોઝ,' આદિત્ય ઠાકરેએ ઓમિક્રોનના જોખમને જોતા કેન્દ્ર પાસે કરી માંગ
Aditya Thackeray, PM Modi
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 07, 2021 | 5:56 PM

સોમવારે મુંબઈમાં ઓમિક્રોન વેરિઅન્ટથી (Omicron in mumbai) સંક્રમિત 2 લોકો મળી આવ્યા હતા. આના કારણે મહારાષ્ટ્રમાં ઓમિક્રોન સંક્રમિત (Omicron in maharashtra) દર્દીઓની સંખ્યા વધીને 10 થઈ ગઈ છે. હાલમાં દેશમાં ઓમિક્રોન સંક્રમિત દર્દીઓની સંખ્યા 23 છે. આવી સ્થિતિમાં મુંબઈના સંરક્ષક મંત્રી આદિત્ય ઠાકરેએ (Aaditya Thackeray) ઓમિક્રોનના વધતા જતા સંક્રમણને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર સમક્ષ પોતાની કેટલીક માંગણીઓ મૂકી છે. આદિત્ય ઠાકરેએ આ મામલે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાને (Mansukh Mandaviya) પત્ર લખ્યો છે. આ માહિતી તેમણે પોતાના ટ્વિટર હેન્ડલ પર પણ શેર કરી છે.

આદિત્ય ઠાકરેએ કેન્દ્ર સરકાર સામે બે મહત્વની માંગણીઓ મૂકી છે. તેમણે રસીકરણ માટેની વય મર્યાદા 18 થી ઘટાડીને 15 કરવાની ભલામણ કરી છે. તેમજ આરોગ્ય કર્મચારીઓને રસીના બૂસ્ટર ડોઝ આપવા માટે પરવાનગી માંગવામાં આવી છે. આ ઉપરાંત તેમણે રસીના બે ડોઝ વચ્ચેનું અંતર ઘટાડવાની પણ માંગ કરી છે.

સુંદરતાનું બીજું નામ 'એન્ટિલિયા', કોણે બનાવ્યું છે મુકેશ અંબાણીનું 27 માળનું ઘર?
ઘરમાં જ ઉગાડો સ્વાદિષ્ટ લીચી, અપનાવો આ સરળ ટીપ્સ
કઈ ઉંમરે ગર્ભધારણની શક્યતાઓ વધારે ?
ડ્રોન દીદી બનવા માટે શું લાયકાત હોવી જોઇએ ? જાણો કેટલુ વેતન મળશે
આજનું રાશિફળ તારીખ : 19-03-2024
લગ્ન બાદ પહેલીવાર પત્ની સાથે જોવા મળ્યો આદિલ, જુઓ પત્ની સોમીની સુંદર તસવીર

આદિત્ય ઠાકરેએ મનસુખ માંડવિયાને લખેલા પત્રમાં આ વાત લખી છે

આદિત્ય ઠાકરેએ પોતાના પત્રમાં લખ્યું છે કે, ‘છેલ્લા કેટલાક મહિનાઓથી ભારતમાં કોરોના વિરોધી રસીકરણ અભિયાન ખૂબ જોરશોરથી શરૂ થયું છે. દેશવાસીઓને કોરોનાથી રક્ષણ આપવા માટે આ અભિયાન ઝડપી ગતિએ શરૂ છે. દેશ અને મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણ કાબૂમાં આવ્યા બાદ પ્રતિબંધો હળવા કરવામાં આવ્યા છે અને જનજીવન સામાન્ય થઈ ગયું છે. વેપાર-ધંધો ફરી એકવાર પાટા પર આવી ગયો છે. પરંતુ તાજેતરમાં ઓમિક્રોનના જોખમે ચિંતા વધારી છે. આવી સ્થિતિમાં, હું તમારું ધ્યાન બે બાબતો તરફ દોરવા માંગુ છું.

વધુમાં, આદિત્ય ઠાકરેએ લખ્યું છે કે, ‘આ વર્ષની શરૂઆતમાં, કોરોના વિરોધી રસીના બંને ડોઝ લઈ ચુકેલા કોરોના યોદ્ધા અને આરોગ્ય કર્મચારીઓને ત્રીજો ડોઝ (બૂસ્ટર ડોઝ) આપવાની મંજૂરી આપો. આ સિવાય મારે જે કહેવું હતું તે એ છે કે જુદા જુદા ડોકટરો સાથેની મારી ચર્ચામાં એ નિષ્કર્ષ પર આવ્યો છે કે કોરોના રસીકરણ માટેની લઘુત્તમ વય મર્યાદા 18ને બદલે 15 કરવી જોઈએ. જો આમ કરવામાં આવે તો હાઈસ્કૂલ અને જુનિયર કોલેજોમાં ભણતા લોકોને કોરોનાથી રક્ષણ આપી શકાય.

રસીકરણને ઝડપી બનાવવા માટે બે ડોઝ વચ્ચેનો સમયગાળો ઘટાડવાની માંગ

આદિત્ય ઠાકરેએ આગળ લખ્યું છે કે, ‘એક વધુ વાત કહેવાની છે કે મુંબઈમાં 100 ટકા લોકોને કોરોના વિરોધી રસીનો પ્રથમ ડોઝ અને 73 ટકા લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. જો બે ડોઝ વચ્ચેનો સમયગાળો ઘટાડીને ચાર અઠવાડિયા કરવામાં આવે તો જે રીતે વિદેશ જતા વિદ્યાર્થીઓનું રસીકરણ ઝડપથી પૂર્ણ થાય છે, તેવી જ રીતે મુંબઈના તમામ પાત્ર નાગરિકોને જાન્યુઆરીના મધ્ય સુધીમાં બંને ડોઝ આપી શકાશે. આ માટે, રસીના વધારે ડોઝની પણ જરૂર પડશે નહીં.

આ પણ વાંચો :  ઓમિક્રોનની ચિંતા ઘટતા અને ચીનથી મળેલા સંકેતોના કારણે માર્કેટ અપ, ઘરેલૂ બજારમાં પણ ખરીદી જોરમાં

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">